1 2 3 814

સમગ્ર ભારત દેશમાં આજે શબેબરાત પર્વની ઉજવણી થઇ રહી છે. ટંકારિયામાં ગત રોજ અસર ની નમાજથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં નમાજ અદા કરવા માટે વિવિધ મસ્જિદોમાં જમા થયા હતા ત્યારબાદ કબ્રસ્તાનોમાં જઈ પોતાના મર્હુમ સગા-સંબંધીઓ તથા મિત્રોની કબર પર જઈ ફાતેહા પઢી ખિરાજે અકીદત પેશ કરતા નજરે પડ્યા હતા અને કબ્રસ્તાનો લોકોની મોટી સંખ્યામાં ભરાઈ ગયા હતા. ત્યાર બાદ, બાદ નમાજે મગરીબ વિશિષ્ટ ૬ રક્ત નફિલ નમાજ પઢી મસ્જિદોના ઇમામોએ સમગ્ર માનવજાત માટે દુઆ ગુજારી હતી. અને સાથે સાથે ઈશાની નમાજ પઢી લોકો પોતાને ઘેર ગયા હતા. બાદમાં આખી રાત સુધી નફિલ નમાજો અદા કરી હતી. હાલમાં એકદમ નવી બંધાયેલી મસ્જીદે ફૈઝાને મખદૂમ અશરફમાં રાત્રે સલાતુતતસ્બીહ ની વિશિષ્ટ નમાજ બા-જમાત અદા કરી હતી. આ પર્વ નિમિતે નફિલ રોજાનું ઘણું મહત્વ હોય મોટાભાગના લોકોએ રોજો પણ રાખ્યો હતો.

આ સાથે પૃથ્વીપટ પર પવિત્ર રમઝાન માસે દસ્તક દઈ દીધી છે.

ગતરોજ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત શિયાળુ ૩૦ ઓવર નોકઆઉટ ટુર્નામેન્ટ ની ફાઇનલ ભજજુવાળા ઇલેવન ભરૂચ અને કડુજી ઇલેવન ટંકારીઆ વચ્ચે રમાતા ભારે રસાકસીના અંતે ભજજુવાળા ઇલેવન નો મેચના છેલ્લા બોલે વિજય થયો હતો.
આ ટુર્નામેન્ટના અંતમાં ઇનામ વિતરણ વિધિમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી પધારેલા ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે કુવૈત નેશનલ ક્રિકેટ ટીમના સુકાની યાસીન પટેલ ઉપરાંત એજ ટીમના સભ્ય મીટ ભાવસાર, બરોડા રણજી પ્લેયર સાફાવાન ઘોઘા તથા ગુજરાત રણજી પ્લેયર શેહજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતા. ઉપરાંત ટાઇગર ફાઉન્ડેશનના ઓવનર હનીફભાઇ પાંચભાયા, તૌસીફ વાગરાવાલા તથા મોટીસંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ માં રમાયેલી મેચોની ટ્રોફીઓ બાબુભાઇ પરફેક્ટ કુરિયરવાળા દ્વારા આપવામાં આવી હતી.
આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન જુનેદ ટીચચુક, આરીફ બાપુજી અને વસીમ પાટીદારે કર્યું હતું.
આ ફાઇનલ મેચના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાકીરહુસૈન ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું.

1 2 3 814