ટંકારીઆમાં ભવ્ય મુશાયરાનું આયોજન

૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ટંકારીઆ ગામમાં ભવ્ય મુશાયરાનું આયોજન ઝાકીરહુસૈન ઇસ્માઇલ ઉમટા [માજી સરપંચશ્રી ટંકારીઆ] તથા ‘ટંકારીઆ યુવા કમિટી’ દ્વારા તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ રાત્રે ૯ વાગ્યે ટંકારીઆ સ્પોર્ટસ ક્લબ ગ્રાઉન્ડ (ખળી ગ્રાઉન્ડ) પર કરવામાં આવ્યું છે. આ ભવ્ય મુશાયરામાં ખ્યાતનામ કવિઓ જેવાકે ડૉ.રઈશ મનીઆર (સુરત), હર્ષવી પટેલ (બીલીમોરા), પ્રેમી દયાદરવી (યુ.કે), સૈયદ શકીલ ‘ઈનશા જન્નતી (સુરત), ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફે ‘ટંકારવી’(યુ.કે), ઈમ્તિયાઝ મોદી ‘મુસવ્વિર’, સાહિદ પ્રેમી (યુ.કે), અદમ ટંકારવી (યુ.કે), અઝીઝ ટંકારવી, ઈકબાલ ઉઘરાદાર (ટંકારીઆ), દર્દ ટંકારવી, યકીન ટંકારવી ઉપસ્થિત રહેશે. તો આપ તમામ સાહિત્યપ્રેમીઓને આ મુશાયરામાં પધારવા ભાવભીનું નિમંત્રણ આપવામાં આવે છે.

નોંધ: ઠંડીની મોસમ હોવાથી ગરમ વસ્ત્રો પહેરીને આવશો. પ્રોગ્રામ સમયસર શરૂ થઈ જશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*