1 50 51 52 53 54 876

આ પુસ્તકની કુટુંબ દીઠ એક કોપી લગભગ આખા ટંકારીઆ ગામમાં પહોંચાડવામાં આવી છે. વિદેશમાં પણ ટંકારવીઓ મારફત આ પુસ્તકની કેટલીક કોપી પહોંચી છે. આમ છતાં અત્યાર સુધી જે કુટુંબને આ પુસ્તક મળ્યું ના હોય, એવા ટંકારીઆ ગામમાં રહેતા લોકો જેઓ આ પુસ્તક મેળવવા ઈચ્છતા હોય તેઓ મારી પાસેથી આ પુસ્તક મેળવી શકે છે. અથવા મને મારા WhatsApp No. +919624039171 પર પોતાનું આખું નામ અને સ્ટ્રીટનું નામ લખી મોકલશો તો આપના ઘરે આ પુસ્તક પહોંચાડવામાં આવશે.

ટંકારીઆ ગામની બહાર રહેતા અને વિદેશમાં રહેતા ટંકારવીઓ તેમના ટંકારીઆમાં રહેતા સગા સંબંધીઓ, મિત્રો મારફતે આ પુસ્તક મારી પાસેથી મેળવી શકે છે. હવે મારી પાસે જૂજ કોપી બાકી છે. 

નાસીરહુસેન લોટીયા.

આજે ૧૦મી મહોર્રમ યાને યવમે આશુરા કે જે કરબલાની સરજમીન પર આપણા પ્યારા નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાનીસારોએ સત્ય કાજે શહાદત વહોરી હતી. તેમની યાદમાં યવમે આશુરાની ઉજવણી કરવામાં આવે છે. આજે સવારે ૮ વાગ્યેથી જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નફિલ નમાઝો, સલામ, અને દુઆઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો હાજર રહી ફૈઝીયાબ થયા હતા. ઠેર ઠેર શરબતની સબીલો પણ જોવા મળી હતી.

1 50 51 52 53 54 876