Hajiyani Aayeshaben Gulam Umta [MOTHER OF MUSTAK UMTA] passed away……..Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 4pm. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush Ameen.

HAJI ISMAILBHAI DAUD VASTA [FATHER OF SIDDIQ / SALIM VASTA] PASSED AWAY………….INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANA WILL HELD AT 4.30PM AT HASHAMSHAH [RA] GRAVEYARD. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

સમગ્ર ભારત ૭૪મો સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી રહ્યું હોય ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ગામના કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલનના હસ્તે ધ્વજ ફરકાવી ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે તથા કોરોના વાઇરસની મહામારી ને ધ્યાને લઇ સ્વતંત્રતા દિવસ ની ઉજવણી એકદમ સાદગીથી કરવામાં આવી હતી. ધ્વજ વંદન અને સલામી બાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામ પંચાયત ના સભ્યો તથા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્રભાઈ વસાવા તથા ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ હાજરજનોને મીઠાઈ ની વહેંચણી કરવામાં આવી હતી.

The whole India is celebrating the 74th Independence Day. In Tankaria village of Bharuch taluka, at around 8.30 am today, the flag was hosted by the acting Sarpanch of the village, Smt. Mumtazben Usman Lalan. The program was concluded by singing the national anthem after flag salute. On this occasion, members of village panchayat and village talati cum mantri Narendrabhai Vasava and villagers were present. After the completion of the program, sweets were distributed to the attendees.

ટંકારીઆ ગામમાં બે દિવસથી પડતા સતત વરસાદને પગલે ભૂખી ખાડી છલોછલ જઈ જવાથી તથા ગામનું તળાવ પણ ઓવરફ્લો થતા પાદરમાં પાણી ભરાવવાનું ચાલુ થઇ ગયું છે. અને જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો પાદરમાં આવેલી નીચાણવાળી દુકાનોમાં તથા નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જશે. તે જોતા તમામ દુકાનદારોએ પોતપોતાનો સમાન સલામત સ્થળે ખસેડી લેવાની હિલચાલ કરતા દેખાય છે. ઘણા સમયથી સીતપોણ તરફ જતી કાન્સ ની સાફસફાઈ થઇ ના હોવાથી અગમ્ય ઝાડી ઝાંખરા કાન્સમાં ઉગી નીકળ્યા છે અને આખા ગામનો કચરો તથા આખા ગામનું ગટરોનું પાણી અને વરસાદી પાણી ના નિકાલની માત્ર ને માત્ર એક કાન્સ જ હોય તેમજ આખા ગામનો કચરો પણ કાન્સમાં ભેગો થતો હોઈ કાંસમાંથી પાણી નો પ્રવાહ ધીમી ગતિએ જાય છે. તો શું સત્તાવારાઓ તથા ગામના નેતાગણ આ બાબતે ધ્યાન આપશે? એવી લોકચર્ચા થાય છે.

ટંકારીઆ તથા આસપાસના ગામડાઓ સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કોઈ જાતના તોફાન વિના રહેમની વર્ષાં થઇ રહી છે.

It has been raining continuously for two days. The entire Bharuch district including Tankaria and surrounding villages has been receiving universal rain for two days.

ટંકારીઆ ગામના વતની અને આમોદ તાલુકાની સૂડી ગામની પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મોહંમદરફીક ઇબ્રાહિમ અભલી ઉર્ફે મુન્નાએ ગુજરાત રાજ્યના પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો પારિતોષિક મેળવેલ છે, જે બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવતા ગર્વ અનુભવીએ છીએ. આ ઉપરાંત મોહંમદરફીક ઇબ્રાહિમ અભલી ઉર્ફે મુન્નાએ ૧. જિલ્લાનો પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ ૨. તાલુકા કક્ષાનો બેસ્ટ શિક્ષક એવોર્ડ તથા ૩. વિશ્વ વિખ્યાત સાધુ સંત મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી ફક્ત એક જ મુસ્લિમ શિક્ષકને ચાલુ વર્ષે આ પારિતોષિક મળેલ છે.

