1 2 3 15

ટંકારીઆ ગામના ભવ્ય ઇતિહાસ પર નજર કરીએ તો આજે ખરેખર છાતી ઠોકીને ગર્વ સાથે કહી શકાય કે આ ગામના લોકોએ કરેલા અદ્ભુત કારનામાઓની નોંધ દેશ-વિદેશમાં સતત લેવાતી રહી છે. ટંકારીઆ ગામનું કોઈ પણ નાનું કે મોટું કામ આજ સુધી અધૂરું રહ્યું નથી—આપણા ઇતિહાસમાં એવું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. અંજુમન હોસ્પિટલ જેવું મહત્વનું તબીબી કાર્ય હોય, ગુસ્લ વાન જેવી ખિદમત હોય કે ભવિષ્યમાં થનારા તમામ ખૈર અને ભલાઈના પ્રયાસો—આ બધું આપણી એકતા, ભાઈચારા અને ફક્ત અલ્લાહ તઆલા પરના આપણા અટલ વિશ્વાસનું જીવંત પ્રમાણ છે.

અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં ફરમાવે છે, જેનો ભાવાર્થ છે:

જે લોકો અલ્લાહની રાહમાં પોતાના માલમાંથી ખર્ચ કરે છે, તેમનું ઉદાહરણ એવું છે જાણે કે એક દાણો છે જેનાથી સાત કળીઓ ઉગે છે, દરેક કળીમાં સો દાણા છે. અને અલ્લાહ જેને ઇચ્છે તેને વધારે આપે છે. અલ્લાહ વિશાળ કૃપાશીલ અને સર્વજ્ઞ છે. (સૂરહ અલ-બકરહ: ૨:૨૬૧)

અને બીજી જગ્યાએ ફરમાવે છે જેનો ભાવાર્થ છે:તમે ક્યારેય ભલાઈ (બિર્ર) સુધી પહોંચી શકશો નહીં જ્યાં સુધી તમે તેમાંથી ખર્ચ ન કરો જે તમને પ્રિય છે. અને જે કંઈ તમે ખર્ચો છો, અલ્લાહ તેને સારી રીતે જાણે છે. (સૂરહ આલે ઇમરાન: ૩:૯૨)

આપણે જે કંઈ કરીએ છીએ તે માત્ર લોકોના ભલા માટે જ નથી, પરંતુ અલ્લાહની રઝા અને તેની પ્રસન્નતા મેળવવા માટે છે. અલ્લાહ તઆલા આપણા દિલોની નિય્યતોથી સંપૂર્ણ વાકેફ છે. જે રબ માત્ર કુન (થઈ જા) કહેવાથી આખી કાયનાતને અસ્તિત્વમાં લાવી શકે છે, તેના ખજાનામાં ક્યારેય કોઈ કમી કે અછત નથી. અલ્લાહ તઆલાએ ટંકારીઆ ગામના લોકોને અને આખી દુનિયાના લોકોને ધન-દોલતથી નવાજ્યા છે, અને ઘણા દિલોમાં સખાવત, ઉદારતા અને ખિદમતની તૌફીક પણ અતા કરી છે, ત્યારે આવા એક નહીં પણ અનેક કામો આસાનીથી થઇ જશે.

રસૂલુલ્લાહ ફરમાવે છે જેનો ભાવાર્થ છે :  “સદકા (ખૈરાત)થી માલ ઓછો થતો નથી. (સહીહ મુસ્લિમ)

અને બીજી એક મુબારક હદીસમાં ઇર્શાદ ફરમાવે છે જેનો ભાવાર્થ છે:લોકોમાં સૌથી શ્રેષ્ઠ તે છે જે લોકો માટે સૌથી વધુ ફાયદાકારક હોય. (અલ-મુજમ અલ-ઔસત)

