મારા ભણતરના દહાડાઓમાં ધોરણ-૪ માં ‘સાદ કરે છે’ નામની પ્રહલાદ પારેખની કવિતા આવતી હતી. આજે એ કવિતાનું પઠન કરીએ તો આપણને આપણા એ દિવસો યાદ આવ્યા વગર ન રહે.
ગામડાંગામનું પાદર હોઈ ત્યા વડ કે આમળી કે પીંપર જેવા તોતિંત ઝાડ હોઈ જ, અથવા તો આજુબાજુ વિશાળ વડ હોય જ. આપણે રજાના દિવસે બધા ભાઈબંધો ભેગા થતા અને ત્યા બેસીએ. વિવિધ રમતો રમતા અને ખુબ આનંદ કરતાં. મને યાદ છે કે વડ હોઈ એટલે વાંદરા માફક આપણે વડવાઈએ ટીંગાતા. એમાય આંબલી-પીપળી નામની એક રમત ખુબ મશહૂર હતી. ઝાડ નીચે ધૂળમાં એક વર્તુળ દોરવાનું અને જેના ઉપર દાવ આવે એ ત્યાં વર્તુળ પાસે ઉભો રહે. દાવ લેનાર એક ખેલાડી સિવાય તમામ ઝાડ ઉપર ચડી જાય. ઝાડ ઉપર ચડવાનાં જે ચપળ હોઈ તે નીચે રહે. હવે બે ખેલાડી જ નીચે રહ્યા એક જેના ઉપર દાવ આવ્યો તે અને બીજો દાવ લેનાર. દાવ લેનાર એક મોટુ બે ફુટ જેટલુ લાકડાનુ ડંડીકુ એક પગ ઉંચો કરી નીચેથી ફેંકી ઝાડ ઉપર ચડવા તૈયાર રહે. જેના પર દાવ હોઈ તે એ ડંડીકું લઈને તે વર્તુળમા મુકી ઝાડ ઉપરના કોઈપણ ખેલાડીને પકડવા દોડે. હવે એને ધ્યાન એ રાખવાનું કે દાવ લેનાર ઝાડ ઉપરના કોઈપણ ખેલાડી વર્તુળમાં મૂકેલ ડંડીકું પકડી લે એ પહેલાં જ ખેલાડીને અડી જવાનુ તો જ એનો દાવ પુરો થાય. એટલે એમને એ વર્તુળમાં મૂકેલ ડંડીકાવાળી જગ્યાનું રક્ષણ કરીને ખેલાડીને પકડવાનો. જો તે કોઈ એક ખેલાડીને ટાર્ગેટ કરીને પકડવા ઝાડ ઉપર વધુ ઊંચાઈએ પહોંચે તો બીજો ખેલાડી ડંડીકુ પકડી લે એટલે દાવ ફરી ચાલુ થતો. આ રમત ખુબ અઘરી હતી. ક્યારેક ઝાડ ઉપરથી પડી જઈએ તો હાથ-પગ તુટી પણ જાય. તમે વિચારો કે એ સમયે આપણી કેટલી હિંમત હતી. અરે ઝાડ ઉપરથી પડ્યાં હોઈએ અને પગમા લાગ્યું હોઈ તો આઠ આઠ દિવસ લંગડાતા ચાલતા પણ ઘરે ખબર ન પડવા દેતા. મિત્રોને સમ (કસમ/સોગંધ) આપતા અને કહેતા કે ઘરે કોઈને કહેતા નહિ.
