ટંકારીઆમાં ૧૩ જૂને કારકિર્દી માર્ગદર્શન અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે
ધોરણ ૧૦, ૧૧, ૧૨ના આમંત્રિત વિદ્યાર્થીઓ તથા તાજેતરમાં ધોરણ ૧૨ પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ

ઉપરોક્ત આમંત્રણ પત્રિકામાં દર્શાવ્યા મુજબ WBVF Tankaria Team દ્વારા તા. ૧૩ જૂન, ૨૦૨૬ (શનિવાર)ના રોજ મદ્રસા હોલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ટંકારીઆની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ (આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ)ના વિદ્યાર્થીઓ ઉપરાંત સિતપોણ, કંબોલી અને વરેડિયાના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને જે-તે શાળા મેનેજમેન્ટ મારફત આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ટંકારીઆ હાઇસ્કૂલમાંથી વર્ષ ૨૦૨૬ અથવા ૨૦૨૫માં ધોરણ ૧૨ (આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સ)ની પરીક્ષામાં સફળ થયેલા અને હાલમાં વિવિધ કોલેજોમાં પ્રવેશ અંગેની કામગીરી કરી રહ્યા હોય અથવા NEET-2026ની પુનઃપરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેવા તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે.
કાર્યક્રમમાં સુરતના જાણીતા કારકિર્દી માર્ગદર્શક, પ્રેરણાદાયી વક્તા અને શિક્ષણવિદ્ શ્રી દેવરાજ ચૌધરી સહિતના અનુભવી નિષ્ણાતો ઉપસ્થિત રહી વિશાળ LED સ્ક્રીનના માધ્યમથી માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વિવિધ તકો, પ્રવેશ પ્રક્રિયાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકિર્દી આયોજન અને ભવિષ્યની સંભાવનાઓ અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત થશે.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યોગ્ય દિશા, સચોટ માહિતી અને નવી પ્રેરણા પૂરી પાડવાનો છે.
આથી, શાળા મેનેજમેન્ટ દ્વારા આમંત્રિત વિદ્યાર્થીઓ ઉપરાંત ટંકારીઆ હાઇસ્કૂલના ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આ કાર્યક્રમનો લાભ લેવા ખાસ તાકીદ કરવામાં આવે છે. બીજા ગામોમાં રહેતા આપના વર્ગના સહાધ્યાયી મિત્રોને ફોન કરી જાણ કરશો. સમય અને સંજોગો અનુકૂળ રહેશે તો પસંદગીના વિદ્યાર્થીઓ માટે વન-ટુ-વન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
TANKARIA WEATHER



