હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ દ્વારા તેમના પુત્ર ઇસ્માઇલ અલૈહિસ્સલામ ની  ત્યાગ બલિદાન અને સમર્પણ ની યાદ ને તાજી કરતા ઈદુલ અદહા પર્વની ટંકારીઆ સહીત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ ખુબજ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદુલ અદહા પર્વ નિમિતે સવારમાં ટંકારીઆ ની જામા મસ્જિદ સહીત વિવિધ મસ્જિદોમાં ઈદ ની વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાના ગળે મળી ઈદ ની મુબારકબાદી પેશ કરી હતી. જામા મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે દેશ અને દુનિયામાં અમન, ભાઈચારો અને શાંતિ કાયમ રહે તે માટે દુઆઓ ગુજારી હતી. તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ના ઇમામ સાહેબ હાફેઝ કારી સલીમ સાહેબે તથા પાટણવાળા બાવા સાહેબે પણ અમન અને શાંતિ ની દુઆએ ગુજારી હતી. તથા ટંકારીઆ ગામની અન્ય મસ્જિદોમાં પણ અમન, શાંતિ ની દુઆઓ ગુજારી હતી. તેમજ ટંકારીઆ તથા પંથકના ગામો જેવાકે કંબોલી, વરેડીયા, સાંસરોદ, સીતપોણ, મેસરાડ વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદુલ અદહા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

આ પર્વ દરમ્યાન પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલે ટંકારિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને ખુબજ શાંતિપૂર્ણ માહોલમાં ઈદુલ અદહા પર્વની ઉજવણી થઇ હોવાના અહેવાલ સાંપડ્યા છે. ગામના સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન, જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તમામ બિરાદરોને ઈદ શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા.

આજે ઈદ મનાવતા તમામ ભાઈ બહેનોને ઈદ ઉલ અડહા મુબારક. સમગ્ર ભારત માં આવતી કાલે ઈદ ની ઉજવણી કરવામાં આવશે. હાલમાં વરસાદ પાડવાનું ચાલુ છે અને પાદર માં ધીમે ધીમે ફરીથી પાણી ભરાવાનું શરુ થઇ ગયું છે. અલ્લાહ તઆલા રહેમ ફરમાવે. અને આફિયાટ ની સાથે ઈદ ની ખુશિયાં અતા ફરમાવે. આમીન. અતિભારે વરસાદને પગલે સતત ચોથી વખત ચાલુ સીઝનમાં પાણી પાદરમાં ભરાયા છે.

Faizan Altaf Abdulmajid godar passed away in Tankaria….inna lillahe wainna ilayhe rajeun. Namaz-e- Janazah will be held at Hasham Shah at 3pm. May Allah SWT give him a place in Jannat-ul-Firdaus. Aameen.

DaudBhai Mohmmed Khandhia (Post Master) passed away in Tankaria. Inna lillahi wainna ilayhe rejeun. Marhoom Dawood Bhai was a social activist and a well known writer ,poet and columnist in Anjuman Voice monthly magazine.He took active part in most Gujarati Mushairas. May Allah Almighty bless him and bestow him high status in Jannatul Firdosh. Aameen.

આગામી આવતા બકરી ઈદ ના તહેવારને અનુલક્ષીને આજરોજ ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચના ડી.વાય.એસ.પી. વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડી.વાય.એસ.પી. સાહેબે શાંતિ પૂર્વક ઈદ નો તહેવાર મનાવવાની હાકલ કરી હતી. આ બેઠકમાં પાલેજ ના પી. આઈ. જે. જે. પટેલ સાહેબ તથા પાલેજ પોલીસ હાજર રહી હતી. તદુપરાંત ગામના સરપંચ આરીફ પટેલ , ઘોડી ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા પંચાયત ના સદસ્યો અને ગ્રામ જનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.