શું એ સમય હતો. શું એ મજા હતી. સામાન્ય ચામડી છોલાય જતી તો ભાઈબંધ ફૂંક મારે ત્યાં સારૂ થઈ જતું અને ઘા રૂઝાઈ જતાં. આવી રમતો આજનાં બાળકોમાં ન જોવા મળે. તમે હમણા સોશ્યલ મીડીયા ઉપર જોયુ હશે કે ૧૫ વરસનાં છોકરાને તેમનાં માતા-પિતાને મોબાઈલ ફોન ન આપ્યો તો ઘરમાં તોડફોડ કરી લાખોનું નુકશાન પહોંચાડ્યું અને આપણે! આપણે ભૂલથી ચંપલથી ડટ્ટી તોડી હોઈ તો બાપુજી એક થપ્પડ મારી દેતા તો આપણે આઠ દિવસ કોઈ જીદ ન કરતાં. ખેર! સમય છે અને હમેંશા વહેતો રહે છે પણ આવી વાતો લખીએ અને વાંચીએ, આપણા સંતાનોને પણ વંચાવીએ જેથી આપણી સ્થિતિ શું હતી? આપણે કેવા દિવસોમાં જીવ્યા! આ બધો એમને ખ્યાલ આવે અને પ્રેરણા મળે. મારી વાતો ગમે, ઉપયોગી લાગે અને જીવનમાં વણવા જેવી લાગે તો જરા અમથી કોમેન્ટ કરજો. મારો હેતુ અને પ્રયાસ આપણી પરંપરાને જાળવવાનો છે, એનુ રક્ષણ કરવાનો છે.

ટંકારીઆ ગામે રવિવારના રોજ ગત વર્ષની મર્યાદિત ૩૦ ઓવરની નોકઆઉટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુસ્તફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર વોરાસમની ઇલેવન અને પરીએજ ઇલેવન વચ્ચે પ્રેક્ષકોની ભરચક ઉપસ્થિતિમાં રમાઈ હતી. જેમાં જબરજસ્ત રસાકસી વચ્ચે વોરાસમની ઇલેવનનો ભવ્ય વિજય નીવડ્યો હતો.
મેચ ની શરૂઆતમાં પરીએજ ઇલેવનની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. જેમાં વોરાસમની ઈલેવને પ્રથમ દાવમાં નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૬૦ રન ફટકાર્યા હતા જેમાં કેપ્ટાન મકબુલ પટેલના ૪૫ બોલમાં ૭૪ રન અગત્યના હતા. જેના જવાબમાં પરીએજ ઇલેવન નિર્ધારિત ૩૦ ઓવરમાં ફક્ત ૨૨૬ રન ફટકારતા વોરાસમની ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.
ટ્રોફી વિતરણ સમારંભમાં મુબારકભાઈ ડેરોલવાળા, કે.પી. ગ્રુપ ઓફ કંપનીના સહયોગી મુસ્તાકભાઈ કોઠીવાલા, સલીમ ઘડિયાળી, મુબારક ભાણીયા, યુ.કે.થી પધારેલા ઇસ્માઇલભાઈ ખૂણાવાલા, યુસુફ બાપુજી તેમજ સુલેમાન પટેલ જોલવા, ઇસ્માઇલ મતાદાર, અબ્દુલ્લાહ ટેલર, મકબુલ અભલી, કરણભાઇ ટેલર, બાબુભાઇ પરફેક્ટવાળા, ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, નાસીર લોટીયા તેમજ આજુબાજુના ગામના સરપંચો ઉપરાંત ગામ તથા પરગામના ક્રિકેટપ્રેમીઓ, આગેવાનો ઉપસ્થિ રહ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન ઝાકીર ઉમતા તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી એ સફળતાપૂર્વક કર્યું હતું.

