Category: News
ઈદ એ મિલાદુન્નબી ૨૮/૯/૨૩ ના રોજ મનાવશે
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે માહે રબીઉલ અવ્વલ નો ચાંદ ગુજરાત ચાંદ કમિટીની જાહેરાત વચ્ચે જાહેર કરેલ છે કે, રબીઉલ અવ્વલ નો પ્રથમ ચાંદ તારીખ ૧૭/૯/૨૩ ને રવિવારના રોજથી ગણાશે. એટલેકે ઈદ એ મિલાદુન્નબી ૨૮/૯/૨૩ ને ગુરુવારના રોજ મનાવવામાં આવશે. આ ૧૨ દિવસોમાં જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ટંકારિયામાં દરરોજ ઈશાની નમાજ બાદ બયાનોનો દૌર શરુ થઇ ગયો છે. ગામની વિવિધ મસ્જિદોને લાઈટ ડેકોરેશનથી આબેહૂબ રીતે શણગારવામાં આવી છે.
Walima function in Tankaria
Walima daawat of SUHEL S/O SULEMAN JET [ABHUJI] held at Darul Ulum Community Hall – Tankaria today.
Death news from Tankaria
HAJIYANI FATIMABEN KIDI passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant her superior place in Jannatul firdaush. Ameen.
ટંકારિયામાં મુખ્ય રોડ પર ગટર દીવાલ તૂટી પડી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચ થી પાલેજ તરફ જતા મેઈન રોડ પર અડોલ ચોકડી પાસે મુખ્ય રસ્તાની નીચેથી પસાર થતી ભૂંગળા વાળી ગટરની એકબાજુનો ભાગ ધરાશાયી થઇ ગયો છે. જેને કારણે રસ્તાની નીચેના ભૂંગળાને મોટું નુકશાન થયું છે. આ પહેલા ગામના વહીવટદારે અને તલાટીએ પી.ડબ્લ્યુ.ડી. ના અધિકારીઓને લેખિતમાં પણ જાણ કરેલ હોવા છતાં તેની મરમ્મત ના થતા આખરે ગત રોજ દીવાલ ધરાશાયી થઇ ગઈ છે. અને ભવિષ્યમાં પણ જો આનું મરમ્મત કરવામાં નહિ આવે તો મુખ્ય રોડ ની નીચેના ભૂંગળાઓ ક્ષતિગ્રસ્ત થઇ જશે તો આખો મુખ્ય રસ્તો બંધ કરવો પડશે એવી ભીતિ સેવાઈ રહી છે. અત્રે જણાવવું જરૂરી છે કે, આ ગટર ની બિલકુલ નજીક સરકારી શાળાઓ પણ આવેલી છે અને શાળાના વિદ્યાર્થીઓને કોઈ જાનહાની ના થાય તથા ભરૂચ થી પાલેજ તરફ જતો મુખ્ય રસ્તો બંધ ના થઇ જાય તે હેતુ તંત્ર તાત્કાલિક ધોરણે સમારકામ કરે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.