ઇસ્લામ ધર્મ ના મહાન સ્થાપક હઝરત મુહમ્મદ [સલ્લલ્લાહો અલયહે વ સલ્લમ] નો વિલાદત નો દિવસ એટલેકે હિજરી માહ રબીઉલ અવ્વલ ની ૧૨ મી તારીખ જેને “ઈદ એ મિલાદ” થી પણ ઓળખવામાં આવે છે. જેની ઉજવણી અકીદતમંદો ધામધૂમ થી કરે છે જે અંતર્ગત આજે જુમ્મા ના દિવસે “ઈદ એ મિલાદ” ના સંયોગથી બેવડો આધ્યાત્મિક ઉલ્લાસ જોવા મળ્યો હતો.
આજે પરોઢિયે થી વિવિધ મસ્જિદોમાં લોકો ભેગા થઇ સલાતો સલામ, મનકબત પઢવાનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો. દરમ્યાન આ વખતે વૈશ્વિક મહામારી ચાલતી હોવાથી સરકારના આદેશ અનુસાર ધાર્મિક મેળાવડા, જુલુસ વગેરે પર પ્રતિબંધ હોય આ વખતે “ઈદ એ મિલાદ” નું જુલુસ મોકૂફ રાખવામાં આવ્યું હતું. અને સરકારની ગાઇડલાઇન મુજબ એકદમ સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ફજરની નમાજ બાદ પૈગમ્બર સાહેબના બાલ મુબારકની પવિત્ર જિયારત કરાવવામાં આવી હતી. અને ત્યાર બાદ સર્વત્ર મીઠાઈ વહેંચી કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારીઆ ગામની મસ્જિદોમાં પ્રથમ ચાંદ થી લઈને ૧૨ માં ચાંદ સુધી ઈશાની નમાજ બાદ પૈગમ્બર સાહેબના પવિત્ર જીવન પર રોશની પાથરવામાં આવી હતી. જેમાં ઐતિહાસિક જામા મસ્જિદમાં ખતીબ ઓ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી [ખલિફા એ શૈખુલ ઇસ્લામ] તથા પાદર વાળી મસ્જિદમાં હાંફીઝો કારી ઇમરાન અશરફીએ સતત ૧૨ દિવસ બયાનો કર્યા હતા અને ખિરાજે અકીદત અર્પણ કરવામાં આવી હતી.. આમ ટંકારીઆ તથા પંથકમાં એકદમ સાદાઈ પૂર્વક “ઈદ એ મિલાદ” ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ટંકારીઆ કસ્બામાં ગામના નવયુવાનોએ રંગબેરંગી લાઈટ ના તોરણોથી ગામને ઝગમગતું કરી દીધું હતું.

આપણા ગામમાં કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા “મદની શિફાખાના” ના નામથી લોકો માટે બિલકુલ નજીવા દરે સામાન્ય રોગોની સારવાર માટે (ઓ. પી. ડી.) દવાખાનાની સ્થાપના કરવાનું બીડું ઝડપ્યું છે. જેનો ઉદ્ઘાટન સમારંભ તારીખ ૫ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બેંક ઓફ બરોડા પાસે (ઇપલી ની દુકાન હતી ત્યાં) રાખવામાં આવેલ છે. આ દવાખાનામાં પ્રાથમિક તબક્કે બે ડોક્ટરો સેવા આપશે અને ધીમે ધીમે નિષ્ણાંત ડોક્ટરો ની પણ સેવાઓનો લાભ આપવામાં આવશે. એમ ટ્રસ્ટના કાર્યકર્તાઓ એક નિવેદનમાં જણાવે છે.

The Shaikhul Islam Trust, which operates in our village, has set up a hospital for the treatment of common ailments (OPD) for the people at a very nominal rate under the name of “Madani Shifakhana”. The inauguration ceremony is being held on November 5, 2020 near Bank of Baroda (where Ipli’s shop was). The hospital will have two doctors in the primary phase and gradually the services of specialist doctors will also be availed. The Trust activists said in a statement.

ગુજરાતના દરેક ક્રિકેટ ખેલાડીઓને મનગમતું અને જે મેદાન પર ક્રિકેટ રમવા ખેલાડીઓ થનગનતા હોય છે એવા ટંકારીઆ ગામના મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની તડામાર તૈયારીઓ પુરજોશમાં છે. આખા મેદાનને ટ્રેક્ટર દ્વારા લેવલીંગ કરી નાખ્યું છે અને હેવી રોલર ફેરવવા માટેના ચક્રો ગતિમાન થયા છે. એટલેકે થોડા દિવસોમાં ટુર્નામેન્ટ ની શરૂઆત થઇ જશે. જે ક્રિકેટ રમતા ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે.

The village of Tankaria, which caters to every cricketer in Gujarat and where the players are anxious of playing cricket. The whole field has been leveled by the tractor and the wheels for rotating the heavy roller have sped up. That means the tournament will start in a few days. Which is good news for cricket players and cricket lovers.

ટંકારીઆ કસ્બામાં તળાવ ની પાળે આરામ ફરમાવી રહેલા હઝરત જુમ્મનશાહ (રહ.) ના વાર્ષિક ઉર્સ ની ઉજવણી ના ભાગ રૂપે સંદલ નો પ્રોગ્રામ આજે હઝરત જુમ્મનશાહ (રહ.) ની દરગાહ પર પાટણવાલાબાવા સાહેબ ના સાનિધ્ય માં રાખવામાં આવેલો હતો. અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.