આથી આજે આપણી સૌની સૌથી મોટી જવાબદારી છે કે મારા, તમારા અને આપણા બધાના હિસ્સાની ફરજને પૂરી ઈમાનદારી, નિષ્ઠા અને ખુલૂસથી અદા કરીએ. એકબીજાનો હાથ પકડીને, સહકાર અને ભાઈચારાની મજબૂત ભાવનાથી આગળ વધીએ. ફક્ત અલ્લાહ તઆલા પર પૂર્ણ ભરોસો રાખીને, ગામના દરેક સારા કામમાં સક્રિય ભાગીદાર બનીએ. આવો, સબે બરાત આવી રહી છે ત્યારે ખાસ દુઆ કરીએ અને નક્કી કરીએ કે અલ્લાહ તઆલાની ખાસ મદદથી ટંકારીઆ ગામને ખૈર, ખિદમત, એકતા અને સમગ્ર ગામના લોકોની પ્રગતિનું એક અજોડ કેન્દ્ર બનાવવાની કોશિશ કરીશું. અલ્લાહ તઆલાથી દુઆ છે કે તે આપણા તમામ પ્રયત્નોમાં બરકત અતા ફરમાવે, ખુલૂસ અતા કરે, આપણી નિય્યતોને કબૂલ કરે, આપણા ગામને વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવે અને આપણને ફક્ત તેની રઝા મેળવવાની તૌફીક આપે. આમીન, યા રબ્બલ આલમીન.

(નોંધ: બિલ્ડીંગ કે વ્હીકલના રજીસ્ટ્રેશન માટે કોઇપણ એક નોંધાયેલી સંસ્થાની આવશ્યકતા છે.)

ટંકારીઆના લોકો માટે ખાસ સંદેશ. (pdf ડાઉનલોડ કરી આપના સંપર્કમાં હોય એવા લોકોને મોકલશો)

A special message for the people of Tankaria on the eve of Shab-e-Barat.

If we examine the glorious history of Tankaria village, we can truly say with pride that the wonderful deeds done by the people of this village have been consistently recognised in the country and abroad. No small or big work of Tankaria Village has ever remained incomplete. Our history does not contain such an example. Whether it is important medical work, such as at Anjuman Hospital; services like Ghusl Van; or all the good works and efforts that will be done in the future, these are living proof of our unity and brotherhood. They show our unwavering faith in Allah Almighty alone.

Allah Almighty says in the Holy Quran, the meaning of which is the following:

“The example of those who spend from their wealth in the way of Allah is like that of a grain from which seven buds grow; in each bud there are a hundred grains. And Allah increases it to whom He wills. Allah is the Exalted, the Merciful, the All-Knowing.” (Surah Al-Baqarah: 2:261)

And in another place it is said, “You will never attain righteousness (birr) until you spend from it that which you love. And whatever you spend, Allah is well aware of it.” (Surah Al-Imran: 3:92)

Whatever we do is not only for people’s benefit but also to gain the pleasure of Allah and His pleasure. Allah is fully aware of our intentions. Allah, who can bring the entire universe into existence by just saying “Qun” (Be), never has any shortage or deficiency in His treasures. Allah Almighty has bestowed wealth on the people of Tankaria Village and the world. Allah has also given many hearts the ability for charity, generosity, and service. With this, not one but many such deeds will be done easily.

The Messenger of Allah ﷺ says, which means, “Charity (khairat) does not decrease wealth.” (Sahih Muslim)

And in another blessed hadith, he says, which means, “The best of people are those who are most beneficial to people.” (Al-Mujam al-Awsat)

Therefore, today the greatest responsibility of all of us is to fulfil our duties, yours and all of ours, with complete honesty, sincerity and openness. Let us move forward with a strong sense of cooperation and brotherhood, holding each other’s hands. Let us be active participants in every good work of the village, with full trust only in Allah Ta’ala. Let us make a special dua as the Sabe Barat is approaching and resolve that with the special help of Allah Ta’ala, we will try to make Tankaria village a unique centre of goodness, service, unity and progress for the people of the entire village. We pray to Allah Ta’ala that He may bless all our efforts; grant us openness; accept our intentions; make our village more prosperous and progressive, and grant us the ability to seek only His pleasure. Amen, Ya Rabbal Alamin.

