હાસમપીર (રહ.) નો સંદલવિધિ પ્રોગ્રામ યોજાયો

કસ્બા મુસ્તફાબાદ (ટંકારીઆ) માં આરામ ફરમાવી રહેલા હાસમપીર (રહ.) નો સંદલવિધિનો કાર્યક્રમ ૨૭ RAJJAB ના રોજ દરવર્ષે યોજવામાં આવે છે. ગતરોજ શનિવારે ઈશાની નમાજ બાદ હાસમપીર (રહ.) નો સંદલવિધિનો કાર્યક્રમ પાટણવાળા બાવાના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અલ્લાહના ઝિક્ર સાથે શરૂઆત થઇ હતી ત્યારબાદ નાતશરીફના ગુલદસ્તાઓ પેશ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી હતી.
ડેલાવાલા સ્ટ્રીટના નવયુવાનોએ સાંજે મોટા પાયા પર ન્યાઝ બનાવી ગામજનોને ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*