Zainab W/O Siraj Musa Dhoriwala passed away at Leicester. Inna Lillahe Wainna Ilayhe Rajeu. May ALLAH [SWT] grant her the best place in Jannatul Firdaush. Ameen.

Note: This is not Corona related.

Tankaria ગામ માં જ્યાર થી કૉરૉના વાયરસ નૅ કારણે લૉક ડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યાર થી Tankaria ગામ પંચાયત ઍકઘારી ગામ લૉકૉ ની સૅવા કરી રહી છે.ગામ માં પીવાનુ પાણી,લાઈટૉ રીપૅરીગ,લીકૅજૉ રીપૅરીગ, ડીડીટી પાવડર નૉ છંટકાવ,ફૉગીગ મશીન દ્વારા ઘુમાડૉ,આખા ગામમાં સૅનીટાઈઝર થી દવાઑનૉ છંટકાવ,વૅપારીઑનૅ જરુરી પ્રમાણપત્રો આપવા, ગામ બહાર ફસાયૅલા લૉકૉ નૅ ગામ માં પરત લાવવા, ગામ માં ફસાયૅલા લૉકૉ નૅ તૅમના ગામ માં પરત મૉકલવા,આખા ગામ ના ગરીબ વિસ્તારોમાં અનાજ નું વિતરણ, જરુરત મંદ લોકો માટે ભૉજન ની વ્યવસ્થા, ગામ માં જીવન જરૂરી ચીજવસ્તુઓનૉ પુરવઠૉ સતત ચાલુ રહૅ તૅવી સચૉટ વ્યવસ્થા તથા અન્ય જરૂરી કામૉ કરવા/કરાવવા Tankaria પંચાયત દ્વારા રૅકૉરડ કરવામાં આવ્યો છે… પંચાયત ની કામગીરી થી ઉચ્ચ અધિકારીઓ પણ સંતુષ્ઠ છે અનૅ પંચાયત ની કામગીરી ની નૉઘ લૅવાઈ છે…અનૅ આ કામગીરી સતત ચાલુ રહૅશૅ…લિ, Tankaria in. સરપંચ

ટંકારીઆ ગામમાં સતત બે દિવસથી ફળિયે ફળિયે ડી.ડી.ટી. નો છંટકાવ થઇ રહ્યો છે. કે જેથી મચ્છરો તદુપરાંત બીજી નાની જીવાતો નો ઉપદ્રવ ઓછો થઇ જાય. આ કામ તબક્કાવાર થઇ રહ્યું છે જરૂરત પડેથી આ પ્રમાણે બે કે ત્રણ રાઉન્ડ માં આ દવાનો છંટકાવ થશે તથા ઇન્ચાર્જ સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન જણાવે છે કે ગામમાં અપાતા પાણીમાં પણ કલોરીનેશન કરવામાં આવશે. કે જેનાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા નો પણ નાશ થાય. ઇન્ચાર્જ સરપંચે એમ પણ જણાવ્યું હતું કે તમામ ગામવાસીઓ પોતાના ઘરોમાં જ રહે અને કોરોના વાઇરસ જેવી મહામારીથી પોતાનું તથા પોતાના પરિવારનું રક્ષણ કરે.

Zainab Siraj Musa Dhoriwala (Tankaria) passed away at Leicester UK. She was from Dedka family of Nabipur. (Death is not corona related).

May Almighty Allah give her a place in Jannatul firdaus and sabre jameel to family. Ameen

કોરોના મહામારી અને લોકડાઉન ને પગલે ગરીબ પરિવારો આર્થિક રીતે ભીંસ માં મુકાઈ જતા રેશન ની અનેક સમસ્યાઓ નો સામનો કરી રહેલા છે. આવા પરિવારોની વહારે સેવાભાવી સંસ્થા એકતા ગ્રુપ ઓફ ટંકારીઆ એ ઉદારતા બતાવી અનાજ, તેલ, તેમજ જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરતા લોકોમાં રાહતનો અહેસાસ થવા પામ્યો છે.

Situation in our area is okay. We are in complete lockdown but government is allowing clinics, pharmacies, and other essential businesses such as grocery stores, laundromat, auto mechanics stores etc. to stay open. Alhamdulillah all of our community members are doing well. Out of precautions, all masjids and religious places across Chicago area are closed. Government is asking citizens to do its job by staying at house, avoid gathering with friends, avoid public parks and events. Schools are closed but kids are provided with laptops or iPads from school for online learning. Governor of each states as well as Mayor of Chicago is continually providing updates and education on a daily basis. We have good care and services available when needed.

Its really important that everyone stays out of this because hospitals and corona virus make-shift clinics only have enough doctors and nurses to take care of limited number of people. System can not treat large number of people at the same time so Government is requesting healthy people to stay home to prevent them passing it to elderly.

There are some areas or as called HOT SPOTS where is a large concentration of cases such as in New York and Washington state but even there it is hospitals and clinics are overwhelmed. There are people coming out of retirement to work again as doctors, nurse, paramedic and pharmacy and government is asking for volunteers.

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી માં સપડાયેલું છે તેનો સામનો કરવા ભારતભરમાં પ્રશાસન અનેક પ્રયાસો કરી રહ્યું છે.   જે પૈકી લોકડાઉન ની  પ્રક્રિયા ને પણ લાગુ કરવામાં આવી છે. અને આવા મુસીબતભર્યા સમયે આપણું  કર્તવ્ય છે કે કાયદાના પાલન માટે ચુસ્તપણે સહકાર આપવો. જે અંતર્ગત ટંકારીઆ અને પંથકની તમામ મસ્જિદોમાં જુમ્મા ની નમાજ નહિ પઢવાનો આદેશ આપેલો હોવાથી જુમ્મા ના દિવસે મુસ્લિમ બિરાદરોએ ભારે હૈયે પોતપોતાના ઘરોમાં નમાજ ની અદાયગી કરી  હતી. અને તમામ મુસ્લિમ ભાઈ બહેનોએ સમગ્ર માનવજાત માટે કોરોના વાઇરસની મહામારીથી હિફાઝતની દુઆ ગુજારી હતી.

કોરોના વાઇરસ ની હાડમારી ને લઈને સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન નો આદેશ આપેલ હોય, સવારે છૂટ ના ૩ કલાક બાદ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે છે. જેને પગલે ટંકારીઆ નગરની ગલીઓ તથા
બજાર સુમસામ ભાસતા નઝરે પડે છે.

કોરોના વાઇરસ સામે સાવધાની એજ ઈલાજ”

HAFEZ YAKOOB UMARJI BHIM [TILU] [BROTHER OF SHABBIR MASTER TILU] PASSED AWAY AT BOLTON [UK] INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

ટંકારીઆ મસ્જિદના ટ્રસ્ટીઓ એક નિવેદનમાં તમામ ભાઈઓને જાહેર અપીલ કરી જણાવે છે કે કોરોના વાઇરસના પ્રકોપને લઈને સરકારના આદેશ અનુસાર જુમ્મા ની નમાજ મસ્જિદોમાં નહિ પઢવા માટે નો હુકમ કરવામાં આવતા તમામ ભાઈઓએ જુમ્મા ના સમયે ઝોહરની નમાજ પોતપોતાના ઘરે પઢવાનો અનુરોધ કરવામાં આવે છે. તો તમામે તમામ ભાઈઓ પોતાના ઘરે ઝોહરની નમાજ અદા કરી વિશ્વમાં ફેલાયેલી આ મહામારી થી અલ્લાહ પાસે રક્ષણ માટેની ખાસ દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે.