ચાલો ગઝલ શીખીએ

સંપાદક: નાસીરહુસેન લોટીયા.

ચાલો ગઝલ શીખીએ પુસ્તિકા Chalo Ghazal Shikhie

ચાલો ગઝલ શીખીએ પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો.

ગઝલ અને ગઝલના છંદો શીખવા માટે ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે જેમાંના કેટલાક પુસ્તકો વાંચવાનો મને મોકો મળ્યો છે. ગઝલ અંગેના કેટલાક પુસ્તકોમાં નવોદિતો ડરી જાય એવી ભાષામાં લાંબી લાંબી વાતો લખાયેલી જોવા છે. ‘ચાલો ગઝલ શીખીએ’  પુસ્તિકાનું કદ ફક્ત ૨૪ પેજમાં જ સમેટી લેવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ નવોદિતોની લઘુતાગ્રંથિ અને ડર દૂર થાય અને જેઓ ખરેખર ગઝલ લખવાની ઈચ્છા ધરાવે છે તેમને જરૂરી એવું પાયાનું જ્ઞાન મળી રહે તે છે. ગઝલના ભાવકો, રસિકો અને ગઝલ અંગે જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા બાળકોને  પણ આ પુસ્તિકા ગઝલ અંગેની સમજ મેળવવા ઉપયોગી થશે એવી આશા છે.

સંપાદક: નાસીરહુસેન લોટીયા.

5 Comments on “ચાલો ગઝલ શીખીએ

  1. ગઝલ લેખન શીખવા ઈચ્છુક નવોદિતો માટે ખાસ ૨૪ પાનાની નાનકડી પુસ્તિકા “ચાલો ગઝલ શીખીએ” ખૂબ જ જહેમત લઈ તૈયાર કરી જનાબ નાસીરહુસેન લોટીયાએ એક મોટું કામ કર્યું છે. ગમતાનો ગુલાલ કરવાની તેમની વૃત્તિ જ્ઞાનનો ગુલાલ કરતી રહે છે તે અભિનંદનને પાત્ર છે. વળી, ટંકારિયાની આવનારી પેઢી માટે તેમનું “ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં” નામક દળદાર પુસ્તક દસ્તાવેજ જેવું બની રહેશે. બંને પુસ્તકો માટે અભિનંદનસહ આમ, અન્ય નવાં પુસ્તકો આપતાં રહી સાહિત્ય અને સમાજની સેવા કરતા રહો એવી નાસીરહુસેનભાઈને શુભેરછાઓ.

    હર્ષવી પટેલ (કવયિત્રી, સાહિત્યકાર)

  2. ભાઈ શ્રી નાસીરહુસેન લોટીયા સાથે હમણાં જ પરિચયમાં આવવાનું બન્યું. બહુવિધ પ્રતિભા ધરાવતા યુવાન ટંકારીઆ જેવા નાના ગામમાં રહીને સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે. એમનું લખેલું ‘ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં’ નામનું પુસ્તક રસપ્રદ અને રોચક છે. વળી એમણે ‘ચાલો ગઝલ શીખીએ’ નામની એક પુસ્તિકા લખી છે માત્ર ૨૪ પાનામાં ગઝલ લખવાની કળા વિશે ‘ગાગરમાં સાગર’ ઉક્તિને સાચી ઠેરવે એ રીતે એમણે પોતાની સમજ ઠાલવી દીધી છે. મારા તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું અને એમનું આ પુસ્તક નવોદિતોને ખૂબ ઉપયોગી થાય એવું છે, એ હકીકતમાં મારો સૂર પુરાવું છું. 

    રઈશ મનીઆર
    કવિ, સાહિત્યકાર

  3. નવી સંપાદક ટીમ પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય બનીને કામ કરી રહી છે તેનું એક સુંદર ઉદાહરણ તે “ચાલો ગઝલ શીખીએ” એના પરથી જોઇ શકાય છે. હવે ગઝલ લખવા માંગતા યુવાન કવિઓને દૂર જવાની જરૂર નથી. આ સંપાદનમાંથી તેમને જરૂરી એવું માર્ગદર્શન મળી રહેશે. ગઝલ લખવાની કોશિશ કરનારાઓને ગઝલ લખી તેને અન્‍ય કવિમિત્રો પાસે વાંચવા-સંભળાવવાની અને જરૂરી ઇસ્લાહ મેળવવાની પણ તક મળી રહે એવું આયોજન પણ ચા-પાણી સાથે માસિક કે દ્વિમાસિક કવિ બેઠકો યોજીને કરવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે છે. આ માટે પાદરમાં લાયબ્રેરીનું જે મકાન છે તેના એકાદ રૂમનો કે હોલનો સંચાલકોનો સહયોગ મેળવી ઉપયોગ કરી શકાય. નવયુવાનો મોબાઇલમાં માથું ઘાલીને આમ જ બેસી રહેવાને બદલે કઇંક લખતા-વાંચતા-વિચારતા થાય તો બહુ સારું કહેવાય.

  4. અસ્સલામુ અલયકુમ.
    ગઝલ લેખનનો શોખ ધરાવનાર નવોદિતો માટે ખૂબ જ સરસ રીતે સંપાદન કરેલ છે. “ગાગરમાં સાગર” જેવી આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી નીવડશે. ગઝલના ભાવકો અને રસિકોને પણ મજા પડે એવી પુસ્તિકા. ગઝલના શોખીન મુરબ્બીઓ અને મિત્રો આ ઠકી ગઝલને વધુ સારી રીતે સમજી શકવાની ક્ષમતા કેળવી શકશે.
    ખૂબ ખૂબ મુબારકબાદી નાસીરભાઈ.
    મુબારક આદમ ઘોડીવાલા. (દર્દ ટંકારવી)

  5. OMG…..
    ટંકારીઆ રત્ન નાસીરહુસેન……
    નાસીરભાઈ, તારીફ માટે શબ્દો ખૂટી પડ્યા છે.
    આપની મહેનત, ઢગશ …. Salute છે.
    Once again I must repeat
    Generations of Tankarvis make Tankaria, THE GREAT TANKARIA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*