One of our Tankarvi Dr. Mohmedmohsin Mustak Rakhda has attended 4th Annual National conference of MetaMedicon 2025 from 19th December to 21st December 2025 held at Vadodara as a DELEGATE. Gujarat Medical council has granted 10 Credit hours for participation in this conference. In that Dr. Mohmedmohsin Rakhda is one of delegate. 

Congratulation Dr. Mohmedmohsin Rakhda. 

HAJI ABDULLAH MASTER ALLI KHANDHIYA [FATHER OF MAHYUDDIN KHANDHIYA] passed away………………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard after ISHA praye. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen….

ભરૂચ તાલુકાના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનામાં ટ્રસ્ટ તથા પારુલ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ આર્યુવેદિક નિદાન શિબિર તેમજ વિદેશથી માદરે વતન પધારેલા NRI મિત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું તથા આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનું ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સામજિક કાર્યકર અબ્દુલ કામથી, ગુલામભાઇ ઇપલી તેમજ યુ કે સ્થિત ઈમ્તિયાઝ પટેલ, ઇકબાલભાઇ ધોરીવાલાએ તથા ડો. યુસફભાઇ ખોડા સાહેબે સંસ્થા દ્વારા પ્રદાન કરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે હાજરજનોને સુંદર ચિતાર આપ્યો હતો.

આયોજિત નિઃશુલ્ક સર્વ રોગ આર્યુવેદિક નિદાન શિબિરનો દર્દીઓએ લાભ લીધો હતો. વડોદરા પારૂલ આર્યુવેદિક હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. આયોજિત સર્વ રોગ આર્યુવેદિક નિદાન શિબિરમાં 100 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. વિવિધ રોગોના દર્દીઓને તબીબોએ તપાસી જરૂરી માર્ગદર્શન આપી તેઓને દવાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિદેશથી પધારેલા ઐયુબભાઈ મીયાંજી, ઈકબાલ ધોરીવાળા, ડો.યુસુફ ખોડા, મોહસીનભાઈ લારીયા, મૂળ વરેડીયાના પરંતુ હંમેશા પોતાની ઓળખ ઈમ્તિયાઝ ટંકારવી તરીકે આપતા ઈમ્તિયાઝભાઈ ટંકારવી, હબીબભાઇ ભુતા તેમજ ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, ડે. સરપંચ સફવાન ભુતા, અબ્દુલ્લાહ ટેલર, સૈયદ સલીમબાવા, રતિલાલભાઈ પરમાર, નાસીરહુસેન લોટીયા, ગુલામભાઇ ઇપલી, મુસ્તાક સાપા [સ્પિનર] તેમજ ગામના વડીલો અને નવયુવાનો હાજર રહ્યા હતા.
અંતમાં આભારવિધિ સાથે કાર્યકમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો…
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

ઈમ્તિયાઝભાઈ ટંકારવીના ખાસ પ્રશંસકનો ફોટો નીચે છે.

દસથી અગિયાર જેટલા ગામોની શાળાઓના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો…

ભરૂચના ટંકારીયા સ્થિત મુસ્તુફાબાદ [ખરી] મેદાન પર ગ્રામ પંચાયત ટંકારીયા દ્વારા શિયાળુ રમતોત્સવ 2025  કાર્યકમ યોજાયો હતો. સૌ પ્રથમ ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચે રમતોત્સવની મશાલ પ્રગટાવી પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત અતિથિઓનું ટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તરફથી પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં લગભગ 10 થી 11 જેટલા ગામોની  શાળાઓના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોત્સવમાં વિવિધ રમતો જેવી કે સિક્કા શોધ, મટકા ફોડ, દેડકા દોડ, ૫૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, ક્રિકેટ, કબડ્ડી,ખો ખો, ગોળા ફેંક, બરછી ફેંક, જેવી રમતો યોજાઇ હતી. આયોજિત રમતોમાં શાળાના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. છાત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે વિવિધ રમતોમાં વિજેતા શાળાના છાત્રોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગ્રામ પંચાયતના ઉપસરપંચ સફવાન ભૂતાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે શિયાળુ રમતોત્સવ કાર્યકમમાં અલગ અલગ ગામોની દસ થી અગિયાર જેટલી શાળાઓના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના છાત્રોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ એક નવીન પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણા છાત્રોની ભણતર સાથે ફિટનેસ પર ધ્યાન આપવામાં આવે અને તેમને જણાવ્યું હતું કે આવનાર રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિન નિમિતે ગામની તમામ શાળાઓનો ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો આજ ગ્રાઉન્ડ પર સામુહિક રીતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ મંગાભાઇ વસાવા તથા ઉપસરપંચ સફવાન ભુતા સહિત NRI મિત્રો તથા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાહીદાબેન પટેલ દ્વારા ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. અંતમાં ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાએ તમામ હાજરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.