A special message for the people of Tankaria
Please download the PDF file and share it with others.

તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એમ.એ.એમ. હાઇસ્કૂલના હોલમાં ખૂબ જ ઉત્સાહ  સાથે એન.આર.આઈ. ભાઈઓના સન્માનનો એક અભિનંદનીય કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત અત્યંત પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી, જેણે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર કરી દીધું. ત્યારબાદ વિદેશથી પધારેલા વિશિષ્ટ મહેમાનો – યાકુબભાઇ મુસા વરુ, સલીમભાઇ મુસા વરુ, સોએબભાઇ યાકૂબ ખોડા, બશીરભાઇ ઉમરજી હલાલત, સાદીકભાઇ પ્રો. વલીભાઇ ભડ અને અનવરભાઇ વલી ગોચાનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. એમ.એ.એમ. હાઇસ્કૂલમાં ‘સુપરવાઇઝર’ તરીકે ફરજ બજાવતા મુસ્તાક સાહેબે પોતાના પ્રાસંગિક તથા પ્રેરણાદાયી પ્રવચન દ્વારા મહેમાનોને હાર્દિક આવકાર આપ્યો. તેમણે એમ.એ.એમ. પ્રાયમરી ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ તથા હાઇસ્કૂલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ – સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા તથા અનુભવી સ્ટાફ વિશે વિસ્તૃત માહિતી આપી. આ ઉપરાંત એસ.એસ.સી. બોર્ડમાં શાળાના સતત ઉત્કૃષ્ટ પરિણામો, રમતગમત, વક્તૃત્વ સ્પર્ધાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ અંગે પણ તેમણે ગર્વભેર વર્ણન કર્યું. ઉપસ્થિત હાજરજનોએ એમના વક્તવ્યમાં સમાવિષ્ટ  શાળાની પ્રગતિના અહેવાલોને અવારનવાર તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. મહેમાનોએ શાળાના વર્ગોની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો.  

એમ.એ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે મહિલાઓ માટે સરકારી યોજના અંતર્ગત ચાલતા સીવણકામના વર્ગો તથા લોકફાળા દ્વારા સંચાલિત “અશરફી ટિફિન સર્વિસ” અંગે પણ આંકડાકીય વિગતો સાથે માહિતી પ્રદાન કરવામાં આવી. ખાસ ઉલ્લેખનીય છે કે “અશરફી ટિફિન સર્વિસ” માટે “ધી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે.” (TWS) દ્વારા આપવામાં આવેલા ઉદાર દાનથી ૩૩૩૩ જેટલા ટિફિન જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ અમૂલ્ય સહયોગ માટે કાર્યક્રમમાં TWSનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

કાર્યક્રમ દરમિયાન TWSના જાન્યુઆરી ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીના વાર્ષિક અહેવાલની નકલ TWSના ટ્રસ્ટી યાકુબભાઇ મુસા વરુ દ્વારા તથા ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના સંયુક્ત પ્રવૃત્તિ અહેવાલ (ટંકારીઆ બુકલેટ)ની નકલ સલીમભાઇ મુસા વરુ દ્વારા એમ.એ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશાક મુહમ્મદ પટેલને સ્નેહભાવ સાથે અર્પણ કરવામાં આવી. TWS સંસ્થાના વાર્ષિક અહેવાલોમાં ધી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. (TWS)ના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા એન.આર.આઈ. ભાઈઓ દ્વારા એમ.એ.એમ. ઈંગ્લીશ મિડિયમ હાઇસ્કૂલ અને ટંકારીઆ  ગામની અન્ય સંસ્થાઓની અવારનવાર કરવામાં આવતી મુલાકાતોના વિસ્તૃત વર્ણનો, તેમના અહેવાલો અને પ્રેરણાદાયી ફોટોગ્રાફ્સ સમાવિષ્ટ છે. આ વિસ્તૃત આકર્ષક અને પારદર્શી વાર્ષિક અહેવાલોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે જ્યારે ગામની વિવિધ સંસ્થાઓ એકબીજા સાથે પરસ્પર સંકલન, હાર્દિક સહયોગ અને સમર્પિત ભાવનાથી કાર્ય કરે છે, ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને સમયસર અને અસરકારક સહાય પહોંચી શકે છે. આવા સંયુક્ત પ્રયાસોના પરિણામો અત્યંત પ્રભાવશાળી, ટકાઉ અને હૃદયસ્પર્શી બને છે, જે સમાજના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ અહેવાલો માત્ર આંકડા અને વિગતો જ નહીં, પરંતુ સેવાની સાક્ષીરૂપ ફોટો અને વાસ્તવિક અનુભવો દ્વારા એકતા અને ઉદારતાની જીવંત ઝલક આપે છે.

