આજે બકરી ઈદ નો તહેવાર સમસ્ત મુસ્લિમ સમાજ માનવી રહ્યો છે. વિવિધ મસ્જિદોમાં ઈદ ની વિશિષ્ટ નમાજ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. ત્યારબાદ તમામ બિરાદરોએ એક બીજાના ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

આજે સાઉદી કેલેન્ડર પ્રમાણે ૧૦ ઝીલ્હજ્જ (શુક્રવાર) હાજીઓ હજના એક અરકાન એવા મુઝદાલિફા થી પ્રયાણ કરી શેતાનને કાંકરા મારી કુરબાની કરી એહરામ છોડી કાઢશે. તેમજ વિવિધ દેશોમાં પણ આજે મુસ્લિમોની અતિ મહત્વની ઈદ ઉલ અડહા ની ઉજવણી કરવામાં આવી રહેલી છે. તો આ થકી અમો તમામ વાચક વર્ગને કે જેઓ આજે ઈદ માનવી રહ્યા છે તેમને ઈદ ની ખુબ ખુબ મુબારક્બાદીઓ આપીએ છીએ. અલ્લાહ તમામ મુસ્લિમોને આ અતિ પવિત્ર ઈદની ખુશીઓ નશીબ ફરમાવે. અત્રે નોંધનીય છે કે, અહીં ઇન્ડિયામાં ઈદ ની ઉજવણી શનિવારે તારીખ ૭ જૂન ૨૦૨૫ના રોજ મનાવવામાં આવશે.

આગામી આવતા બકરી ઈદ ના તહેવાર નિમિતે પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. એ. આર. વ્યાસ મેડમ ના પ્રમુખ સ્થાને એક શાંતિ સમિતિની બેઠક નું આયોજન ટંકારીઆ ગામ પંચાયત માં કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી આવતા બકરી ઈદ ના તહેવાર નિમિતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. એ. આર. વ્યાસ મેડમ તથા તેમનો સ્ટાફ તથા ગામના તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા પારખેત – ઠીકરીયા – પાદરીયા તથા ઘોડી ગામના સરપંચો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પી. આઈ.એ. આર. વ્યાસ મેડમે બકરી ઈદનો તહેવાર શાંતિ અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવવાની અપીલ કરી હતી.

AFROZ ADAM DEG [GUNGIMA] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen…. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 10am today.