કોરોના વાઇરસ ની મહામારીના પગલે ટંકારીઆ નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડ માં રૂપિયા ૪૫૦૦૦ જેટલી રકમ ભરૂચ કલેક્ટર ને જમા કરાઈ હતી.
નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ જનાબ યાકુબભાઇ ઘોડીવાળા તથા સેક્રેટરી યાકુબભાઇ ચતી એક નિવેદનમાં જણાવે છે કે કોરોના વાઇરસની મહામારી સમગ્ર દુનિયામાં ભરડો લઇ રહી છે અને ગુજરાતમાં પણ તેનો પેસારો વ્યાપક રીતે ફેલાયો હોય તેની સામે ગુજરાત સરકાર અસરકારક પગલાં ભરી રહી હોય ટંકારીઆ નિવૃત કર્મચારી મંડળ દ્વારા ટંકારીઆ તથા આજુબાજુના ગામોના પેંશનર ભાઈ બહેનો તથા સભાસદો દ્વારા રૂપિયા ૪૫૦૦૦ જેટલી રકમ ગુજરાત મુખ્યમંત્રી રાહતફંડમાં મંડળે ભરૂચ કલેક્ટરશ્રી ને અર્પણ કરી હતી. આ થકી પ્રમુખ તથા સેક્રેટરી તમામ સભાસદોનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે.
આ સાથે ફોટોમાં કલેક્ટર ભરૂચને ચેક આપતા સેક્રેટરી જણાઈ આવે છે.

આજરોજ ટંકારીયા ગામ માં ભીડભiડ વારી જાહેર જગ્યા ઉપર
શેનીટાઇઝડ કરવાની કામગીરી ફરીવાર ચાલુ કરવામાં આવેલ છે.. આજુબાજુના ગામોમાં પોઝિટિવ કેસો બનતા તકેદારીના ભાગરૂપે તેમજ રમજાન માસ સારી રીતે પસાર થાય એ આશયથી આ
શેનીટાઇઝડ ની કામગીરી ફરિવાર કરવામાં આવેલ છે ગામની ભીડભાડ વારી જગ્યા એટલે ગામની બેંકો + એટીએમ ની આસપાસ તથા સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં તથા ગામ પંચાયત માં તથા બસ સ્ટેન્ડ ઉપર તથા ભીડભાડવાળી અનાજ કરીયાણાની તથા શાકભાજીની મુખ્ય દુકાનની આસપાસ તથા મેન રોડ ની દુકાનો તથા નાની કેબીનો ઉપર જાહેર જગ્યા ઉપર તથા ગામના જાહેર રસ્તાઓ ઉપર સૈનિતાઈઝડ કરવાની કામગીરી ચાલુ કરેલ છે. શ્રીરામ કેમિકલ્સ જીઆઈડીસી ..જગડીયા મુકામે થી hypo ક્લોરાઈડ ((1000 લીટર)) ટંકારીયા ગામ ને દાનમાં આપેલ છે. ટંકારીઆ ગામ દિલથી આભાર વ્યક્ત કરે છે..

લી. સરપંચ ટંકારીઆ ગામ પંચાયત
મુમતાજબેન ઉસ્માન લાલન