1 2 3 6

આજે સાંજે માંહે રબીઉલ અવ્વલ નો ચાંદ નજરે પડ્યો છે. એટલેકે ૧૨ રબીઉલ અવ્વલ [ઈદ એ મિલાદુન્નબી] તારીખ ૦૯/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ મનાવવામાં આવશે. આજે રાત્રે ઈશાની નમાજ બાદથી ૧૨ માં ચાંદ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં બયાનો નો દૌર શરુ થશે. ગામના પાદર, બઝાર, મસ્જિદો તથા ઘેરે ઘેર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવશે.

આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ અને રિસર્ચ સેન્ટર અને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત “મદની શિફાખાના” ના સહયોગથી “મદની શિફાખાના” ટંકારિયામાં સ્ત્રી રોગો અને બાળ રોગો માટે મફત કેમ્પનું આયોજન તારીખ ૨૯.૯.૨૦૨૨ ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. આ કેમ્પ નો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે.
આ કેમ્પમાં દરેક પ્રકારના સ્ત્રી રોગોથી પીડાતી બહેનો તથા બાળ રોગોથી પીડાતા બાળકોને મફત તપાસવામાં આવશે, એટલુંજ નહિ પણ તેમને પ્રાથમિક દવાઓ પણ મફત માં આપવામાં આવશે.
સ્ત્રી રોગથી પીડાતી બહેનો તથા બાળ દર્દીઓ આ કેમ્પમાં આવી પોતાની સારવાર કરાવી આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય મેળવવા અનુરોધ કરવામાં આવે છે.

અસ્સલામુ અલયકુમ
આથી ટંકારીઆ ગામના તમે ભાઈ બહેનોને જણાવવાનું કે હાલ નાના બાળકો ને ઉઠાવવાની ગેંગ સક્રિય હોવાથી દરેક વાલીએ પોતપોતાના નાના બાળકોને મદ્રસ્સા તથા સ્કૂલમાં જાતે લેવા તથા મુકવા જાતે જવાની વિનંતી કરીએ છીએ. તેમજ ગામમાં કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તેના વિશે ગ્રામ પંચાયતને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. પરિસ્થિતિને દયાન માં રાખીને દરેક ગામવાસીએ જાગૃત રહી ગામમાં સલામતી રહે એનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ જોતા બહારથી આવનાર ભિખારીઓ ઉપર ગામ પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે છે એટલે મહેરબાની કરી હાલમાં ટંકારીઆ ગામમાં કોઈ પણ ભિખારીએ પ્રવેશ કરવો નહિ. ગામ ની સલામતીને ધ્યાનમાં રાખીને ગામના તમામ લોકોને સહકાર આપવા નમ્ર વિનંતી છે.
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા
સરપંચ
ગ્રામ પંચાયત ટંકારીઆ 

1 2 3 6