1 5 6 7

આગામી રમઝાન ઈદ નો તહેવાર નજીક હોવાને લક્ષમાં રાખી ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગ્રામ પંચાયતની ઓફિસમાં પાલેજ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.એસ.આઈ. પ્રદીપસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઈદ ના પવિત્ર અવસર પર શાંતિ અને કાયદો વ્યવસ્થા સચવાય એ રીતે તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી હતી. આજે નવનિયુક્ત પી.એસ.આઈ. નો પ્રથમ દિવસ હોય અને ટંકારીઆ ગામની પ્રથમ મુલાકાત હોય ગામ ના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા ગામ આગેવાન ઉસ્માન લાલન તથા પંચાયત ના સદસ્યો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

1 5 6 7