1 2 3

Haji Yakubbhai Kapadia [Father of  Inayatullah & Salim Kapadia] passed away…………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLA [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen. 

આજે સાંજે માંહે રબીઉલ અવ્વલ નો ચાંદ નજરે પડ્યો છે. એટલેકે ૧૨ રબીઉલ અવ્વલ [ઈદ એ મિલાદુન્નબી] તારીખ ૦૯/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ મનાવવામાં આવશે. આજે રાત્રે ઈશાની નમાજ બાદથી ૧૨ માં ચાંદ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં બયાનો નો દૌર શરુ થશે. ગામના પાદર, બઝાર, મસ્જિદો તથા ઘેરે ઘેર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવશે.

આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ અને રિસર્ચ સેન્ટર અને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત “મદની શિફાખાના” ના સહયોગથી “મદની શિફાખાના” ટંકારિયામાં સ્ત્રી રોગો અને બાળ રોગો માટે મફત કેમ્પનું આયોજન તારીખ ૨૯.૯.૨૦૨૨ ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. આ કેમ્પ નો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે.
આ કેમ્પમાં દરેક પ્રકારના સ્ત્રી રોગોથી પીડાતી બહેનો તથા બાળ રોગોથી પીડાતા બાળકોને મફત તપાસવામાં આવશે, એટલુંજ નહિ પણ તેમને પ્રાથમિક દવાઓ પણ મફત માં આપવામાં આવશે.
સ્ત્રી રોગથી પીડાતી બહેનો તથા બાળ દર્દીઓ આ કેમ્પમાં આવી પોતાની સારવાર કરાવી આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય મેળવવા અનુરોધ કરવામાં આવે છે.

અસ્સલામુ અલયકુમ
આથી ટંકારીઆ ગામના તમે ભાઈ બહેનોને જણાવવાનું કે હાલ નાના બાળકો ને ઉઠાવવાની ગેંગ સક્રિય હોવાથી દરેક વાલીએ પોતપોતાના નાના બાળકોને મદ્રસ્સા તથા સ્કૂલમાં જાતે લેવા તથા મુકવા જાતે જવાની વિનંતી કરીએ છીએ. તેમજ ગામમાં કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તેના વિશે ગ્રામ પંચાયતને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. પરિસ્થિતિને દયાન માં રાખીને દરેક ગામવાસીએ જાગૃત રહી ગામમાં સલામતી રહે એનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ જોતા બહારથી આવનાર ભિખારીઓ ઉપર ગામ પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે છે એટલે મહેરબાની કરી હાલમાં ટંકારીઆ ગામમાં કોઈ પણ ભિખારીએ પ્રવેશ કરવો નહિ. ગામ ની સલામતીને ધ્યાનમાં રાખીને ગામના તમામ લોકોને સહકાર આપવા નમ્ર વિનંતી છે.
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા
સરપંચ
ગ્રામ પંચાયત ટંકારીઆ 

આજ રોજ વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટર અને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સહયોગથી ટંકારીઆ ગામમાં સ્ત્રી રોગો અને બાળ રોગો માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગોના નિષ્ણાંત) ડો. શબાના પટેલ અને પીડિયાટ્રિશ્યન (બાળ રોગોના નિષ્ણાંત) ડો. મોહસીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં ટંકારિયા તેમજ અન્ય નજીક નાં ગ્રામ્યજનો એ લાભ લીધો હતો.. આરોગ્ય લક્ષી આ કેમ્પ માં દરેક પ્રકારના સ્ત્રી રોગોથી પીડાતી બહેનો તથા બાળ રોગોથી પીડાતા બાળકોની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી તેમજ દવાઓ પણ મફત આપવામાં આવી…

MUMTAZBEN BASIR PAYA passes away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard after Zohar prayer. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen. 

આજરોજ તારીખ ૧૬/૦૯/૨૦૨૨ ને શુક્રવારના રોજ પ્રાથમિક કુમારશાળા (મુખ્ય) ટંકારિયામાં ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ તથા સુપોષણ માહ સપ્તાહની ઉજવણી નિમિતે ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરપંચ ઝાકીર ઇસ્માઇલ ઉમતા તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર, માજી સરપંચ આરીફ પટેલ તથા સામાજિક આગેવાન ઉસ્માન લાલન તથા બ્રાન્ચ કુમાર તથા કન્યાશાળાના આચાર્ય શ્રી તેમજ આંગણવાડી બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન પ્રાથમિક કુમારશાળાના આચાર્ય ના હસ્તે પ્રશિષ્ટપત્ર ગ્રામ વિકાસથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ઉન્નત કાર્યમાં આપેલ અનન્ય પ્રદાન બદલ ગામના સરપંચને આપી સન્માનિત કર્યા હતા. જે બદલ હું પ્રાથમિક કુમારશાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પ્રશિષ્ટપત્ર મારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. અને ભવિષ્યમાં પણ વધુ વેગથી ટંકારીઆ ગામનો સર્વાંગી વિકાસ થાય એ માટેના તમામ પ્રયત્નો કરીશ.
સરપંચશ્રી
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા

HAJIYANI ZAIBUNNISHA VALIMASTER BHUTA [Mother of Hanif [KK], Zakir, Mehbub Bhuta] Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 8am tomorrow.

1 2 3