ટંકારીઆમાં ઈદ ઊલ અદહા ની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થઇ

સમગ્ર ભારતમાં આજે બકરી ઈદ ની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ટંકારીઆ નગરમાં બકરી ઈદ ની ઉજવણી કોમી એખલાસ સાથે શાંતિ પૂર્વક કરવામાં આવી હતી. સમગ્ર મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાજ વહેલી સવારે અદા કરી હતી તેમજ સરકારના કોરોના મહામારીના ના બહાર પડેલા જાહેરનામા અનુસાર સોસીઅલ ડિસ્ટન્સ જાળવી એકબીજાને ઈદની મુબારક્બાદીઓ પાઠવી હતી. પાલેજ મથકના પી. એસ. આઈ. રજીયાએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સવારથીજ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવો દીધો હતો. આમ ટંકારીઆ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બકરી ઈદની ધામધૂમથી શાંતિભર્યા વાતાવરણમાં ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*