Tankaria and 7 surrounding villages are sealed off for any movement after a confirmed case of positive COVID-19 in Parkhet (a village 3 km from Tankaria). Gujarat Police in co-ordination with Tankaria Panchayat blocked all the entrance surrounding Tankaria.

We urge all citizens of Tankaria and surrounding village to strictly adhere to guidelines provided by medical professionals and to respect instructions provided by community leaders to avoid outdoor activities, maintain social distancing (keeping 6 feet distance when communicating with others) and wear a mask while conducting essential activities such as grocery shopping.

કોરોના વાઇરસની મહામારીમાં લોક ડાઉન ના પગલે તમામ ધંધાદારી તથા મજુરીયાત તથા નોકરિયાત વર્ગો પર આર્થિક સંક્રમણ વધી ગઈ છે. અને ખાસ કરીને રોજિંદા કમાઈને પોતાના કુટુંબનું ભરણપોષણ કરનાર વર્ગો પર મુસીબતો વધી ગઈ છે. જેને ધ્યાને રાખી ટંકારીઆ ગામના નવયુવાનો દ્વારા ઇંગ્લેન્ડના લેસ્ટર મુકામે કાર્યરત ચેરીટેબલ સંસ્થા ઘી ટંકારીઆ કોમ્યુનિટી સેન્ટર દ્વારા ગામના ગરીબ તથા મધ્યમવર્ગીય જરૂરિયાતમંદો માટે ફંડની સહાય ટંકારીઆ ખાતે કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટને પહોંચાડી હતી જે ફંડને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદોને રોકડ સહાય નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ થકી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ઘી ટંકારીઆ કોમ્યુનિટી સેન્ટર નો આભાર વ્યક્ત કરે છે.


મુસ્લિમોનો પવિત્ર શબેબરાત નો તહેવાર ની ટંકારીઆ તથા આસપાસ ના ગામોમાં એકદમ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોવિદ ૧૯ ના હાહાકાર વચ્ચે સમગ્ર પંથકે આ તહેવાર પોતાના ઘરોમાં રહી ફરઝ નમાજો ઉપરાંત નફિલ નમાજો, ઝિક્ર, કુરાને પાકની તિલાવત તથા દિગર ઈબાદતો પોતાના ઘરોમાં રહીને અદા કરી હતી. આ પ્રસંગે રાત્રે દરગાહો તથા કબ્રસ્તાનમાં જવાનો રિવાજ હોય છે પરંતુ કલેક્ટર સાહેબ ના જાહેર ફરમાન મુજબ તથા કલમ ૧૪૪ અંતર્ગત તેમજ અગમચેતીના ભાગ રૂપે તમામ દરગાહો તથા કબ્રસ્તાનોને બહારથી સીલ કરી દેવામાં આવ્યા હતા. અને તમામનો પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો હતો જેના સંદર્ભે લોકોએ પણ કબ્રસ્તાનો તરફ જવાનું તારીને પોતપોતાના ઘરોમાં રહી સરકારના લોકડાઉનના આદેશ નું સમર્થન કર્યું હતું. જામે મસ્જિદ ટંકારીઆ ના ખતીબ ઇમામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબે સમગ્ર માનવજાત ને આ મહામારીમાંથી મુક્ત કરવાની તથા ભારત દેશના તમામ દેશવાસીઓ ને અલ્લાહ તઆલા આ ભયંકર મહામારી માંથી મુક્તિ આપે એવી બારગાહે ખુદાવંદીમાં કાકલુદી સાથે દુઆ ગુજારી હતી.
રિપોર્ટ તૈયાર કરનાર
મુસ્તાક દૌલા
પ્રેસ રિપોર્ટર
ગુજરાત ટુડે [દૈનિક]