ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજથી શાંત થઇ જશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા રવિવારે યોજાશે જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. દરેકે દરેક ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી મતદારોના દ્વારે દ્વારે સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહેલા જણાયા છે. દરેક પક્ષના ઉમેદવારોએ અત્યારસુધીમાં મોટી મોટી રેલીઓ પણ કાઢી હતી. આજે સાંજથી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. અમો આ થકી દરેક ઉમેદવારને શુભકામનાઓ પાઠવીએ છીએ. આ ચૂંટણીની મતગણતરી બીજી માર્ચે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*