1 3 4 5 6 7 524

HAJI ISMAIL ADAM SAPA [KNOWN AS ASULMAMA][FATHER OF ILYAS – MOHAMMED SAPA] passed awayat Bharuch. Inna Lillahe Wainna Ilayhe Rajeu. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard Tankaria at 3pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameeen,,,,,,,

Video (1.1) B Buzz Media (UK & India) – Instagram bbuzzbharuch દ્વારા શેર કરવામાં આવેલ e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video

Video (1.2) B Buzz Media (UK & India) – Instagram rajafaruk_mfaruk_ugharadar દ્વારા શેર કરવામાં આવેલ e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video

વિડિયો 1.1 અને  1.2 જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.

B Buzz Media (UK & India) – Facebook. e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video જોવા માટે Facebook લિંક.
Facebook વિડિયો જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો. 



વિશ્વભરના યુવાનો માટે પ્રેરણાનો નવો દીપસ્તંભ: B Buzz Media UK & INDIA દ્વારા ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ e-Bookનું ભવ્ય લોન્ચિંગ

e-Book Launching

કારકિર્દીની નવી ક્ષિતિજો
પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી, મેટ્રો, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય ઉદ્યોગો

Author: Nasirhusen Lotiya
Published By: World Bharuchi Vahora Federation  

Book (1) કારકિર્દીની નવી ક્ષિતિજો
(પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી, મેટ્રો, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય ઉદ્યોગો)
‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ પુસ્તક ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.

 


એક પુસ્તક… જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે!

આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી; વૈશ્વિક દૃષ્ટિકોણ, સતત શીખવાની તલપ અને મોટા સપનાઓ જોવાની હિંમત જ સાચી સફળતાનો માર્ગ બનાવે છે. આ જ વિચારને કેન્દ્રમાં રાખીને B Buzz Media UK & INDIA દ્વારા જાણીતા લેખક, આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ પ્રોફેશનલ અને World Bharuchi Vahora Federation (WBVF) સાથે સંકળાયેલા નાસીરહુસેન લોટીયાની પ્રેરણાદાયી e-Book કારકિર્દીની નવી ક્ષિતિજો’નું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે.

B Buzz Media UK & INDIAનું માનવું છે કે આજના યુવાનોને માત્ર કારકિર્દી વિશે માહિતી નહીં, પરંતુ વૈશ્વિક દૃષ્ટિકોણ, આત્મવિશ્વાસ અને પ્રેરણાની પણ જરૂર છે. ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ એ જ ખાલીપો પૂર્ણ કરતું એક અનોખું અને સમયોચિત પ્રકાશન છે. આ e-Book ફક્ત ઈજનેરોને જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ, શિક્ષકો તેમજ પોતાના જીવનમાં નવી દિશા શોધી રહેલા દરેક વાચક, યુવાન અને યુવતીઓ માટે પ્રેરણાનો અમૂલ્ય સ્રોત બની શકે છે.

પુસ્તકના લેખક નાસીરહુસેન લોટીયાએ પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અનેક વર્ષોમાં ભારત, ગલ્ફના દેશો અને અમેરિકામાં કામ કર્યું તે પૈકી વિશ્વકક્ષાના એરપોર્ટ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ પ્લાન્ટ જેવા મેગા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અને  ઉત્પાદન  ક્ષેત્રમાં કાર્ય કરતાં મેળવેલા વાસ્તવિક અનુભવો ઉપરાંત તેમના સહકર્મચારીઓ અને અન્ય યુવા ઇજનેરોની કારકિર્દીની સફળ સફર સરળ, જીવંત અને પ્રેરણાત્મક ભાષામાં રજૂ કર્યા છે.

 e-Book ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ ના લોન્ચિંગ પ્રસંગે લેખક દ્વારા આપવામાં આવેલી માહિતી

આ e-Book માત્ર કારકિર્દી માર્ગદર્શન આપતું પુસ્તક નથી; તે યુવાનોને સ્થાનિક વિચારસરણીમાંથી બહાર લાવી સમગ્ર વિશ્વને પોતાની કાર્યભૂમિ તરીકે સ્વીકારવાની પ્રેરણા આપે છે. પુસ્તકનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે

વિશ્વ તમારા જન્મસ્થળને નહીં, પરંતુ તમારી પ્રતિભા, કુશળતા, પ્રામાણિકતા અને કાર્યને ઓળખે છે.

