ટંકારીઆ તથા આસપાસના ગામડાઓ સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કોઈ જાતના તોફાન વિના રહેમની વર્ષાં થઇ રહી છે.

It has been raining continuously for two days. The entire Bharuch district including Tankaria and surrounding villages has been receiving universal rain for two days.

ટંકારીઆ ગામના વતની અને આમોદ તાલુકાની સૂડી ગામની પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મોહંમદરફીક ઇબ્રાહિમ અભલી ઉર્ફે મુન્નાએ ગુજરાત રાજ્યના પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો પારિતોષિક મેળવેલ છે, જે બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવતા ગર્વ અનુભવીએ છીએ. આ ઉપરાંત મોહંમદરફીક ઇબ્રાહિમ અભલી ઉર્ફે મુન્નાએ ૧. જિલ્લાનો પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ ૨. તાલુકા કક્ષાનો બેસ્ટ શિક્ષક એવોર્ડ તથા ૩. વિશ્વ વિખ્યાત સાધુ સંત મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી ફક્ત એક જ મુસ્લિમ શિક્ષકને ચાલુ વર્ષે આ પારિતોષિક મળેલ છે.

Pride of Tankaria village
Mohammad Rafiq Ibrahim Abhali alias Munna, a native of Tankaria village and assistant teacher of Sudi village primary school in Amod taluka, has received the award as the best primary school teacher in the state of Gujarat, for which we are proud to congratulate him. Apart from this, Mohammad Rafiq Ibrahim Abhali alias Munna 1. District’s Talented Teacher Award 2. Taluka level best teacher award and 3. He has also received the Chitrakoot Award at the hands of world famous monk Saint Moraribapu.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ સહીત સમગ્ર પંથકમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ધીમી ગતિએ રહેમનો વરસી રહ્યો હોવાના પગલે સમગ્ર ખેડૂતવર્ગ ખુશખુશાલ થઇ ગયો છે. મેઘાની જોરદાર જમાવટ સાથે સમગ્ર પંથક તરબોળ થઇ જવા પામ્યો છે. મસ્ત મજાની ઠંડક પ્રસરી જવા પામી છે. ચાલુ ચોમાસાની મોસમનો આ પ્રથમ વખત એવો વરસાદ પડે છે કે જે સતત વરસી રહ્યો છે. વાતાવરણમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂત વર્ગ હવે વાવણી અને નિન્દામણમાં જોતરાઈ જશે. પાદરમાં ગરમ ગરમ ગોટા ની જિયાફત અને ગરમ ચા ની ચુસ્કીઓ પણ ચાલી રહી છે.

પાલેજ જી. ઈ.બી. દ્વારા દર શનિવારે કોઈક ને કોઈક બહાને સવારથી લઈને સાંજ સુધી વીજકાપ કરી લેવામાં આવતો હતો જેના લીધે સખત ગરમી અને બફારામાં ગામના નાગરિકો હેરાન પરેશાન થઇ જતા હતા. તેમજ હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોય બીમાર દર્દીઓને ઘરમાં ઓક્સિજનના બોટલો લેવા પડતા હોય જે પણ વીજઉપકરણથી જ ચાલતા હોય દર્દીઓ ને પરેશાની થઇ જતી હોય તેમજ બીજા બધા વીજઉપકરણો પણ ઠપ થઇ જતા હતા. આ પ્રશ્ન ને ધ્યાનમાં રાખી ગામના કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન ની આગેવાનીમાં પંચાયતના સભ્યો તથા સલીમ ઉમતા, ડાહ્યાભાઈ રોહિત તથા ગામના શુભચિંતકો ઉસ્માનભાઈ આદમ લાલન, ઇકબાલ સાપા, મુબારક ધોરીવાળા, બિલાલ લાલન, અલ્તાફ ગાંડા, યાસીન શંભુ, સાબિરમાસ્ટર લાલન, છોટુભાઈ વસાવા, કાંતિભાઈ ભગત, હનિફકાકા સાપા, સાદિક રખડા, સાજીદ લાલન, તૌસીફ કરકરિયા, સલાહુદ્દીન બશેરી, આસિફ ઉંદરડા, ઝાકીર વલી ઉમતા [મંડપવાળા], યાકુબ જંગારીયા, બાબુ હાફેઝી ભા, નઝીર મઢી, મહેબૂબ ચંદીયા તથા મુસ્તુફા ખોડા વિગેરેનું એક ડેલિગેશન જી. ઈ.બી. પાલેજના એક્ઝીક્યુટીવ એન્જીનીયરને રૂબરૂમાં મુલાકાત કરી રજુઆત કરી ચર્ચા વિચારણા ને અંતે જી. ઈ.બી. પાલેજના સક્ષમ અધિકારીઓ એ રજૂઆતને માન આપી જનહિતમાં દર શનિવારે બંધ રહેતી વીજળી હવે બંધ નહિ રહે તેવી ખાતરી આપી હતી. તેમજ ગામમાં અગર લાઈટ રીપેરીંગ નું કામ હશે તો ફક્ત જેતે વિસ્તારની જ ડી. પી. પરથી લાઈટ બંધ કરી બીજો વિસ્તાર વીજળી થી વંચિત કરવામાં નહિ આવે તેવી પણ ખાતરી ઉચ્ચારી હતી. જે બાદલ જી. ઈ.બી. પાલેજના અધિકારીઓનો ગામ વતી ગામ પંચાયત આભાર વ્યક્ત કરે છે.