એમ.એ.એમ. પ્રાઈમરી અને માધ્યમિક ઇંગ્લીશ મીડીયમ  સ્કૂલ  દ્વારા વાર્ષિક રમતોત્સવ  યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ વાર્ષિક રમતોત્સવનું આયોજન એમ.એ.એમ. સ્કૂલ  દ્વારા ટંકારીઆ ખાતે મુસ્તફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. આ સમારંભના ઉદ્ઘાટનની શરૂઆત તિલાવતે કુરઆન દ્વારા થઇ હતી. ત્યાર બાદ શાળાના ભુલકાંઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો  રજુ કર્યા હતા. બાદમાં સમારંભમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રમતોત્સવની જ્યોત સમારંભના મુખ્ય અતિથિ જનશિક્ષણ સંસ્થા ભરૂચ ના ડિરેક્ટર સૈયદ જૈનુલઆબેદીન સાહેબ દ્વારા પ્રગટાવી હતી, ત્યાર બાદ સમારંભના અતિથિ વિશેષ સૈયદ શોકતઅલી બાપુ દ્વારા રીબીન કાપી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ માર્ચ યોજી રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ સૈયદ જૈનુલઆબેદીન સાહેબ, અતિથિ વિશેષ સૈયદ શોકતઅલી બાપુ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રના માર્ગદર્શક વિદ્વાન સૈયદ મોહમ્મદઅલી તથા ટંકારીઆ જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબ, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહભાઈ કામઠી, ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા, વરેડીયા ગામના સરપંચ ફઝિલાબેન દુધવાલા, સાહિત્યકાર અઝીઝ ટંકારવી સાહેબ, એન. આર. આઈ. અફરોઝ ખાંધિયા, મુબારકભાઈ બંગલાવાલા, સૈયદ તલકીમભાઇ, ગામના આગેવાનો મુસ્તુફાભાઈ ખોડા, નાસીરભાઈ લોટીયા, સઈદભાઈ બાપુજી ઉપરાંત હનીફભાઇ લાલા, અફઝલ ઘોડીવાળા, યુસુફ ઘોડીવાળા, ગુલામભાઇ ઇપલી, બિલાલ લાલન તથા મોટી સંખ્યામાં ગામના નવયુવાનો, વડીલો, માં-બહેનો હાજર રહ્યા હતા. શાળાના પ્રમુખ ઈસ્હાકમાસ્ટર પટેલ તથા શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉદ્ઘાટન સમારંભ બાદ આખા દિવસ દરમ્યાન શાળાના બાળકો વચ્ચે  વિવિધ રમતોની હરીફાઈ યોજાઈ હતી. અને સાંજે ઇનામ વિતરણના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર  વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઇનામ વિતરણના કાર્યક્રમમાં અતિથિ તરીકે કે.પી.ગ્રુપ ઓફ કંપનીના સહયોગી મુસ્તાકભાઈ પટેલ તદુપરાંત કે. પી. ગ્રુપ સાથે જોડાયેલા ટંકારીઆ ગામના વતની અને સામાજિક કાર્યકર સલીમભાઇ ઘડિયાળી [દેગ], સરપંચ ઝાકીરહુસેન ઉમતા, હબીબભાઇ ભુતા, અઝીઝ ટંકારવી, નાસીર  લોટીયા, માજી તલાટી સૈયદ છોટેસાબ, વાગરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા કરાટે વર્લ્ડ ચેમ્પિયન   ઇમરાનભાઈ ભઠ્ઠી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, મુસ્તુફાભાઈ ખોડા, ઉસ્માન લાલન, વિદેશથી પધારેલા મુનાફભાઇ બચ્ચા, અફઝલ ઘોડીવાલા, ગુજરાત ટુડેના પત્રકાર મુસ્તાક દૌલા વિગેરેની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાએ મહાનુભાવોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. અંતમાં મહાનુભાવોએ ટૂંકું વક્તવ્ય આપ્યું હતું. જેમાં સમગ્ર દિવસના કાર્યક્રમથી પ્રભાવિત થઇ સલીમભાઇ ઘડિયાળીએ જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં ૭ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે પરંતુ આટલું સુંદર અને અદભુત આયોજન તેમણે ક્યારેય જોયું નથી, તેમણે જણાવ્યું હતું કે, તેમની શાળાના સ્ટાફગણને આ શાળાની ખાસ મુલાકાત લેવા જણાવીશ. નિર્વૃત્તિના આરે ઉભેલા અગ્રગણ્ય શિક્ષક ગુલામભાઇ ઇપલી એ તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, મારા જીવનકાળ દરમ્યાન આટલો સુંદર અને સુનિયોજિત સ્પોર્ટ્સ કાર્યક્રમ પ્રથમ વખત ટંકારીઆની ભૂમિ પર જોઈ આશ્ચર્યચકિત થઇ ગયો છું.  મહાનુભાવોએ ગામના આ પ્રથમ વખત યોજાયેલા  શાળાકીય  સ્પોર્ટ્સ ડે ઇવેન્ટ  કાર્યક્રમને બીરદાવી શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન શાળાના ઉત્સાહી અને મહેનતુ આચાર્ય મહેતાબખાન પઠાણ મેડમે સંભાર્યુ હતું. મહાનુભાવોએ શાળાના આચાર્ય તથા શિક્ષણગણ અને ટ્રસ્ટી મંડળની મહેનતની ખુબ ખુબ પ્રસંશા કરી તેમને અભિનંદનોથી નવાજ્યા હતા.

