Walima function in Tankaria
Walima function of FAIZAN S/O ABDULLAH IBRAHIM AGGAR [EX. S.T. DRIVER] held at Tankaria today.

TANKARIA WEATHER


ગુસલ વાન સંબંધિત વિડીયો જોવા નીચે આપેલ links પર ક્લિક કરો
(1) ગુસલ વાનમાં મય્યતને ગુસલ આપવાની સરળ રીત
(2) મય્યતને કફન પહેરાવવાની સરળ રીત: ભાગ ૦૧
(3) મય્યતને કફન પહેરાવવાની સરળ રીત: ભાગ ૦૨
(4) મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી લઈ જવા માટેની મય્યત વાન. ટંકારીઆ, તાલુકા જિલ્લા- ભરૂચ.
ટંકારીઆ ઇદગાહ ટ્રસ્ટ સંચાલિત આધુનિક અને સંપૂર્ણ સુવિધાસભર મય્યત વાનનું લોકાર્પણ તા. ૦૮ મે ૨૦૨૬, શુક્રવારના રોજ ગામની મસ્જિદોમાં જાહેરાત અને મોટા પાદરમાં દુઆ સાથે કરવામાં આવ્યું હતું. મોટા પાદરમાં યોજાયેલા ખાસ દુઆના કાર્યક્રમની શરૂઆત હાફેઝ સલીમ સાહેબે તીલાવતે કુરઆનથી કરી હતી. સૈયદ પાટણવાલા બાવા સાહેબે વાનનો દરવાજો ખોલી વાનનું લોકાર્પણ કર્યું હતું. હઝરત મવલાના અબ્દુલરઝ્ઝાક અશરફી સાહેબે ખાસ દુઆઓ કરી હતી.
મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી સન્માનપૂર્વક લઈ જવાની બન્ને સુવિધાઓ ધરાવતી આ પહેલી વાન છે. બધી સુવિધાઓ સાથેની આ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ વાન ટંકારીઆ ગામ અને સમાજ માટે એક અનમોલ સેવા સાબિત થશે, ઇન્શાઅલ્લાહ.
આ આધુનિક વાનમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે:
આ ઉપરાંત, વાનમાં ભાઈઓ અને બહેનો માટે કફનના તૈયાર સેટ, ખુશ્બૂ, અત્તર, સાબુ સહિતની કિટ, કબરમાં ઉપયોગમાં લેવાતી સાદડી વગેરે જરૂરી સામગ્રી ખૂબ જ કિફાયતી ભાવે વાનમાં ઉપલબ્ધ રહેશે. ભોજા સ્વીટ વોટરના માલિક સલીમભાઈ ઈસ્માઈલ ભોજા તરફથી દરેક મય્યતના ગુસલ માટે ફિલ્ટર પાણી (RO Water) નિઃશુલ્ક આપવામાં આવશે.
મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી લઈ જવાની જરૂરિયાત માટે નીચે આપેલા જિમ્મેદારોમાંથી ક્રમ મુજબ કોઈપણ એક જ જિમ્મેદારનો સંપર્ક કરવો.
જિમ્મેદારોના મોબાઈલ નંબર મય્યત વાન ઉપર પણ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા છે.
ટંકારીઆ વેલ્ફેર સોસાયટી સહિત ગામ-પરગામના તમામ ભાઈઓ-બહેનો, સહયોગીઓ અને દાતાઓનો ટંકારીઆ ઇદગાહ ટ્રસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અલ્લાહ તઆલા તમામની ખિદમત, મહેનત અને સહકારને કબૂલ ફરમાવી બન્ને જહાનમાં બેહતરીન બદલો અતા ફરમાવે એવી દિલી દુઆ છે.
ઇન્શાઅલ્લાહ, મય્યત વાન માટે અલગ શેડ બનાવવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને કામ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવશે.
માં-બહેનોના મય્યત દરમિયાન ઘરેથી લઈને દફનવિધિ સુધી શરીયત મુજબ જે રીતે પરદાનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવે છે, એ જ રીતે ગુસલ આપવાની પ્રક્રિયાના દરેક તબક્કે પણ પરદાનો સંપૂર્ણ એહતેમામ રાખવો અત્યંત જરૂરી છે. આ હેતુસર, ઓરતોની દફનવિધિ દરમિયાન કબ્રસ્તાનમાં ઉપયોગમાં લેવાતા મોટા પરદા ઉપરાંત એક નાની સાઇઝનો પરદો પણ વાનમાં ઉપલબ્ધ રહેશે, જેથી જ્યાં જરૂર પડે ત્યાં તેનો ફરજીયાત ઉપયોગ કરી શકાય.
આ દીની અને સામાજિક ખિદમતને સફળ બનાવવા માટે સમગ્ર ગામજનોનો સંપૂર્ણ સહકાર અત્યંત આવશ્યક છે.
અલ્લાહ તઆલા આ ખિદમતને બધાના માટે સદકએ જારિયા બનાવે અને સમગ્ર સમાજ માટે લાભદાયક સાબિત કરે. આમીન.










