Haji Sadiqbhai Banglawala passed away in London, England. Inna Lillahe Wainna Ilayhe Rajeun.

Due to the current lockdown situation, the family have kindly requested for everyone to offer their condolences, duas and prayers from their own homes.

May Allah SWT grant him a place in Jannat-ul-Firdaus and Sabr-e-Jameel to his family. Ameen.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ટંકારીઆ ગામથી નજીકના પારખેત અને વાંતરસ ગામે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નીકળતા ટંકારીઆ ગામને પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. સવારે ૮ થી ૧૧ સુધી આવશ્યક સેવાઓની દુકાનો ચાલુ રાખવામાં આવે છે. ત્યાર બાદ ગામ સંપૂર્ણ લોક ડાઉન થઇ જવા પામે છે. અને ત્યાર બાદ ગામ સંપૂર્ણ રીતે સુમસામ થઇ જવા પામે છે. તદુપરાંત ગરમીનો પારો પણ લગભગ ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા ભારે ગરમીનો અહેસાસ પણ થાય છે. ગ્રામજનો સરકારના આદેશને અનુસરી પોતાના ઘરોમાંજ પુરાઈ રહે છે. અલ્લાહ તઆલા આ મહામારીથી તમામનું રક્ષણ કરે એવી દુઆ ગુજારવાની ગુજારીશ કરવામાં આવે છે.

ભરૂચ તાલુકાના પારખેત ગામે કોરોના વાઇરસ નો એક પોઝિટિવ કેસ નોંધાતા પારખેત ગામની આસપાસના ૭ કી.મી. ની ત્રિજયાનો વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં  આવ્યો છે. જેમાં પારખેત ગામ સહીત ટંકારીઆ, સીતપોણ, પરીએજ, નબીપુર, હિંગલ્લા, કુવાદાર, બોરી, કરગત, વરેડીયા, કહાન, ઠીકરીયા તથા આમોદ તાલુકાના વાંતરસ, કેસલુ, કુરચન સહિતના ગામો સંપૂર્ણ પણે લોકડાઉન કરી પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં વહીવટી તંત્રે હદ સીલ કરી દીધી છે.  જે અંતર્ગત ટંકારીઆ ગામની ચારે દિશા પણ સીલ કરી દેવામાં આવી છે.  પારખેત ગામમાં પોલીસ નો કડક બંદોબસ્ત ગોઠવાઈ જવા પામ્યો છે અને ગામને ચારે તરફથી સીલ કરી દેવામાં આવ્યું છે. તદુપરાંત ત્રિજ્યામાં આવતા ગામોમાં પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તમામ ગામોમાં બહારથી આવતા લોકો માટે પ્રવેશબંધી ફરમાવી આપી છે અને ગામના લોકોએ પણ બહારગામ જવાની મનાઈ ફરમાવી દીધી છે. ટંકારીઆ ગામે પણ ચોતરફ પ્રવેશના રસ્તા બંધ કરી આપવામાં આવેલા છે. જેને લઈને ટંકારીઆ ગામ પણ સુમસામ ભાસી રહ્યું છે. ટંકારીઆ ગામ તરફ આવતા તમામ રસ્તાઓ પી.એસ.આઈ. પાલેજ ના હુકમથી બંધ કરી દેવામાં આવ્યા છે. અને ઠેર ઠેર બંધ રસ્તાઓ પર પોલીસ સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે.