મિત્ર મંડળ ટંકારીઆ દ્વારા નવસારી જિલ્લાના જોગવાડ ગામે પૂરગ્રસ્તોને કીટ વિતરણ કરાઈ
👉મિત્ર મંડળ ટંકારીઆ એ તા.૪.૮.૨૦૨૬ ના રોજ માંગરોલ તાલુકાના કોસાડી ગામે અને તેની આજુબાજુના ૪ ગામોમાં પૂરગ્રસ્તમાં નુકશાન થયેલ જેવા જરૂરતમંદ નિરાધાર લોકો સુધી ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાત વાળી ૧૦૦ કીટોનું સુંદર રીતે વિતરણ કરેલ….. 👉જેમાં ૪ કીટો ગરીબ આદિવાસી હિન્દુ પરીવારોને આપેલ જે પેટે જમા થયેલ વ્યાજની રકમ અને બાકીની રકમ અબ્દુલભાઈએ લીલ્લાહ આપેલ તેમાંથી ઉમેરવામાં આવેલ હતી….. તેમજ અબ્દુભાઈની લીલ્લાહ રકમમાંથી ૨ કીટો સૈયદ ફેમીલીને આપી, બાકીની તમામ ભેગી થયેલ રકમ (ઝકાત, સદકો અને લીલ્લાહ અને નફીલ સદકો) માંથી ૯૪ કીટો શરીયત મુજબ જે તે મુસ્તહિકો સુધી પહોંચાડેલ છે.. . અલ્લાહ પાક આપની સખાવતને ક્બુલ ફરમાવે. વધુમાં ત્યારબાદ..
👉આજરોજ તા. ૧૨.૮.૨૦૨૬ ના રોજ મિત્ર મંડળ ટંકારીઆ, ટંકારીઆ ગામજનોની અને એન.આર.આઈ ભાઈ-બહેનોની સખાવતના લઈને, જોગવાડ, જી. નવસારી મુકામે જોગવાડ ગામના જવાબદાર આગેવાનો અને દારૂલ ઉલૂમ જામીઆહના મોહતમીમ સાહેબના મશવેરાથી અને તેઓનાં રેહબરીમાં જોગવાડ ગામના આજુબાજુના ૪ ગામોમાં જે તે હક્કદારો – મુસ્તહિક સુધી શરીયત અનુસાર ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાતવાળી ૬૦ કીટોનું વિતરણ કરેલ છે. જે પેટે દેશ-વિદેશથી મારા ભાઈ-બહેનોએ સખાવત કરેલ છે. એમની સખાવતોને (અરકાનને) અલ્લાહ તઆલા કબુલ મકબુલ ફરમાવે. આમિન… આ રકમ માંથી જે રકમ વધેલ છે તે અસરગ્રસ્ત લોકોમાં રોકડા પેટે વહેંચી આપી છે. આ કીટોમાં ૪૬ કીટો ઝકાત, સદકાની હતી, ૧૪ કીટો લીલ્લાહ અને નફીલ સદકાની હતી. જેનું શરીયત મુજબ ઝકાતના હક્કદારોને વિતરણ કરેલ છે .
👉વધુમાં.. તેમજ યુ.કે. ના એક બહેન તરફથી છેલ્લા દિવસે રૂા.૫૧,૪૩૨/- વ્યાજની રકમ હસ્તે હાજી ગુલામભાઈ માલાતગાર ના હસ્તે આવતા જોગવાડ ગામના જામીઆ દારૂલ ઉલૂમના મોહતમીમ સાહેબ અને ગામ આગેવાનોના મશવેરા મુજબ ફક્ત રાશનની સારામાંની ૧૫ કીટો બજેટ અનુસાર બનાવી … સખાવત કરનારની નિયત અને શરીયત મુજબ ૧૫ ગરીબ – નિરાધાર આદિવાસીઓ કે જેમને નુકશાન થયેલ છે તેવા હિન્દુ પરીવારોને વ્યાજની રકમમાંથી બનાવેલ ફક્ત રાશનની કીટો પહોંચાડી છે અને વ્યાજની વધેલ રકમ રોકડા પેટે આપેલ છે.
આમ પૂરગ્રસ્ત માટેની તમામ રકમનો સદ્ઉપયોગ કરી આજરોજ હિસાબ ઝીરો કરેલ છે. ફરીવાર બારગાહે ઈલાહીમાં દુઆ છે કે, અલ્લાહ તઆલા આપની સખાવતોને (અરકાનને) કબુલ ફરમાવે, અને આપને દિન-દુનિયાની દોલતથી માલામાલ કરે, આપના ધંધા-રોજગારમાં બરકત અતા ફરમાવે અને તંદુરસ્તી અતા ફરમાવે. તેમજ તમામ મર્હુમોની મગફીરત કરી, એમની તમામ કબરોને જન્નતનો બાગ બનાવે. આમિન…. સુમ્મા આમિન……..
નોંધ:- કીટો વિતરણ કરવાનો મિત્ર મંડળ ટંકારીઆનો આવવા જવાનો અને ઈતર ખર્ચ અમો મિત્ર મંડળે જાતે કરેલ છે જે આપની જાણ માટે….🌳
નીચે પૂરગ્રસ્ત લોકોને પૂર દરમ્યાન થયેલા નુકસાનીના ચિત્રો અને વિડિઓ છે.

મિત્ર મંડળે વહેંચેલી કીટો



TANKARIA WEATHER






