1 2 3 716

હવામાન ખાતાની આગાહી સાથે ટંકારીઆ સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગામમાં પાદરમાં પાણી ભરવાનું ચાલુ થઇ ગયું છે. લોકો વરસાદમાં ટહેલવાની મજા મણિ રહ્યા છે. આ લખાય ત્યારે પણ વરસાદ જોરશોરથી પડી રહ્યો છે. પાદરમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના માલિકો પાદરમાં પાણી ભરાય તે દહેશતથી એકદમ સતર્ક થઇ ગયા છે.

કસ્બા ટંકારીઆની કન્યાશાળા (મુખ્ય)માં આપણા ગામની સામાજિક સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે એસ.આર.એફ. કંપની તરફથી કન્યાશાળા (મુખ્ય) ને ૨ (બે) સ્માર્ટ ટી.વી. પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિઓમાં ગામના હાલના વહીવટદાર નિલેશભાઈ તથા તલાટી ઘનશ્યામભાઈ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા, ઇલ્યાસ જંગારીયા, અમીન કડા, અઝીઝ ભા, તેમજ ગામના કોઈ પણ કાર્યમાં અગ્રેસર રહેતા અખ્તર માલજી, ઈરફાન મેલા  ઉપરાંત શાળાના આચાર્ય ખીલજી સાહેબ તથા

શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળા તરફથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કન્યાશાળા (મુખ્ય)માં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા બાળકોને શુદ્ધ ફિલ્ટર પાણી આખા વર્ષના શૈક્ષણિક કાર્ય દરમ્યાન આપવામાં આવી રહ્યું છે.

Rizwan Saeed Ghodiwala from our village has completed the degree in Aeronautical Engineering from South Wales University [UK] with a first class. This youth from our village is the first Aeronautical engineer of the village. Many many congratulations to Rizwan, his parents Saeedbhai Ghodiwala and his whole family. The whole Tankaria and community is very proud of your achievement!!!

આજે ૧૦ મહોર્રમ યાને યૌમે આશુરા – આપણા પ્યારા નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન રદિઅલ્લાહો અન્હો અને તેમના ૭૨ સાથીઓએ સત્યના કાજે પોતાના પ્રાણ બલિદાનમાં આપી શહાદત વહોરી તેમની યાદમાં યૌમે આશુરાની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારિયામાં જામે મસ્જિદ તથા પાદર વાળી મસ્જિદ સહીત વિવિધ મસ્જિદોમાં આજે સવારે વિશિષ્ટ નફિલ નમાજોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી શોહદાએ કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને ત્યારબાદ સમગ્ર માનવજાતિ માટે દુઆઓ કરવામાં આવી હતી. બાદમાં ઠેર ઠેર શરબતની સબીલો દ્વારા લોકોને શરબત પીવડાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહર્રમના પ્રથમ ચાંદથી ૧૦માં ચાંદ સુધી શોહદાએ કરબલાની શાનમાં બયાનો પણ યોજવામાં આવ્યા હતા.

1 2 3 716