લેખક જણાવે છે કે “આ પુસ્તક મેં લખ્યું નથી—મેં તેને જીવ્યું છે. મેં જે લખ્યું છે તે પુસ્તકોમાંથી મેળવેલું જ્ઞાન નથી; જે પાઠો અહીં રજૂ કર્યા છે, તે પુસ્તકોમાં વાંચેલા નહીં, પરંતુ જીવનના સંઘર્ષ, સતત મહેનત, સફળતા-નિષ્ફળતામાંથી મળેલી શીખ અને અડગ વિશ્વાસથી, ભારત, ગલ્ફના દેશો અને અમેરિકામાં દરરોજના ૧૨-૧૩ કલાકો, હા સતત ૧૨-૧૩ કલાકો કામ કરતાં મેળવેલા અનુભવોનું પ્રતિબિંબ છે. હું જે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે મેં જાતે અનુભવ્યું છે.  હું જે પ્રેરણા આપું છું, તે મારા પોતાના જીવનપ્રવાસમાંથી જન્મી છે. કદાચ આ જ વાત આ પુસ્તકને અન્ય પુસ્તકો કરતાં અલગ અને વધુ વિશ્વસનીય બનાવે છે.” આ પુસ્તક દરેક વાચકને માત્ર માહિતી આપતું નથી, પરંતુ આત્મવિશ્વાસ, નવી દિશા અને વૈશ્વિક વિચારસરણી પણ આપે છે.

પુસ્તકમાં સમાવિષ્ટ દરેક ફોટોગ્રાફ એક મૌન સંદેશ આપે છે કે સામાન્ય પરિવારમાંથી આવેલ યુવાન પણ વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ સુધી પહોંચી શકે છે. સફળતા કોઈ ખાસ શહેર કે દેશની મિલકત નથી; તે મોટા સપનાઓ જોનાર અને સતત પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિનો અધિકાર છે. લેખકનું માનવું છે કે જીવનમાં કેટલીક તકો માત્ર એક જ વાર મળે છે અને ક્યારેક એક પુસ્તક, એક વિચાર અથવા એક યોગ્ય નિર્ણય સમગ્ર જીવનની દિશા બદલી શકે છે. જો આ પુસ્તક વાંચ્યા પછી કોઈ એક યુવાનના મનમાં પણ હું પણ કરી શકું છું એવો આત્મવિશ્વાસ જન્મે, તો આ પુસ્તક લખવાનો હેતુ સફળ ગણાશે.

લેખકનો પ્રેરણાદાયી સંદેશ

મોટાં સપનાં જોનારાઓ જ દુનિયાને નવી દિશા આપે છે. ડિગ્રી કારકિર્દીની શરૂઆત છે, જ્યારે સતત શીખતા રહેવું તેની સાચી ઊંચાઈ છે. કદાચ આ પુસ્તકનું એક પાનું જ તમારા જીવનની નવી ક્ષિતિજનો પ્રારંભ બની જાય.

B Buzz Media UK & INDIA તમામ વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકોને આ પ્રેરણાદાયી e-Book અવશ્ય વાંચવા અનુરોધ કરે છે. કદાચ આજનો એક નાનકડો નિર્ણય આવતીકાલની વૈશ્વિક સફળતાની શરૂઆત બની શકે.

 કારકિર્દીની નવી ક્ષિતિજો પુસ્તકની PDF ફાઈલ ડાઉનલોડ કરવા MY Tankaria વેબસાઈટની આ લિંકનો ઉપયોગ કરો.  https://www.mytankaria.com/people/career-guidance

– B Buzz Media UK & INDIA

 


‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ પુસ્તક ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો.

એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬નું આજ રોજ તારીખ : ૧૬/૦૭/૨૦૨૬ ને ગુરૂવારના રોજ શાળાના મદની હોલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ (PRIZE DISTRIBUTION) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથીથી મૌ. અબ્દુલ રઝ્ઝાક સાહેબ ધ્વાર કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પ ગુચ્છ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક, રમતગમત તેમજ વિવિધ સહશૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મોહસીન-એ-આઝમ મિશન વર્લ્ડવાઇડના ઉપપ્રમુખ અનવરભાઈ મિસ્ત્રી, સેક્રેટરી મુનીરભાઈ વોરા, તાલુકા પંચાયતના સદસ્ય અસ્માબેન પટેલ, યુકે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ વિજેતા પાવરલિફ્ટર શમ્સાલ પટેલ, મૌલાના અબ્દુલરજ્જાક સાહેબ, શાળાના પ્રમુખશ્રી ઇશાકભાઈ એમ. પટેલ, નાશીરભાઈ લોટીયા, માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા તથા ટ્રસ્ટીમંડળના સભ્યો યાકુબભાઈ બોડા, મુસ્તાકભાઇ રખડા, ઉસ્માનભાઈ ઇપલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓના હસ્તે શૈક્ષણિક, રમતગમત અને અન્ય વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્રો તથા ઇનામો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મહેમાનશ્રીઓએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, શિસ્ત, સંસ્કાર અને સતત પ્રયત્ન દ્વારા સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા. ખાસ કરીને ગોલ્ડ મેડલ વિજેતા પાવરલિફ્ટર શમ્સાલ પટેલના સંઘર્ષ અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓને રમત-ગમતમાં પણ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. બાળકોને પુરસ્કાર સ્વરૂપે જે ટ્રોફી આપવામાં આવી એ એમ.એ.એમ મિશન ટંકારીયા બ્રાન્ચના પૂર્વ સેક્રેટરી શબ્બીરભાઈ યુ. ભીમ તરફથી આપવામાં આવી. અંતમાં શાળાના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ તથા આચાર્યશ્રીએ તમામ મહેમાનો,શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ઉપસ્થિતિ અને સહયોગ બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો. વધુમાં શાળાના પ્રમુખ શ્રી ઇશાકભાઈ પટેલ સાહેબે પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

ZARINA BEN AIYUB GEN [MOTHER OF MINHAZ, AADIL] passed away…….Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen…..

We are very happy to share the proud achievement of Muhammad Kabir, son of our Tankarvi brother Azaz Bhai Kabir of Preston, England, who has successfully completed his Bachelor of Laws (LL.B.) degree from the prestigious Lancaster University, United Kingdom.

This significant milestone reflects Muhammad’s dedication, hard work, and commitment to academic excellence. Graduating from one of the United Kingdom’s highly respected universities, along with gaining valuable practical legal experience, has equipped him with a strong foundation for a bright and successful career in the legal profession.

On behalf of the My Tankaria global community, we extend our heartfelt congratulations to Muhammad and his family on this proud accomplishment. We wish him every success in his future endeavors and pray that Allah (SWT) blesses him with continued achievements, good health, and success in his professional career

ટંકારીઆ, તા. ૧૪ જુલાઈ:
ઉર્સ-એ-મખદૂમ અશરફ જહાંગીર સીમનાનીના પવિત્ર અવસરે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ, ટંકારીઆ બ્રાન્ચ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને હરિયાળા સમાજના નિર્માણના ઉદ્દેશ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કુમાર શાળા ટંકારીઆ, બ્રાન્ચ કુમાર શાળા ટંકારીઆ, મસ્જિદે સિદ્દીકે અકબર તથા ટંકારીઆ કબ્રસ્તાન ખાતે વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનું આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં ગ્રામ પંચાયત ટંકારીઆના સરપંચ શ્રી મંગુભાઈ વસાવા, પંચાયત સભ્ય શ્રી મુનાફભાઈ જીવા, તાલુકા સભ્ય શ્રીમતી અસ્માબેન મોહસીન ધોડીવાલા, જિલ્લા સભ્ય શ્રીમતી ભાવનાબેન વસાવા, સામાજિક કાર્યકર શ્રી નાસીરભાઈ લોટીયા, બંને શાળાના શિક્ષકગણ, ફારૂક સાહેબ કારી, બિલાલ મેલા, શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મુસ્તાકભાઇ બાબરિયા, અમીનભાઈ ક્દા, અઝીઝભાઇ ભા, ઈલ્યાસભાઈ ઝંઘારીયા, ઈરફાનભાઈ મેલા તેમજ  ગ્રામજનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે આયોજકોએ જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર માત્ર પર્યાવરણનું જ સંરક્ષણ કરતું નથી, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ જીવન આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ માટે પ્રેરિત થાય તેવા શુભ આશય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

HAJIYANI HAMIDABEN ABDULLAHMASTER KHANDHIYA [Mother of Mahyuddin Khandhiya] passed away at South Africa. Inna Lillahe Wainna Ilayhe Rajuen. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush.

Sitting arrangement in Tankaria @ Mahyuddin Khandhiya Home. 

1 3 4 5 6 7 524