ઇનામ વિતરણ ના ફોટો

ILYAS MOHAMMED DIWAN URFE NURU [ Jumma masjidna Khidmatgar] passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E janaja will held at Bhadbhag graveyard at 3:00pm today. May ALLAH [SWT] accept his Deeni Khidmat and place him in to Jannatul Firdaush. Ameen. 

ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા મુસ્તફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] માં કુલ ૪ હાઇમસ લાઈટના ટાવરો ગામલોકોની સુખાકારી માટે ઉભા કરવામાં આવ્યા હતા તેમજ ૧ ટાવર આપણા ગામના સખીદાતા મુબારક ઈબ્રાહિમમાસ્ટર ભાણીયા [હાલ રહેવાસી ભરૂચ] દ્વારા બનાવવામાં આવ્યો હતો તેનો ઉદ્ઘાટન સમારંભ ગતરોજ વહેલી રાત્રે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ટૂંકા સમારંભમાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને મહાનુભાવોના કરકમલો દ્વારા લાઈટની સ્વિચો ચાલુ કરી હાઇમસ ટાવરોને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ  પ્રસંગોપાત ટૂંકા વક્તવ્યમાં અબ્દુલ્લાહ કામઠીએ જણાવ્યું હતું કે, આપણા ગામમાં હવે એક કોલેજની જરૂરત છે કારણકે આપણા બાળકો નિર્ભય રીતે ગામમાંજ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે. અને તેના અમલીકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. સરપંચ ઝાકીર ઉમતાએ ખરીના મેદાનમાં આ લાઈટો મુકવાના લાભાલાભ રજુ કર્યા હતા. તેમણે ટંકારીઆ ગામના વિકાસમાં સતત અગ્રેસર રહી હંમેશા વિદેશમાં રહી ગામની ફિકર કરતા તમામ એન.આર.આઈ. ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ લાઈટોનો મુખ્ય હેતુ ગામના સાર્વજનિક હિત અને સામાજિક કાર્યક્રમો તથા લોકહિતના કાર્યક્રમો યોજવા માટે પંચાયતની લેખિત મંજુરીથી જ કરવામાં આવશે એવી બાહેંધરી આપી હતી. . આ ટાવરોના સમારકામ તથા દેખભાળ ની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ટાવરોનો કોઈ પણ હેતુ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા માટે નથી. તેમજ વિદેશથી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ પણ પ્રસંગોપાત વક્તવ્ય રજુ કર્યું હતું. તેમણે તેમની વક્તવ્ય કહ્યું હતું કે, ગામના તથા સમાજના સારા કાર્યો કરવા સતત કરવા પ્રયત્નશીલ રહો. વિઘ્નોતો આવશે જ…….પણ હિમ્મત હારશો નહિ, ગામની પ્રગતિ માટે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે.
આ કાર્યક્રમમાં ગામના એન.આર.આઈ. ભાઈઓ જેવાકે અય્યુબભાઇ મીયાંજી, ઇસ્માઇલભાઈ ખૂણાવાળા, યાકુબભાઇ કરીમ, ઈમ્તિયાઝભાઈ બાપુજી, અફરોઝ ખાંધિયા, ઇકબાલભાઇ ધોરીવાળા, તથા સામાજિક કાર્યકરો અઝીઝ ટંકારવી, અબ્દુલ્લાહ ટેલર, ઝાકીર ઉમતા, અબ્દુલ્લાહ કામઠી, મકબુલ અભલી, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, સઈદસાહેબ બાપુજી, બિલાલ લાલન, યાસીન શંભુ, તેમજ મુબારકભાઈ ભાણીયા તથા તેમના મિત્રમંડળ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમારંભનું સંચાલન વન એન્ડ ઓન્લી અબ્દુલ્લાહ કામઠી એ કર્યું હતું.

Haji Daudbhai Ahmed Chamad passed away,…. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 9:30am tomorrow. May ALLAH (SWT) grant him the best place in jannatul firdaush. Ameen…