બાઈટ : વિદ્યાર્થીઓને  વતન પ્રત્યે વફાદાર રહેવાની અને ઉત્તમ દેશપ્રેમી બનવાની શિખામણ આપતા અઝીઝ ટંકારવી…….

આજ રોજ તા. ૧૫/૦૮/૨૦૨૪ ને ગુરૂવારના રોજ એમ..એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ..એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે :૩૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના અઝીઝ ટંકારવી (ગુજરાત ટુડેના પ્રકાશક અને કવિ) સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકોઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં અબ્દુલભાઈ ટેલર (તાલુકા પંચાયતના સભ્ય), સરપંચ ઝાકીરભાઈ ઉમતા, ઘનશ્યામભાઈ (તલાટી), ઉસ્માનભાઈ લાલન, મુસ્તાકભાઇ રખડા, ઉસ્માનભાઈ ઇપલી, યાકુબભાઈ બોડાં તેમજ શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીમંડળના અન્ય સભ્યો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં અઝીઝ ટંકારવીએ પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી  શ્રધ્ધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો અને મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગેરંગાઈને ઉજવણી કરી. વધુમાં મહાનુભાવોએ  જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા, દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા

સમગ્ર દેશ આજે સ્વાતંત્ર દિવસની ઉજવણી દબદબાભેર કરી રહ્યો છે. આજે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદીનો પર્વ. જે અંતર્ગત આજે ટંકારીઆ કસ્બામાં આઝાદી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગ્રામ પંચાયત ટંકારીયાના ચોગાનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામની વિવિધ શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ટંકારીઆ કન્યાશાળા [મુખ્ય] અને ટંકારીઆ કુમારશાળા [બ્રાન્ચ] ની નવનિર્મિત અદ્યતન શાળામાં ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના રંગે રંગાઈને ગગનભેદી દેશભક્તિના નારા લગાવી વાતાવરણ એકદમ ગુંજી ઉઠ્યું હતું. કન્યાશાળાના આચાર્ય ખીલજી સાહેબે પોતાની આગવી છટામાં દેશકાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિનાં પુષ્પો અર્પિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં અબ્દુલ્લાહ ટેલર ઉપરાંત તલાટી ઘનશ્યામભાઈ તથા માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, સલીમ ઉમતા, માજી શિક્ષક દરબાર સાહેબ તથા શાળાના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ આપી કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.

HAJIYANI FATIMABEN YAKUB SUBA BASHERI passed awway………….. Namaj e janaja will held at Bhadbhag graveyard after Zuhar prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen. 

બાઈટ : ગુજરાતી ગઝલ ક્ષેત્રે મુસ્લિમ શાયરોના યોગદાનને ઉજાગર કરતું ‘ગઝલ ગુલઝાર’ સીમાચિહ્નરૂપી પુસ્તકનું સંપાદન. – નાસીરહુસેન લોટીયા.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આવેલી એમ.એ.એમ. પ્રાથમિક ઇંગ્લિશ મીડીયમ તથા એમ.એ.એમ. હાઈસ્કૂલના સભાખંડમાં સ્કૂલના બાળકોનો વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત કુરાનેપાકના પઠનથી કરવામાં આવી હતી. બાદમાં કાર્યક્રમમાં હાજર મહેમાનોનું પુષ્પગુચ્છ આપી  સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં શાળાના પ્રમુખ ઈસ્હાકસાહેબે શાળાનો વિસ્તૃત ચિતાર રજુ કર્યો હતો. ત્યારબાદ આ શાળાના આચાર્ય મહેતાબ મેડમને સ્મૃતિચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષકોને પ્રતિભાનુસાર એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ બાદ ‘ગુજરાત ટુડે દૈનિક’ ના સંપાદક અઝીઝ ટંકારવી તથા ડો. એસ.એસ.રાહી દ્વારા સંપાદિત  ‘ગઝલ ગુલઝાર’ પુસ્તકનું વિમોચન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકની વિશેષ માહિતી ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર એવા નાસીરહુસેન લોટીયાએ પોતાના પ્રવચનમાં આપી હતી. આ પુસ્તકના બંને સંપાદકો પૈકી અઝીઝ ટંકારવીના ૧૭ જેટલા પુસ્તકો આ અગાઉ પ્રકાશિત થયા છે.  તથા ડો. એસ.એસ.રાહીના પણ કેટલાક પુસ્તકોનું પ્રકાશન થયું છે. આ બંને સંપાદકો આ પુસ્તક માટે  છેલ્લા ત્રણ વર્ષથી પ્રયત્નશીલ હતા. તેમના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે ૩૪૨ પેજનું આ દળદાર પુસ્તક જેમાં ભારત, પાકિસ્તાન, યુ.કે., અમેરિકા જેવા વિશ્વના દેશોમાં વસવાટ કરતા હાલના અને ભૂતકાળના મળી કુલ ૩૧૧ ગુજરાતી મુસ્લિમ શાયરોની એક-એક કૃતિ અને તેમનો ટૂંકો પરિચય આવરી લેવામાં આવ્યો છે તેનું પ્રકાશન શક્ય બન્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્યમાં અનેરું યોગદાન આપનાર અઝીઝ ટંકારવીની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો  કોઈ વિદ્યાર્થી ‘ગુજરાતી ગઝલ અને ગઝલકારો’ વિષય પર પી.એચ.ડી. કરવા માંગતો હોય તો આ પુસ્તક તેમના માટે ઉપયોગી સાબિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પુસ્તક ગુજરાતી સંપાદનોમાં એક બેનમૂન સંપાદન સાબિત થશે અને ગઝલ રસિકો તરફથી આ પુસ્તકને સુંદર આવકાર મળશે.

