હાલમાં ધોધમાર વરસાદ ફરીથી ચાલુ થઇ ગયો છે. અને સતત વરસાદ વરસી રહ્યો છે. અલ્લાહ રહેમ ફરમાવે. અને નુકશાની થી બચાવે એવી દુઆ કરવાની દરખાસ્ત. આજ પરિસ્થિતિ અગર ચાલુ રહેશે તો નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. અલ્લાહ તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં આફિયાત ભરેલો વરસાદ નાઝીલ કરે. આમોન.

ગતરોજ સતત વરસી રહેલા વરસાદ ને કારણે ભૂખી ખાડી છલોછલ થઇ જતા વરસાદ ના પાણી ટંકારીઆ ના પાદરમાં પણ ભરાયા હતા. ગતરોજ મગરીબ વખતથી પાદર ભરાવવાનું શરુ થઇ ગયું હતું. અને હમણાં આજે બીજા દિવસે સાંજના ૪ વાગ્યે પણ હજુ પાણી છે. જે ધીરે ધીરે ઉતારતું નજરે પડે છે. તળાવ નું પાણી પણ તળાવ છલોછલ થઇ જવાને કારણે પાદરમાં ઘુસી આવ્યું હતું. જેથી હજુ સુધી પાણી પૂરું ઉતારવાનું નામ લેતું નથી. આ માટે કાઁશ ની સફાઈ પણ જરૂરી છે જેને પંચાયત દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સાફ થઇ નથી પણ લગભગ દિવાળી પછી સાફ કરવાની બાંહેધરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. સદ્દનસીબે મસ્જિદ માં પાણી ઘુસ્યા નહતા.