ટંકારિયામાં આગજનીનો બનાવ બન્યો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આગજનીનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી.
બનાવની વિગત એમ છે કે કોઈ અગમ્ય કારણસર આગની ચિનગારી સુથાર સ્ટ્રીટ માં આવેલા શોકત યાકુબ બશેરીના ઘરના બીજા માળે ઓપન ટેરેસ પર ઘાસના પૂળા ભરેલા હતા તેમાં લાગતા પુળાઓ ભડભડ બળી ઉઠ્યા હતા. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ સુથાર સ્ટ્રીટ ના નવયુવાનો અને ગામના નવયુવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અને લગભગ ૭૦% પુળાઓને બચાવી લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*