1 2 3 1,017

 ભરૂચ તાલુકાના ટંકારિયા ખાતે આવેલી બ્રાન્ચ કુમારશાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મુનાફભાઈ ટીનકી દ્વારા હાર્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે શાળાની પ્રગતિની સફરની વિસ્તૃત માહિતી આપી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયક ગીતો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના અનોખા અંદાજમાં ભાવનાત્મક પ્રવચનો આપ્યા હતા, જેમાં તેમના શાળા જીવનની યાદો તાજી કરી હતી. ત્યારબાદ વિદાય ગીત દ્વારા લાગણીસભર માહોલ સર્જાયો હતો.

કાર્યક્રમ દરમિયાન NMMS, PSE, CET, કલા-ઉત્સવ, રમતોત્સવ, વિજ્ઞાન મેળો જેવી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટીફીકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓમાં વધુ પ્રગતિ કરવાની પ્રેરણા જન્મે.

અતિથિ પ્રવચનમાં સામાજિક અગ્રણી નાસીરહુસેન લોટીયા, ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા અને કારી ઇમરાન દ્વારા માર્ગદર્શન પૂર્ણ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. અંતમાં શાળાના શિક્ષક અનવરભાઈ મીરુએ આભારવિધિ વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણતા આપી હતી.

આ પ્રસંગે સરપંચ મંગાભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા, દારુલ ઉલૂમના ચેરમેન ઇબ્રાહીમભાઈ મનમન, સી.આર.સી. ઘનશ્યામ પઢીયાર, પંચાયત સભ્ય ઇકબાલ સાપા, નાસીરહુસેન લોટીયા, એડવોકેટ કારી ઇમરાન કોવારીવાલા, અસ્ફાકભાઈ તટવા, નસીબુલગની ચટી, દરબાર રખડા, અઝીઝ ભા, એસ.એમ.સી.ના  સભ્યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારૂ સંચાલન શાળાના વિદ્યાર્થી મહમદ અનીસ જંગારિયા અને શિક્ષિકા શાહીનબેન લાર્યાએ સંયુક્ત રીતે અત્યંત પ્રભાવશાળી અંદાજમાં કર્યું હતું.

 

 

HAMIDABEN W/O LATE ISMAIL [BABUBHAI] RETHDA [MOTHER OF ZABIR – JAVID – ZAHIR RETHDA] passes away………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e Janaja will held at Hashamshah [RA] graveyard at 9am today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen. 

અસ્સલામુ અલયકુમ
સલામ મસનૂન બાદ જણાવવાનું કે,
મદ્રસ-એ-મુસ્તુફાઈય્યાહ-ટંકારીઆ નો વાર્ષિક ઇનામી જલસો 3/5/2026 ના રોજ રાખવામાં આવેલ છે. જેમાં મદરસાના તલબાઓ ને ઇનામો નું વિતરણ કરવામાં આવે છે તો બાળકો ના ઇનામો માટે આપનાથી બનતી લીલ્લાહ મદદ કરી સવાબ ના હકદાર બનવા આપને નમ્ર અરજ તથા ગુજારીશ છે. આ નેક કામ માં હિસ્સેદાર બની સવાબે દારૈન હાસિલ કરશો. 

આપ આપણી રકમ નીચે દર્શાવેલ વ્યક્તિઓને પહોંચાડી શકો છો.
૧. ઈબ્રાહિમમાસ્ટર મનમન
૨. સુલેમાન રખડા
૩. ફારૂક ખાંધિયા
૪. મુસ્તાક ડેલાવાલા

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે તારીખ તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૬ ને મંગળવારના  રોજ મોટા પાદર સ્થિત મસ્જીદે મુસ્તુફાઇય્યાહમાં ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર હાજી ભાઈ બહેનો માટે હજ તાલીમ કેમ્પનું આયોજન સવારે ૯ વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હજ્જના તમામ અરકાનોની પ્રેક્ટિકલ સમજાવટ અનુભવી આલીમો દ્વારા આપવામાં આવશે. જાણકાર ઉલેમાએ કિરામ પોતાના અંદાજમાં આસાન અને સરળ ભાષામાં સમજણ આપશે. તો તમામ હુજ્જાજ ભાઈ બહેનોથી નમ્ર ગુજારીશ છે કે આ કેમ્પનો લાભ લેશો.
કેમ્પના અંતમાં તમામ હુજ્જાજ ભાઈ-બહેનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમ સંસ્થાના ચેરમેન ઇબ્રાહિમભાઈ મનમન એક યાદીમાં જણાવે છે.

1 2 3 1,017