આ પ્રસંગે મહેમાનોમાં જનશિક્ષણ સંસ્થા, ભરૂચના ડાયરેક્ટર સૈયદ જૈનુલ આબેદીન, અઝીઝ ટંકારવી, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી જિલ્લા સભ્ય મકબુલ અભલી, કુરચન ગામના સરપંચ ઇમરાન દીવાન, માજી તલાટી છોટેસાહેબ સૈયદ, મુબારકભાઈ ભાણીયા, નાસીરહુસેન લોટીયા, ઇબ્રાહીમ સાહેબ પીર, નબીપુરના મહેબૂબ પટેલ, ટંકારીઆ પી.એચ.સી. સેન્ટરના ડો. ફરહાનમેડમ ઉપરાંત રતિલાલભાઈ પરમાર, કવિ યકીન ટંકારવી તેમજ શાળાની મેનેજમેન્ટ કમિટીના સભ્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અંતમાં શાળાના શિક્ષક મુસ્તાક પટેલે આભારવિધિ કરી પ્રોગ્રામ સંપન્ન થયો હતો.

   

 

MUBARAK GULAM JIVA [AKN  BALLU] passed away by heart atrtack. Namaj e janaja will held at Bhadbhag graveyard after Isha prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush.

ધી ટંકારીઆ વેલ્ફર સોસાયટી યુ.કે. દ્વારા ફ્કત ટંકારીઆ ગામના ઝકાતના હકદાર હોય એવા કુશળ કારીગરોને તેમના વ્યવસાય માટે જરૂરી હોય એવા સાધનોની સહાય આપવાની યોજના છે. હાલમાં આ યોજનામાં (૧) વાયરમેન (૨) ઇલેક્ટ્રિશિયન (૩) પ્લમ્બર અને (૪) ટેલરીંગ એમ ચાર વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જરૂરી સાધનોની સહાય મેળવવા ઇચ્છતા ઝકાતના હકદાર હોય એવા મૂળ ટંકારીઆ ગામના કારીગરો કોરા ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ પરત કરવા નીચે આપેલ વ્યક્તિઓનો સંપર્ક કરે.
(૧) મુસ્તાક સુલેમાન દોલા. અશરફી ઝેરોક્ષ સેન્ટર, દારૂલ ઉલૂમ શોપીંગ સેન્ટર, મોટા પાદર.

(૨) ફારૂક ખાંધિયા. ખાંધિયા સ્ટોર, ટંકારીઆ બજારમાં.

ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તારીખ:૧૫/૦૮/૨૦૨૪

 

Wedding function of SON OF FARUKBHAI GHANTIWALA [AKA…. ZAFRU] held at Blackburn, UK. My Tankaria Team, on behalf of all visitors, congratulates Zafru, newly wed and both families.