1 3 4 5 6 7 426

ટંકારીઆ, તા. ૧૪ જુલાઈ:
ઉર્સ-એ-મખદૂમ અશરફ જહાંગીર સીમનાનીના પવિત્ર અવસરે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ, ટંકારીઆ બ્રાન્ચ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને હરિયાળા સમાજના નિર્માણના ઉદ્દેશ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કુમાર શાળા ટંકારીઆ, બ્રાન્ચ કુમાર શાળા ટંકારીઆ, મસ્જિદે સિદ્દીકે અકબર તથા ટંકારીઆ કબ્રસ્તાન ખાતે વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનું આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં ગ્રામ પંચાયત ટંકારીઆના સરપંચ શ્રી મંગુભાઈ વસાવા, પંચાયત સભ્ય શ્રી મુનાફભાઈ જીવા, તાલુકા સભ્ય શ્રીમતી અસ્માબેન મોહસીન ધોડીવાલા, જિલ્લા સભ્ય શ્રીમતી ભાવનાબેન વસાવા, સામાજિક કાર્યકર શ્રી નાસીરભાઈ લોટીયા, બંને શાળાના શિક્ષકગણ, ફારૂક સાહેબ કારી, બિલાલ મેલા, શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મુસ્તાકભાઇ બાબરિયા, અમીનભાઈ ક્દા, અઝીઝભાઇ ભા, ઈલ્યાસભાઈ ઝંઘારીયા, ઈરફાનભાઈ મેલા તેમજ  ગ્રામજનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે આયોજકોએ જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર માત્ર પર્યાવરણનું જ સંરક્ષણ કરતું નથી, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ જીવન આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ માટે પ્રેરિત થાય તેવા શુભ આશય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

HAJIYANI HAMIDABEN ABDULLAHMASTER KHANDHIYA [Mother of Mahyuddin Khandhiya] passed away at South Africa. Inna Lillahe Wainna Ilayhe Rajuen. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush.

Sitting arrangement in Tankaria @ Mahyuddin Khandhiya Home. 

ટંકારિયા સ્થિત M.A.M. Primary English Medium School અને M.A.M. High School ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી વિદ્યાર્થી પરિષદ (Student Council) ની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું.
ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા અને શિસ્તબદ્ધ રીતે યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી. મતદાન દરમિયાન ગુપ્ત મતદાન પદ્ધતિનું પાલન કરવામાં આવ્યું અને ચૂંટણીનું સમગ્ર આયોજન શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું.
શાળાના પ્રમુખશ્રી ઈશાક મંહમદ પટેલે પણ ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું.

શાળાના આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી માત્ર પ્રતિનિધિઓની પસંદગી નથી, પરંતુ વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયા, નેતૃત્વ, સહકાર અને જવાબદારીનો વ્યવહારુ અનુભવ કરાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકમંડળ, સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો. તારીખ :૧૩/૦૭/૨૦૨૬ને સોમવારના રોજ મતગણતરી કરવામાં આવશે અને વિદ્યાર્થી પરિષદનું (Student Council) પરિણામ જાહેર કરવા આવશે.

AAYESHABEN ABDULLAH BHAGAT passed away…………..Inna Lillahe………….Namaj e janaja will held at Bhadbhag graveyard at 10am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. 

YAKUB VALI GHODIWALA [PANDYA] has passed away………………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. He was burried at Hashamshah [RA] graveyard at 10am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen….

તા.5/7/2026 ને રવિવાર ના રોજ મદની શીફાખાના દવાખાના માં ફુલ બોડી સ્કેનિંગ ટેસ્ટ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આશરે 54 દર્દીઓ એ લાભ લીધો હતો. આ કેમ્પમાં તમારી આખા શરીરનો સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે છે, અને તમને જે પણ પ્રકારની તકલીફ ટેસ્ટમાં ડિટેકટ થાય તેની સારવાર કરવામાં આવે છે. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના ખાદીમોએ ઉભા પગે લોકોને મદદ કરી હતી.
બીજા 65 દર્દીઓ જે બાકી છે તેમને આવતા રવિવારે ચેકઅપ કરવામાં આવશે.

ટંકારીઆ સ્થિત એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ તથા એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત તા. ૦૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ધોરણ ૮ થી ૧૦ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને ઉચ્ચ શિક્ષણ અંગેના વિશેષ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલ રઝ્ઝાક સાહેબ દ્વારા પવિત્ર કુરઆનની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ હાજી ઇશાક મહમદ પટેલ, યાકુબભાઈ બોડા તેમજ આમંત્રિત મહાનુભાવો નાસીરભાઈ લોટીયા અને ઝાકીરભાઈ ઉમટા દ્વારા ઉપસ્થિત મહેમાનો અને નિષ્ણાતોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Aakash Institute JEE & NEET Coaching Instituteના અનુભવી શિક્ષકો અને કારકિર્દી માર્ગદર્શકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે NEET અને JEE જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ ધોરણ ૧૨ પછી આવે છે, પરંતુ વિદ્યાર્થીઓ યાદ રાખે—સફળતાની પરીક્ષા ધોરણ ૧૨થી શરૂ થતી નથી; સફળતાની તૈયારી તો ધોરણ ૮થી જ શરૂ થઈ જાય છે!

