1 18 19 20 21 22 877

ટંકારીઆ ઉર્ફે મુસ્તુફાબાદ માં આરામ ફરમાવી રહેલા હજરત હાસમપીર [રહ] નો સંદલ નો પ્રોગ્રામ ગતરોજ ઈશાની નમાજ બાદ યોજાયો હતો. જેમાં નાત શરીફ, ઝિક્ર અને મનકબત ના પઠન સાથે પૂર્ણ થયો હતો. પાટણવાળા બાવાના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આજ દિવસે અસર ની નમાજ બાદ ડેલાવાળા નવયુવાનો દ્વારા સમગ્ર ટંકારીયાના ગ્રામજનોમાટે ન્યાજનો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો.

આપણા ગામના બસીરસાહેબ બચારવાળા કે જેઓ ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગયા હતા તેઓ પરત ફરતી વખતે જેદ્દાહ એરપોર્ટ પર અચાનક બીમાર થઇ ગયા અને તેમને જેદ્દાહ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા છે. આ થકી આપ સૌને તેમની સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરવાની અપીલ કરવામાં આવે છે.

1 18 19 20 21 22 877