સતત પાંચ દિવસથી વાદળછાયા વાતાવરણે લઈને ખેડૂતો ચિંતાતુર

અરબી સમુદ્રમાં મુંબઈની આસપાસ સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વાતાવરણ છેલ્લા પાંચ દિવસથી યથાવત રહેતા રવિ પાકોને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. કારણકે વાતાવરણ સતત વાદળછાયું જ રહે છે અને આવા વાતાવરણમાં ખેડૂતોના મતાનુસાર પાકોમાં ઈયળો પડી શકે છે જે ઉભા પાકને નુકશાન કરી શકે છે. કમોસમી વરસાદ વરસવાની સંભાવનાનો લઈને ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. તેમજ વાતાવરણના બદલાતા મિજાજ ને કારણે તાવ, શરદી, માથાના દુખાવા જેવી બાબતો પણ સામે આવી રહી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ભરૂચ જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સક્રિય થઇ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*