આજે તમે જે વાંચો છો, જે શીખો છો, જે મહેનત કરો છો અને જે શિસ્ત તમારા જીવનમાં વિકસાવો છો, તે જ આવતીકાલે તમારા સપનાઓને સાકાર કરવાની શક્તિ આપે છે. ડૉક્ટર બનવાનું સ્વપ્ન હોય કે એન્જિનિયર બનવાનું—દરેક મોટી સફળતાની શરૂઆત એક નાનકડા નિર્ણયથી થાય છે: “હું આજે જ શરૂઆત કરીશ!”

AAKASH Instituteના અનુભવી શિક્ષકો અને કારકિર્દી માર્ગદર્શકોએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે ધોરણ ૮થી ૧૦નો સમયગાળો જીવનનો અત્યંત મહત્વપૂર્ણ સમય છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓએ પોતાના રસ અને ક્ષમતાને ઓળખવી, પોતાના લક્ષ્યાંકો નક્કી કરવા અને યોગ્ય માર્ગદર્શન સાથે શિક્ષણનો મજબૂત પાયો તૈયાર કરવો જોઈએ.

વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો—NEET કે JEEનો તણાવ ધોરણ ૧૨માં શરૂ થવો જોઈએ નહીં; તેની તૈયારી તો આજથી જ તમારી સમજણ, તમારી શિસ્ત અને તમારી સતત મહેનતથી શરૂ થવી જોઈએ. જ્યારે પાયો મજબૂત હોય, ત્યારે ઊંચી ઇમારત ઊભી કરવામાં ભય રહેતો નથી.

આજે કરેલી એક કલાકની સાચી મહેનત, આજે શીખેલી એક નવી બાબત અને આજે લીધેલું એક નાનું પરંતુ સાચું પગલું—આ બધું મળીને આવતીકાલની મોટી સફળતા બનાવે છે. તેથી તમારા સપનાઓને માત્ર સપના ન રહેવા દો. તેમને લક્ષ્ય બનાવો. લક્ષ્યને આયોજનમાં ફેરવો. આયોજનને મહેનતમાં બદલો અને મહેનતને સફળતામાં પરિવર્તિત કરો.

તમારા સપનાઓ મોટા રાખો, શરૂઆત આજથી કરો, સતત આગળ વધો અને ક્યારેય હાર ન માનો. કારણ કે જે વિદ્યાર્થી આજે પોતાના ભવિષ્ય માટે મહેનત કરે છે, તે જ આવતીકાલે પોતાના ભવિષ્યને ઘડવાની શક્તિ ધરાવે છે!

તેમણે ખાસ કરીને ધોરણ ૧૨ પછી યોજાતી JEE, NEET જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એન્જિનિયરિંગ, મેડિકલ, CA તથા અન્ય વ્યાવસાયિક ક્ષેત્રોમાં ઉપલબ્ધ ઉજ્જવળ કારકિર્દીની તકો અંગે વિસ્તૃત અને માહિતીસભર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, સ્પર્ધાત્મક યુગમાં સમયનું યોગ્ય આયોજન, સતત મહેનત, યોગ્ય દિશામાં તૈયારી અને આત્મવિશ્વાસના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

શાળાના સ્માર્ટ બોર્ડ/પ્રોજેક્ટરના માધ્યમથી વિવિધ કારકિર્દી ક્ષેત્રો અંગે આકર્ષક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ અભ્યાસ, પ્રવેશ પ્રક્રિયા, વિવિધ કોર્સિસ અને ભવિષ્યના આયોજન અંગે ઉપયોગી તથા વ્યવહારુ માહિતી પ્રાપ્ત થઈ હતી.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે યોજાયેલ પ્રશ્નોત્તરી સત્ર રહ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના સચોટ, સરળ અને પ્રેરણાદાયી જવાબો Aakash Instituteના નિષ્ણાતોએ આપ્યા હતા. આ ચર્ચા દરમિયાન મહત્વપૂર્ણ અને રસપ્રદ પ્રશ્નો પૂછનારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને Aakash Institute તરફથી વિશેષ ભેટો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રસંગોપાત શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક મહમદ પટેલે આ પ્રકારના માર્ગદર્શક અને દિશાદર્શક કાર્યક્રમના આયોજન બદલ Aakash Instituteના નિષ્ણાતો તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરીને સતત પરિશ્રમ, શિસ્ત અને સમર્પણના બળે સફળતાના શિખરો સર કરવા પ્રેરિત કર્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવાર માટે અત્યંત જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શક સાબિત થયો હતો. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને માત્ર માહિતી જ નથી આપતા, પરંતુ તેમના સપનાઓને સાકાર કરવા માટે નવી દિશા અને આત્મવિશ્વાસ પણ પ્રદાન કરે છે.

Career Guidance |Aakash | M.A.M. School | TANKARIA |ટંકારીઆ| કારકિર્દી માર્ગદર્શન સેમિનાર |

કાર્યક્રમના Video નો ભાગ-૦૧ જોવા માટે  ઉપર આપેલ લિંક પર ક્લિક કરો

 

આજરોજ મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહમાં શેહઝાદ ઇલ્યાસ મુન્શી [જંગારીયા] નો નિકાહનો પ્રોગ્રામ જુમા ની નમાજ બાદ યોજવામાં આવ્યો હતો. રિસ્તેદારો, મિત્રો તથા શુભચિંતકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શેહઝાદના નિકાહ ફરહીન બિલાલ મેલા સાથે થયા હતા. 
ઇલ્યાસ યુનુસ જંગારીયાને ખુબ ખુબ મુબારકબાદ પાઠવીએ છીએ.

1 3 4 5 6 7 426