1 2 3

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન આજે યોજાયું છે. ટંકારીઆ ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યપદ માટે ચૂંટણી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ૧૧ કલાકમાં ૨૨.૩૩% મતદાન થયું છે. એટલેકે કુલ ૮૫૩૦ મતદારોમાંથી ૧૯૦૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ટંકારીઆ ગામના બંને પંચાયતના સભ્યના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મહદઅંશે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. મતદાન નો સમય સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા રવિવારે યોજાશે જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. દરેકે દરેક ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી મતદારોના દ્વારે દ્વારે સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહેલા જણાયા છે. દરેક પક્ષના ઉમેદવારોએ અત્યારસુધીમાં મોટી મોટી રેલીઓ પણ કાઢી હતી. આજે સાંજથી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. અમો આ થકી દરેક ઉમેદવારને શુભકામનાઓ પાઠવીએ છીએ. આ ચૂંટણીની મતગણતરી બીજી માર્ચે યોજાશે.

Hajiyani Rabyaben W/O Haji Aiyubbhai Miyanji (Tankaria), sister of Late Ibrahim Bhai Nathaliya of Leicester, passed away today at Vancouver Canada.


إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ

May ALLAH SWT grant her a place Jannatul firdaus and Sabre jameel to family. Ameen

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એકદમ નજીક આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. રજિયાના સાનિધ્યમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ માર્ચ સમગ્ર ગામના મુખ્ય રસ્તાઓપર કરી હતી. જેમાં પાલેજ પોલીસ મથકનો સ્ટાફ તથા મિલિટ્રીના જવાનો તથા લેડીઝ પોલીસ પણ આ માર્ચમાં જોડાઈ હતી. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આ ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.

HAJIYANI AMINABEN IBRAHIM BASHERI [MOTHER OF AIYUB / YAKUB / ISMAIL] BASHERI PASSED AWAY……… INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT BHADBHAG GRAVEYARD AFTER ZOHAR PRAYER. MAY ALLAH [SWT] GRNAT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

FARUKBHAI MUSA MANKI PASSED AWAY……….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRNAT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN. NAMAJ E JANAJA WILL HELD AT BHADBHAG GRAVEYARD AT 10AM TODAY.

HAJI DILAWARBHAI IBRAHIM SAPA PASSED AWAY……….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 3PM TODAY. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

કોરોના વાઇરસની મહામારી ને પગલે લગભગ એક વર્ષના વિરામ બાદ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો ગતરોજ થી ચાલુ થઇ જતા વિદ્યાર્થી અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળા શરુ કરતા પહેલા શાળાના વર્ગોને સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા પહેલા વાલીઓની સંમતિ પત્રક આપવાનું હોય દરેક વિદ્યાર્થો સંમતિ પત્રક સાથે હાજર થયા હતા અને ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. ફૂલડાંઓનો મઘમઘાટ ફરી શરુ થઇ ગયો છે. હવે શાળાના ઓરડાઓ કીકીયારીઓથી ગુંજી ઉઠશે, હવે શરુ થશે જીવન જીવવાની કળાઓ, જીવનની પાઠશાળાના પાઠ ફરી શરુ થશે, બાળકોમાં પતંગિયાની જેમ પાંખો ફૂટશે, જાણે મુરજાય ગયેલી કુંપણો નવપલ્લિત થશે. આહા! વસંતના વધામણાં કરતી શાળાઓ ફરીથી શરુ થઇ ગઈ છે.

RABIYABEN ISMAIL GANDIWALA [GHODIWALA] [SISTER OF HANIFBHAI DRIVER] PASSED AWAY….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AFTER ZOHAR PRAYER. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

1 2 3