સમગ્ર ભારતમાં આજે બકરી ઈદ ની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ટંકારીઆ નગરમાં બકરી ઈદ ની ઉજવણી કોમી એખલાસ સાથે શાંતિ પૂર્વક કરવામાં આવી હતી. સમગ્ર મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાજ વહેલી સવારે અદા કરી હતી તેમજ સરકારના કોરોના મહામારીના ના બહાર પડેલા જાહેરનામા અનુસાર સોસીઅલ ડિસ્ટન્સ જાળવી એકબીજાને ઈદની મુબારક્બાદીઓ પાઠવી હતી. પાલેજ મથકના પી. એસ. આઈ. રજીયાએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સવારથીજ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવો દીધો હતો. આમ ટંકારીઆ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બકરી ઈદની ધામધૂમથી શાંતિભર્યા વાતાવરણમાં ઉજવણી કરી હતી.

Salim Haji Vali Chavdi [Brother of Molvi Shafiq Chavdi] passed away………. Inna lillahe wainna ilayhe rajeun. He was buried at Hashamshah [R] graveyard at 9.30 am today. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.

આજે જ્યાં જ્યાં ઈદુલ અદહા ની ઉજવણી કરી રહ્યા છે તે તમામ ભાઈ બહેનોને ઈદ ની ખુબ ખુબ મુબારકબાદ. અલ્લાહ તમામ ને ઈદ ની ખુશીઓ વારંવાર અતા ફરમાવે. આમીન.

ભરૂચ તાલુકાના ટંકારીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી…
આગામી બુધવારના રોજ મુસ્લિમ સંપ્રદાયના બકરી ઈદના પર્વ નિમિત્તે ટંકારીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. પી. રજ્યાએ બકરી ઈદ પર્વ કોમી એખલાસ, ભાઈચારા તેમજ સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવવા ખાસ અપીલ કરી હતી.

સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા પશુઓની કતલ ન કરવા સૂચના આપી હતી. જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. શાંતિ સમિતિની બેઠકમાં ટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ આરીફ પટેલ, સદસ્યો તેમજ ગામ આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત સરપંચ સહિત ગામ આગેવાનોએ પૂર્ણ સહકારની ખાત્રી આપી હતી…