1 2 3 832

આજ રોજ ટંકારીઆ ગામ માટે ખુબ જ ખુશી નો મોકો હતો. ટંકારીઆ નાના પાદર ખાતે આવેલ નવનિર્માણ આંગણવાડી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં ખાસ મેહમાન તરીકે પૂજા બેન. C. D. P. O. સંગીતા બેન, દિનેશ ભાઈ. આશિસ ભાઈ, જીગનીશા બેન, જિલ્લા પંચાયત સદસ્ય. ભાવના બેન. તાલુકા પંચાયત સદસ્ય. અસ્મા બેન, માજી તાલુકા સદસ્ય અબ્દુલ મામાં, ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મકબુલ ભાઈ અભલી, સામાજિક અગ્રણી નાસિર સાહેબ લોટીયા, સરપંચ મંગા ભાઈ, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા, ગામ પંચાયત ના તમામ સભ્યો. તથા વાલી મિત્રો ની હાજરી માં આ સુંદર મકાન નાના ભૂલકાઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અત્યાર સુધી 15 વર્ષ થી ભાડા ના મકાન માં આ કેન્દ્ર ચલાવતા હતા.

આ આંગણવાડીની ફરતે બનાવેલી દીવાલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ટંકારીઆ બ્રાન્ચના સહયોગથી બનાવવામાં આવેલી છે.

ઇદગાહ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી લઈ જવા માટેની બન્ને સુવિધાઓ માટેની વાન માટે દુઆનો પ્રોગ્રામ આજે અસરની નમાજ બાદ મોટા પાદરમાં રાખવામાં આવ્યો છે. તો તમામ ભાઈઓ સમયસર મોટા પાદરમાં હાજર રહી દુઆમાં શરીક થશો.
ઇદગાહ ટંકારીઆના ટ્રસ્ટીઓ.

આજે ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડનું એસ.એસ.સી. નું પરિણામ જાહેર થયું છે. ટંકારીઆ હાઈસ્કૂલનું ૮૩% પરિણામ મેળવી સફળતા હાસિલ કરી છે. શાળાના કુલ ૨૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૭૭ વિદ્યાર્થીઓએ સફળતા હાસિલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળામાં પ્રથમ ક્રમે ભુતા મારીયાહ ઉસ્માનગની ૯૨.૩૩% દ્વિતીય ક્રમે ખાંધિયા આયશા અન્વરભાઈ ૯૧.૮૩% તથા તૃતીય ક્રમે પટેલ સારા સાજીદ ૯૧.૫૦% સાથે ઉત્તીર્ણ થયા છે.
શાળાના માનદ ચેરમેન અબ્દુલ્લાહ ભુતા તથા આચાર્ય ગુલામ પટેલ અને શાળાના શિક્ષકગણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

1 2 3 832