ટંકારીઆ માં ભરૂચ કોંગ્રેસ બટાલિયનના નેજા હેઠળ મિટિંગ યોજાઈ

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે ગતરોજ રાત્રે ટંકારીઆ ગામના કોંગ્રેસ અગ્રણી મકબુલભાઈ અભલીના નેતૃત્વમાં ભરૂચ કોંગ્રેસ બટાલિયન કમળ છાપ કોંગ્રેસીઓ વિરુદ્ધ ના નેજા હેઠળ એક વિશાલ મિટિંગ નું આયોજન ટંકારીઆ ગામના કોંગ્રેસ અગ્રણી મકબુલભાઈ અભલી ની વાડીમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના કોંગ્રેસના મોટા મોટા અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મિટિંગની શરૂઆતમાં મકબુલભાઈ અભલી એ તથા તેમના કાર્યકરોએ કોંગ્રેસ માંથી રાજીનામાં આપવાનો ખુલાસો કર્યો હતો અને તેમને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ ફાયરબ્રાન્ડ વક્તા તરીકે જાણીતા અને વાગરા તાલુકા ખેડૂત મંડળના ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી એવા યાકુબભાઇ ગુરુજી એ પોતાના વક્તવ્યમાં તેમને તથા બીજા વર્ષોથી કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસ માંથી રાજીનામુ આપવાના નિર્ણયોની છણાવટ કરી હતી. તેમને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા કે જેમના ઉપર ભ્ર્ષ્ટાચારના આરોપ હોય અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા પક્ષ વિરોધીઓ સાથે રહીને કોંગ્રેસ ની ઘોર ખોદવાનું કાર્ય કરે છે અને કોંગ્રેસની વિચારધારાથી વિપરીત કામ કરે છે એમ જણાવી તેમના ઉપર આકરા પ્રહારો કરી એમ જણાવ્યું હતું કે, અમે પક્ષના સંનિષ્ઠ કાર્યકરો છીએ અને પક્ષમાં રહીને કોંગ્રેસને ઉંચાઈઓ પર લઇ જવાનું સ્વપ્ન સેવીએ છીએ પરંતુ કોંગ્રેસ ના હાલના પ્રમુખ કોંગ્રેસના વિરોધીઓ સાથે સાંઠગાંઠ ધરાવી પક્ષને નુકશાન કરી રહ્યા હોવાથી અને એમને જ ફરીથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવતા આગેવાનો અને કાર્યકરોમાં રોશની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમને એમ પણ જણાવ્યું હતું કે આ બધું ષડયંત્ર પ્રદેશ કક્ષાએથી રચાયું છે. આજે બાવન વરિષ્ઠ આગેવાનોએ રાજીનામુ ધરી દીધું છે તે અમે કોંગ્રેસ વિરોધી નહિ પરંતુ જિલ્લા કોંગ્રેસ ને મજબૂત કરવા માટે આ કદમ ઉઠાવવાની ફરજ પડી છે. એમને એમ પણ જણાવ્યું હતું કે અમે પ્રદેશ કોંગ્રેસને અપીલ કરીએ છીએ કે અમારી વાતમાં કેટલી વાસ્તવિકતા છે તેની તપાસ કરે આવા બેજવાબદારોને પાર્ટીમાંથી કાઢે તો અમે ફરીથી કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છીએ.
ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી યુનુસ પટેલે પણ પોતાના ટૂંકા વક્તવ્યમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ ની હાલ ની પરિસ્થિતિ પર પોતાના વિચાર વિમર્શ રજુ કર્યા હતા. તેમને તેમના મનોમંથનમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ૩૨% મતો ધરાવતા લઘુમતી સમાજે સોસીયલ એન્જીનીયરીંગ થી કામ કરવું પડશે. સમાજે પક્ષ સાથે રહીને જ લડત આપવી પડશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે રાજીનામુ આપવું એ કોઈ વિકલ્પ નથી. ત્યારબાદ અબ્દુલભાઇ ચૌહાણે પણ જિલ્લા કોંગ્રેસની હાલની પરિસ્થિતિ પર પ્રકાશ પડ્યો હતો.
આ મિટિંગમાં મકબુલ અભલી તથા યાકુબભાઇ ગુરુજી, યુનુસભાઇ પટેલ, ઇશાકભાઈ રાજ, બાદ્શાહભાઈ, અબ્દુલભાઇ ચૌહાણ તથા  ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરભાઈ ઉમતા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તથા ગામ પરગામથી મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. હવે એ જ જોવાનું રહ્યું કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ પરિસ્થિતિને કેટલા ગંભીર લે છે. કે પછી ઘી ના ઠામ માં ઘી ઢોળાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*