જાહેર અપીલ

ટંકારીઆ મસ્જિદના ટ્રસ્ટીઓ એક નિવેદનમાં તમામ ભાઈઓને જાહેર અપીલ કરી જણાવે છે કે કોરોના વાઇરસના પ્રકોપને લઈને સરકારના આદેશ અનુસાર જુમ્મા ની નમાજ મસ્જિદોમાં નહિ પઢવા માટે નો હુકમ કરવામાં આવતા તમામ ભાઈઓએ જુમ્મા ના સમયે ઝોહરની નમાજ પોતપોતાના ઘરે પઢવાનો અનુરોધ કરવામાં આવે છે. તો તમામે તમામ ભાઈઓ પોતાના ઘરે ઝોહરની નમાજ અદા કરી વિશ્વમાં ફેલાયેલી આ મહામારી થી અલ્લાહ પાસે રક્ષણ માટેની ખાસ દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*