THE TANKARIA WELFARE SOCIETY UK. ANNUAL REPORT 2024 The Tankaria Welfare Society UK – વર્ષ ૨૦૨૪ના વાર્ષિક રીપોર્ટની .pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

Tankaria Booklet- TWS UK Activity Report 2021-2024 ટંકારીઆ બુકલેટ – વર્ષ ૨૦૨૧-૨૦૨૪  સુધીનો  પ્રવુત્તિ અહેવાલ  (Activity Report) વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો.

કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઈ પટેલે બધાં મહેમાનોનો અને TWS સંસ્થાનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. અંતે અલ્પાહાર પછી મવલાના અબ્દુલરઝ્ઝાક અશરફીએ દુઆઓ ગુજારી હતી.

(આ કાર્યક્રમમાં TWSના પ્રમુખ ફારુકભાઇ ઉઘરાદાર, ઉપપ્રમુખ હબીબભાઇ ભુતા તથા ટ્રસ્ટી ઇકબાલભાઈ ધોરીવાલા B BUZZ Media Indiaના વલણ ગામ ખાતેના ૧૯/૦૧/૨૦૨૬ના લોન્ચિંગ કાર્યક્રમ અને અન્ય કામોની વ્યસ્તતાને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા.)

   

  

દુઃખદ સમાચાર

મર્હુમ હાજી હનીફ મુસા નાથલિયા (આંબાવાડી બસ સ્ટેન્ડ પાસે) અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે .إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ અલ્લાહ તઆલા મર્હુમને જન્નત-ઉલ-ફિરદોસમાં આલા દરજ્જો આપે અને પરિવારજનોને સબ્ર-એ-જમીલ અતા કરે. આમીન. મર્હુમની દફનવિધી આજે રાત્રે ૧૦:૦૦ કલાકે ભડભાગ કબ્રસ્તાનમાં થશે.

Marhum Haji Hanif Musa Nathaliya passed away .إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ. May Allah grant him all highest ranks of Jannat-ul-firdous and sabr-e- jameel to all family members. .آمين  Janaja Prayer will be held at Bhad Bhag Graveyard tonight at 10:00 pm.

મર્હુમ હનીફભાઈ ગુલામભાઈ મઢી (લાર્યા કોલોની, પાદરીયા રોડ) અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે .إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ અલ્લાહ તઆલા મર્હુમને જન્નત-ઉલ-ફિરદોસમાં આલા દરજ્જો આપે અને પરિવારજનોને સબ્ર-એ-જમીલ અતા કરે. આમીન. જનાજાની નમાઝ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે પીર હાશિમ શાહ કબ્રસ્તાનમાં થશે.

Marhum Hanif Gulambhai Madhi (Larya Colony, Padariya Road) has passed away. إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ May Allah grant him the highest ranks in Jannat-ul-Firdous and bestow sabr-e-jameel upon the family. Ameen. Janaja Prayer will be held at Peer Hashim Shah Graveyard on Monday 10:30 am.

1 2 3 15