ગુમ થયેલ વ્યક્તિની દુઆ માટે અપીલ

ગામ ટંકારીયાના મસ્તાનભાઈ ઢબુ કે જેઓ હાલમાં ઉમરાહ કરવા માટે મક્કા મુકર્રમાં ગયા છે. તેમણે ઉમરાહ પણ કરી લીધો હતો ત્યારબાદ તેઓ છેલ્લા ૪-૫ દિવસથી પોતાના મુકામ પર આવ્યા ના હોવાથી તેમના ઉમરાહના સાથીઓ, ઇમરાન ગાંડા તથા મતિંન મનમન તથા ઇશાક ઢબુ દ્વારા સતત શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી એમનો કોઈ પતો મળ્યો નથી. તો આ થકી અમો આપ સૌને અપીલ કરીએ છીએ કે, આપ મસ્તાનભાઈ માટે તેમની સહીસલામતી ની દુઆ ગુજારશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*