1 2 3 5

ચોમાસાની વિદાય સાથે વાતાવરણમાં ઠંડી નું પ્રમાણ વધવા પામ્યું છે. અને ઠેર ઠેર ક્રિકેટ ટુર્નામેન્ટો નું આયોજન શરુ થવા માંડ્યું છે. વળી હાલમાં ટી-૨૦ વર્લ્ડકપ પણ ચાલી રહ્યો છે. એટલે નવયુવાનો તો નવયુવાનો પણ આધેડોમાં પણ ક્રિકેટ નો શોખ તેની ચરમસીમા પર છે. જે સબબ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખળી ના મેદાન] કે જે ચોમાસામાં ઉબડખાબડ થઇ ગયું હતું તેને વ્યવસ્થિત સમતલ કરી ભવ્ય મેદાન નું સ્વરૂપ આપી દીધું છે. જેમાં ઐયુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મન તથા સાજીદ લાલન ની દિવસ રાત મેદાન પાછળ વ્યસ્તતાને લીધે આ કામ પાર પડ્યું છે. અને આ સીઝનની શરૂઆત આવતા રવિવાર તારીખ ૦૭/૧૧/૨૧ ના રોજથી થનાર છે એટલે કે ટંકારીઆ તથા આસપાસના ક્રિકેટ પ્રેમીઓ માટે ક્રિકેટ ફીવર શરુ થઇ જશે. તદુપરાંત બે વર્ષના લાંબા વિરામ બાદ માદરે વતન પધારવા થનગનતા એન.આર.આઈ. ભાઈઓએ પણ તેમની તડામાર તૈયારીઓ કરી દીધાના સંદેશો સાંપડ્યા છે.

With the departure of monsoon, the amount of cold in the atmosphere has increased. And Everywhere cricket tournaments are starting to be organized. Also, the T20 World Cup is currently underway. That is why the lover of cricket is at its peak even among the youth and elders. The Mustufabad Cricket Ground [Khali Na Maidan] which was rough in the monsoon has been leveled and turned into a magnificent ground. In which Ayub Dadabhai alias Dushman and Sajid Lalan have been busy behind the ground day and night. And this season will start from next Sunday on 08/11/21, which means cricket fever will start for cricket lovers in and around Tankaria. In addition, after a long hiatus of two years, the N.R.I. was reluctant to return home. WE have also received the message that the NRI brothers and sisters have made their concussion preparations to come in motherland.

Haji Abdul Adam Issop Dhoriwala [Urfe Bhikhabhai] [Brother of Mastan / Ikku Dhoriwala] passed away at Bolton [UK] by heart attack. Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen. Namaj e janaja will take place at Masjid-e-Noorul Islam, Prospect Street, Off Halliwell Road, Bolton at 3 pm on Sunday 24/10/21.

કોરોના ની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ગતરોજ મોડી સાંજે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં કોવીડ વેક્સીન જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્ર ના પદાધિકારીઓએ હાજરી આપી કોવીડ વેક્સીન વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ શિબિરમાં ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર ખાસ જમીન અધિકારી યાસ્મિનબેન શેખ, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. પટેલ તથા ઇન્ચાર્જ મામલતદાર આદર્શ બશર ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી, ડે. મામલતદાર (ઈ-ધરા) તાપીયાવાળા સહીત વહીવટી તંત્ર હાજર રહી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ શિબિરમાં ભરૂચ જિલ્લા ના આરોગ્ય અધિકારી દુલેરા સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં કોવીડ વેક્સિનેશન નો પ્રથમ અને બીજો ડોઝ લઈને પોતાની, પોતાના કુટુંબની તથા સમાજ ની તંદુરસ્તી સાથે સુરક્ષા મંત્ર આપ્યો હતો. તેમને વેક્સિન વિશે અફવાઓને ધ્યાને ના લેવા અપીલ કરી હતી.
આ શિબિરમાં ભરૂચ જિલ્લા લઘુમતી સેલ ના પ્રમુખ તથા ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના ગુજરાત રાજ્ય વકફ વિંગના જનરલ સેક્રેટરી મુસ્તુફાભાઈ ખોડા, ઇન્ચાર્જ સરપંચ મુમતાજબેન લાલન, ભરૂચ મહિલા સુરક્ષા મંડળના સભ્ય રોશનબેન વૈરાગી, ટંકારીઆ કોવીડ સેન્ટરના વ્યવસ્થાપક હાફેઝ સફવાન ભુતા, શૈખુલ ઇસ્લામ ટ્રાઉસ્ટનાં પ્રમુખ મુસ્તાક બાબરીયા તથા ગામ આગેવાનો સલીમ લાલન, ઉસ્માન લાલન, ગુલામસાહેબ બટલી, સલીમ ઉમતા, ઇલ્યાસ હલાલત, ઇકબાલ સાપા, લાલન સાજીદ, મુબારક ધોરીવાલા તથા મોટીસંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા.

આજે ૧૨ રબીઉલ અવ્વલ આજના દિવસે ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવે છે. ટંકારિયામાં આજે ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૪.૩૦ કલાકથી મસ્જિદોના લાઉડસ્પીકરો પરથી નાત શરીફ અને સલાતો સલામ ની મહેફિલો ચાલુ થઇ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા ત્યાર બાદ ફઝરની નમાજ અદા કરી સવારે ૭ વાગ્યાથી જુલુસ પાટણવાળા બાવાના ઘરેથી નીકળ્યું હતું જેમાં નાત અને સલામ પેશ કરતા કરતા જુલુસ જામા મસ્જીદે પહોંચી મસ્જિદમાં બાલ મુબારક ની જિયારત કરી હતી.

1 2 3 5