Pride of Tankaria village
Mohammad Rafiq Ibrahim Abhali alias Munna, a native of Tankaria village and assistant teacher of Sudi village primary school in Amod taluka, has received the award as the best primary school teacher in the state of Gujarat, for which we are proud to congratulate him. Apart from this, Mohammad Rafiq Ibrahim Abhali alias Munna 1. District’s Talented Teacher Award 2. Taluka level best teacher award and 3. He has also received the Chitrakoot Award at the hands of world famous monk Saint Moraribapu.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ સહીત સમગ્ર પંથકમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ધીમી ગતિએ રહેમનો વરસી રહ્યો હોવાના પગલે સમગ્ર ખેડૂતવર્ગ ખુશખુશાલ થઇ ગયો છે. મેઘાની જોરદાર જમાવટ સાથે સમગ્ર પંથક તરબોળ થઇ જવા પામ્યો છે. મસ્ત મજાની ઠંડક પ્રસરી જવા પામી છે. ચાલુ ચોમાસાની મોસમનો આ પ્રથમ વખત એવો વરસાદ પડે છે કે જે સતત વરસી રહ્યો છે. વાતાવરણમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂત વર્ગ હવે વાવણી અને નિન્દામણમાં જોતરાઈ જશે. પાદરમાં ગરમ ગરમ ગોટા ની જિયાફત અને ગરમ ચા ની ચુસ્કીઓ પણ ચાલી રહી છે.

પાલેજ જી. ઈ.બી. દ્વારા દર શનિવારે કોઈક ને કોઈક બહાને સવારથી લઈને સાંજ સુધી વીજકાપ કરી લેવામાં આવતો હતો જેના લીધે સખત ગરમી અને બફારામાં ગામના નાગરિકો હેરાન પરેશાન થઇ જતા હતા. તેમજ હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોય બીમાર દર્દીઓને ઘરમાં ઓક્સિજનના બોટલો લેવા પડતા હોય જે પણ વીજઉપકરણથી જ ચાલતા હોય દર્દીઓ ને પરેશાની થઇ જતી હોય તેમજ બીજા બધા વીજઉપકરણો પણ ઠપ થઇ જતા હતા. આ પ્રશ્ન ને ધ્યાનમાં રાખી ગામના કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન ની આગેવાનીમાં પંચાયતના સભ્યો તથા સલીમ ઉમતા, ડાહ્યાભાઈ રોહિત તથા ગામના શુભચિંતકો ઉસ્માનભાઈ આદમ લાલન, ઇકબાલ સાપા, મુબારક ધોરીવાળા, બિલાલ લાલન, અલ્તાફ ગાંડા, યાસીન શંભુ, સાબિરમાસ્ટર લાલન, છોટુભાઈ વસાવા, કાંતિભાઈ ભગત, હનિફકાકા સાપા, સાદિક રખડા, સાજીદ લાલન, તૌસીફ કરકરિયા, સલાહુદ્દીન બશેરી, આસિફ ઉંદરડા, ઝાકીર વલી ઉમતા [મંડપવાળા], યાકુબ જંગારીયા, બાબુ હાફેઝી ભા, નઝીર મઢી, મહેબૂબ ચંદીયા તથા મુસ્તુફા ખોડા વિગેરેનું એક ડેલિગેશન જી. ઈ.બી. પાલેજના એક્ઝીક્યુટીવ એન્જીનીયરને રૂબરૂમાં મુલાકાત કરી રજુઆત કરી ચર્ચા વિચારણા ને અંતે જી. ઈ.બી. પાલેજના સક્ષમ અધિકારીઓ એ રજૂઆતને માન આપી જનહિતમાં દર શનિવારે બંધ રહેતી વીજળી હવે બંધ નહિ રહે તેવી ખાતરી આપી હતી. તેમજ ગામમાં અગર લાઈટ રીપેરીંગ નું કામ હશે તો ફક્ત જેતે વિસ્તારની જ ડી. પી. પરથી લાઈટ બંધ કરી બીજો વિસ્તાર વીજળી થી વંચિત કરવામાં નહિ આવે તેવી પણ ખાતરી ઉચ્ચારી હતી. જે બાદલ જી. ઈ.બી. પાલેજના અધિકારીઓનો ગામ વતી ગામ પંચાયત આભાર વ્યક્ત કરે છે.