1 3 4 5 6 7 1,009

HAJI ISMAIL [GAFUR] ADAM ISAP DHORIWAL [FATHER OF RAHEMATULLAH / YUNUS DHORIWALA / MAULANA FARUK] passes away……….. Inna Lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyad at 10pm today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. 

“જ્યાં અક્ષરથી વિચાર જન્મે અને વિચારથી ભવિષ્ય ઘડાય, એવું પવિત્ર સ્થાન એટલે શાળા.”
તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવારે કસ્બા ટંકારીઆમાં એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ.

ગુજરાત રાજ્ય સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટંકારીઆ કુમારશાળાના નવનિર્મિત વિશાળ મકાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીની અધ્યક્ષતામાં યોજાયો.
કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફના પઠનથી થઈ. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી શબ્બીર પટેલે આમંત્રિત મહેમાનોનું હૃદયસ્પર્શી સ્વાગત કર્યું. શિક્ષકોએ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કર્યા. વિદ્યાર્થીઓએ મધુર સ્વાગતગીત રજૂ કરીને વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સ્મૃતિઓએ હાલમાં હાજર દરેકને ગદ્ગદિત કરી દીધા. ડૉ. યુસુફભાઈ ખોડાએ બાળપણની મીઠી યાદો યાદ કરતાં આંખો ભીની કરી દીધી.
અબ્દુલ્લાહ કામઠી પોતાની અનોખી શૈલીમાં વિદ્યાર્થીકાળની ક્ષણોને જીવંત કરતાં કરતાં ભાવવિભોર થઇ ગયા. મૂળ અડોલના વતની, હાલ કંબોલી શાળાના આચાર્ય પ્રવીણ સોલંકીએ પોતાના ગુરુજનોને શ્રદ્ધાંજલિ આપીને સૌને ભાવુક બનાવી દીધા.

અધ્યક્ષ અઝીઝ ટંકારવીએ પોતાના પ્રવચનમાં કહ્યું, “શિક્ષણ ફક્ત પુસ્તકોનું નથી, તે બાળકના મનમાં બાળમૂલ્યો, પ્રમાણિકતા અને આત્મવિશ્વાસના બીજ વાવવાનું કામ છે. શિક્ષકોએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે બાળક પોતે જ સ્ટેજ પર આવીને પોતાની ક્ષમતા દેખાડે અને સંવાદી શિક્ષણ દ્વારા તેની અંદર છુપાયેલી પ્રતિભા પ્રગટ થાય.”

વયોવૃદ્ધ ડૉ. મીયાંજી સાહેબ પણ આ ક્ષણે હાજર રહ્યા અને પોતાના અનુભવો વહેંચીને સૌને પ્રેરિત કર્યા.
અંતે અધ્યક્ષશ્રી અઝીઝ ટંકારવીએ શાળાના મુખ્ય પ્રવેશદ્વારનું રીબન કાપીને નવા મકાનને ઔપચારિક રીતે ખુલ્લું મુક્યું. ત્યારબાદ દરેક વર્ગખંડનું પણ મહાનુભાવોના હસ્તે રીબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ટંકારીઆ ગૃપ શાળાના ગ્રુપાચાર્ય શબ્બીર પટેલ, રફીક અભલી અને મુબારક ઘોડીવાલાએ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું.

આજે ટંકારીઆ કુમારશાળામાં એક નવું અધ્યાય શરૂ થયું છે — જ્યાં આવનારી પેઢીઓ અક્ષરોથી વિચારો ઘડીને ભવિષ્યને નવી ઊંચાઈએ પહોંચાડશે.

CLICK HERE FOR PROGRAM VIDEO OF THIS EVENT.
આજના આ સમારોહનો વિડીયો જોવા અહીં ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.

 

ટંકારીઆની જૂની કુમારશાળા ઇતિહાસના પાનાઓમાં

ગતરોજ ૬ હાઈ માસ્ટ લાઇટના ટાવરોનું લોકાર્પણ થયું હતું અને આજે બીજા ૩ હાઈ માસ્ટ લાઇટના ટાવરોનું લોકાર્પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ગામની ચોતરફ હાઈ માસ્ટ લાઇટના ટાવરો ઉભા થતા ગામ ચારેકોર લાઈટોથી ઝગમગી ઉઠ્યું છે. આગામી સમયમાં ગામની ચારે બાજુના પ્રવેશદ્વારો ઉપર સી.સી.ટી.વી. લગાવવાની વિચારણા પણ થઇ રહી છે.

1 3 4 5 6 7 1,009