ટંકારીઆમાં મસ્જીદે સિદ્દીકે અકબરનો ઇફ્તેતાહ પ્રોગ્રામ યોજાયો
કસ્બા ટંકારીઆમાં નાના પાદર વાંતરસ રોડ ઉપર એકદમ નવી બંધાયેલી મસ્જિદ – મસ્જીદે સિદ્દીકે અકબરનો ઇફ્તેતાહ પ્રોગ્રામ આજરોજ અસર ની નમાજ પઢી કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી ફૈઝીયાબ થયા હતા.
આ અઝીમુશ્શાન પ્રસંગે વયોવૃદ્ધ મૌલાના વ મુફ્તી સૈયદ કમરુદ્દીન પીરઝાદા સાહેબ પધારી તેમના તથા ભરૂચ થી પધારેલા આફ્તાબ બાવા સાહેબ તેમજ પાટણવાળા બાવાસાહેબ અને જામા મસ્જિદના ખાતીબો ઇમામ મૌલાના અબ્દુર્રઝાક સાહેબના વરદ હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અસર ની નમાજ જમાત સાથે આ મસ્જિદમાં અદા કરવામાં આવી હતી. બાદમાં મુખ્તસર નાત શરીફ બાદ આ મસ્જિદના ઇમામ સાહેબે ખુસુસન દુઆ ફરમાવી, સલાતો સલામનો ગુલદસ્તો પેશ કરી પ્રોગ્રામની પુર્ણાહુતી થઇ હતી. બાદમાં મસ્જિદ બહાર ગ્રામજનોને ભેગા કરી વક્ફ બોર્ડના “ઉમ્મીદ” પોર્ટલ વિષે વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
પ્રોગ્રામ બાદ તમામ ગ્રામજનો ના મોઢે ખુશી ની છાલક વર્તાતી નજરે પડી હતી.





TANKARIA WEATHER





