સમગ્ર ભારતમાં માહે ઝીલ-હજ નો ચાંદ ગત રોજ નજર નહિ આવ્યો હોવાથી તા. ૧૯/૫/૨૬ ના રોજથી ઝીલ-હજ નો પ્રથમ ચાંદ ગણાશે. એટલે કે, ઈદ-ઉલ અડ્ડહા યાને કે બકરી ઈદ ની ઉજવણી તારીખ ૨૮/૦૫/૨૬ ને ગુરુવારના રોજ કરવામાં આવશે. તમામને માહે ઝીલ-હજ મુબારક………..

HAJI YUSUF MUSA PAVADIYA passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 10pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen……

આજે સવારે આશરે ૮ વાગ્યાના સુમારે ટંકારીઆ-કંબોલી વચ્ચે ઠીકરીયા સ્ટેન્ડ પાસે મારુતિ વેન નંબર જીજે ૧૬ બીજી ૧૯૨૭ અને ઓટોરિક્ષા નંબર જીજે૧૬ એટી ૪૪૮૦ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા દયાદરા ગામના રહીશ ઇબ્રાહીમભાઇ શેરપુરાવાળાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. તથા તેમની સાથે વાનમાં બેસેલા દયાદરા ગામના સરફરાઝ રુડીને ગંભીર ઇજાઓ થતા ભરૂચ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા છે. પ્રાપ્ત માહિત અનુસાર ઓટોરિક્ષા મેસરાડ ગામની હતી તેમાં પણ ૩ મુસાફરો બેસેલા હતા તે તમામને તથા રીક્ષા ચાલાકને પણ ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલાઇઝ કર્યા છે. જેમાંથી કેટલાક ને ગંભીર ઇજાઓને કારણે આઈ.સી.યુ. માં ભરતી કરવામાં આવ્યા છે. પાલેજ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Br. Azim Hira of Toronto, (Hirawala/Barkaliya, Tankaria) sadly passed away earlier today in Toronto. Canada.

‎إِنَّا للهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ

Salatul-Janaza will be performed *TODAY (Tue May 12) after ASR Namaz (6:45pm) in Madinah Masjid followed by burial in Muslim Cemetery in Richmond Insha-Allah*

May Allah (SWT) forgive all his shortcomings, grant him the highest ranks in Jannah, and bestow Sabr-e-Jameel to all family and friends left behind.Ameen.

તા.૧૨.૫.૨૦૨૬ ને મંગળવાર સાંજે ૬.૩૦ કલાકે ટંકારીઆ ઘોડી રોડ સ્થિત નવી નગરી માં એક ઘર માં ગેસ બોટલ સરગવાથી આગ 🔥 લાગી હતી કોઇ જાનહાનિ કે માલી નુકસાન થયું નથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ તાત્કાલિક ફાયર સેફટી બોટલ લઇ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેના દ્વારા ફાયર સેફટી બોટલ દ્વારા તાત્કાલિક આગ 🔥 પર કાબુ મેળવી ધર ને તેમજ આજુબાજુના વિસ્તાર ના લોકો ને નુકસાન થતું બચાવવા માં આવ્યું હતું.
અલ્લાહ તઆલા તમામ ની હીફાજત કરે. આમીન…

મે માસની અસહ્ય ગરમી વચ્ચે ટંકારીઆ સહીત જિલ્લામાં ભારે ઉકળાટ, ગરમી અને લૂ નો સામનો લોકો કરી રહ્યા છે. બપોર દરમ્યાન ગરમીનો પારો ૪૩-૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે. સવારના પહોર થી જ ગરમીનો પ્રકોપ શરુ થઇ જાય છે જે બપોર થતા અસહ્ય થઇ જાય છે. લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળે છે અને બપોરે જાણે કર્ફ્યુ જેવો માહોલ થઇ જાય છે. અંગ દઝાડતી ગરમીના પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ ગરમોનો પારો ઊંચો રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.