ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે રવિવારના રોજ ગત વર્ષની ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ ભરૂચના અલ્ટી મોબાઈલની સ્પોન્સરશિપમાં શેરપુરા ઇલેવન અને વલણ ઇલેવન વચ્ચે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર યોજાઈ હતી. જેમાં શેરપુરા ઈલેવનનો ભવ્ય વિજય નીવડ્યો હતો.
ગત રવિવારે ટંકારિયામાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર ગત વર્ષની ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ શેરપુરા ઇલેવન અને વલણ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં શેરપુરાની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૧૮ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં વલણની ટિમ ૯૫ રન બનાવી ઓલઆઉટ થઇ જતા શેરપુરાની ટીમનો રસાકસી બાદ ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ઘી સિરીઝ વલણના નાસિર બંગલાવાલા તથા બેસ્ટ બોલર તરીકે શેરપુરાના સુહેલ વટાનીયાને જાહેર કર્યો હતો. આ ફાઇનલ મેચમાં મેન ઓફ ઘી મેચ તરીકે શેરપુરાના સ્પિનર મોહસીન જાહેર થયા હતા.
આ મેચના અંતમાં ઇનામ વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તદુપરાંત ઇંગ્લેન્ડથી પધારેલા સાજીદભાઈ કોન્ટ્રાક્ટર, વોરા સમની ગામના સરપંચ ઝાકીર, ટંકારીઆ ના માજી સરપંચ ઝાકીર ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, સઇદ બાપુજી, માજી ક્રિકેટર મુસ્તાક સાપા, યાસીન શંભુ તેમજ વિદેશથી પધારેલા ઇકબાલભાઇ અકુબત, ફારૂક ડેલાવાલા, અબ્દુલરઝાક ઘોડીવાલા, સોયેબ ગોદરમુન્શી તેમજ ગામ પરગામથી ક્રિકેટ રસિકો મેચ નિહાળવા પધાર્યા હતા. આ ક્લબના સંચાલકો આરીફ બાપુજી, હારુન ઘોડીવાલા, યુસુફ ઘોડીવાલાએ સુવ્યવસ્થિત સંચાલન કરી ટુર્નામેન્ટ ને સફળ બનાવી હતી. આ મેચમાં હિન્દી કોમેન્ટટર તરીકે ઐયુબભાઈ સાંપાવાળાએ સેવા આપી હતી.
આ સમગ્ર સમારંભનું સંચાલન ટંકારીઆ વતની અને જાણીતા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.

ZULEKHABEN YAKUB PATEL [D/O SULEMAN VALI BANGLAWALA [AKA…. NOT] [MOTHER OF MUBARAK PATEL S.A.] [MOTHER IN LAW OF SALIM ISMAIL KADUJI] passed away………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Isha Prayer. May ALLAH [SWT] grant her a place in Jannatul Firdaush. Ameen. 

HAJI AHMEDSAHEB LOTIYA [FATHER OF NASIRHUSAIN, SHEHNAZ, MAKSUDA, SAJEDA, MUNAFHUSAIN LOTIYA] passes away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard at 3:30pm today. May ALLAH [SWT] grant superior place in to Jannatul Firdaush. ALLAH [SWT] provide Sabr-e-Jamil to his family. Ameeen.

શિક્ષણવિદિત હાજી અહમદસાહેબ લોટીયા [નાસીરહુસેન લોટિયાના પિતા] અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. અલ્લાહ સુબ્હાન વ તઆલા મર્હુમની મગફિરત ફરમાવી જન્નતમાં ઉચ્ચ દરજ્જો આપે. અલ્લાહ તઆલા મર્હુમના કુટુંબ કબીલાને સબ્ર અતા ફરમાવે. આમીન.

શિયાળો એટલે એકદમ ઠંડીની ઋતુ આ સમયે દિવસ કરતા રાત્રી દરમ્યાન ઠંડીની અસર વધુ તેજ થઇ જાય છે અને લોકો તેનાથી બચવા અવનવા ગરમ પોશાક તથા અવનવી રીતો દ્વારા ઠંડીથી રક્ષણ મેળવતા નજરે પડે છે. પરંતુ ઘર વિહોણા કે માનસિક અસ્થિર અથવા મજૂરવર્ગ પાસે આવા વસ્ત્રો કે ગરમ ધાબરા ખરીદવાના પૈસા ના હોવાથી તેઓ ફૂટપાથ કે રસ્તા પર ખુલ્લા આકાશ નીચે કડકડતી ઠંડીમાં પોતાની જિંદગી પસાર કરતા દેખાય છે. આ દર્દને ધ્યાને રાખી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયાના હોદ્દેદારોએ ગરમ ધાબળા ખરીદી ટંકારીઆ તથા પાલેજ તેમજ નેશનલ હાઇવે તથા ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં રૂબરૂ જઈ જેઓ જેઓ ફૂટપાથ અથવા રસ્તા પર રાત્રી દરમ્યાન ઠંડીમાં ખુલ્લામાં બસેરા કરવાવાળા ગરીબ લોકોને આ ધાબળાનું નાતજાતના ભેદભાવ વગર વિનામૂલ્યે વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરી “હો મેરા કામ ગરીબોકી હિમાયત કરના, દર્દમંદો સે ઝઈફોંસે મહોબ્બત કરના” ઉક્તિને યથાર્થ સાબિત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા દર વર્ષે આવા કર્યો કરી માનવતાને મહેકાવી રહ્યા છે.

Winter means very cold season, at this time the effect of cold is more intense during the night than during the day and people are seen to protect themselves from the cold by wearing warm clothes and using new methods to avoid it. But the homeless or the mentally unstable or the laborers do not have the money to buy such clothes or warm blankets, so they spend their lives on the footpaths or roads under the open sky in the bitter cold. 

Keeping this pain in mind, the Trustees of Shaikhul Islam Trust Tankaria bought warm blankets and went face to face to the slum areas of Tankaria and Palej and National Highway and Bharuch city to distribute these blankets free of cost to the poor people who spend the night on footpaths or roads in the cold without discrimination of caste. Presented has proven the saying “Ho Mera Kam Gariboki Himayat Karna, Dardmando Se Zaifonse Mahobbat Karna” to be true.  It is worth mentioning here that this organization is making humanity happy by doing this every year.