ટંકારીઆ ગામે આરામ ફરમાવી રહેલા પીર હાશમશાહ [રહ.] ના સંદલ નો પ્રોગ્રામ દરગાહ ખાતે સય્યદ પાટણવાળા બાવાસાહેબના હસ્તે યોજાયો હતો. મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા. નાત શરીફ, સલાતો સલામ ના પઠન સાથે સંદલ ચઢાવવામાં આવ્યો હતો. ડેલાવાળા નવયુવાન કમિટી દ્વારા મગરીબની નમાજ બાદ ન્યાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે ગતરોજ રાત્રીના શબ એ મેરાઝ પણ હતી તો ગામજનો નવાફીલ માટે વિવિધ મસ્જિદોમાં જમા થઇ નવાફીલ ની અદાયગી કરી હતી. તેમજ આજે મોટો સંખ્યામાં લોકોએ હજારી રોઝો પણ રાખ્યો છે.

હેજી મારા નાનપણના ગામ, મારા બાળપણ ના ધામ, ટંકારીઆ ગામ તને કરું પ્રણામ. આ શબ્દો છે મૂળ ટંકારીઆ ગામના વતની એવા ભૂતપૂર્વ પી.એસ.આઈ. કરશનભાઇ ધનજીભાઈ ચૌહાણ [રોહિત] ના……… તેમને ટેલિફોનિક વાર્તામાં જણાવ્યું કે : મને મારું વતન, મારુ ગામડું બહુજ વહાલું છે, મારા સપનાઓ પુરા કરવા હું ગામ છોડી શહેર તરફ પ્રયાણ કર્યું. છતાં પણ મને મારુ ગામ હંમેશા યાદ આવતું રહે છે. બાળપણના અમૂલ્ય દિવસો જ્યાં વિતાવ્યા હોય એ દરેક યાદો મારી સાથે હંમેશા રહેતી હોય છે. બાળપણના મિત્રો, ગામની શેરીઓ, ગામનું પાદર, શાળાઓ, રમતગમત નું મેદાન, દુકાનો, બસ સ્ટેન્ડ, મસ્જિદો, રમઝાનની રોનક મારા મનમાં નાજુકાઈથી કોતરાઈ ગઈ છે. અને તેની યાદો મારા ચહેરા પર અચૂક સ્મિત લાવી આપે છે. જ્યારે કોઈક વખત કોઈ પ્રસંગે ગામની મુલાકાત લેવાનું થાય ત્યારે મારા ચહેરાની ચમક ઘણું બધું કહી જતી હોય છે. ત્યારે મારું ગામ મને જનની ની જેમ વહાલું લાગે છે. આ શબ્દો છે વર્ષો પહેલા એટલેકે ધોરણ ૧૨ ની પરીક્ષા ટંકારીઆ ગામે પાસ કરીને ૧૯૮૧ માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ ની ભરતી થયા બાદ ગામ છોડી બહાર વસવાટ કરનાર આપણા ગામના કરશનભાઇ ચૌહાણ [રોહિત] ના. ત્યાર બાદ સમયાંતરે બઢતી મળતા પી.એસ.આઈ. નો દરજ્જો પ્રાપ્ત કરી રિટાયર્ડ જીવન વાઘોડિયા રોડ વડોદરામાં વિતાવી રહ્યા છે. સ્વભાવે એકદમ શાંત અને સાદગીભર્યા અને માનવતાવાદી કરશનભાઇ એ તેમની ફેમિલીનું વર્ણન પણ ટેલિફોન પર કરતા જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ પીતામ્બર કે જેઓ ઓ.એન.જી.સી. માં નોકરી કરતા હતા બીજા નંબરના નગીનભાઈ પણ પોલીસ કોન્સ્ટેબલે હતા તેમના ત્રીજા ભાઈ છગનભાઇ અંકલેશ્વરમાં કંપનીમાં કામ કરતા હતા, તેમના ચોથા ભાઈ પ્રભાતભાઈ એસ.ટી. માં કંડક્ટર હતા તેમના પાંચમા ભાઈ અર્જુનભાઈ અમરોલી જિલ્લા સુરતમાં શિક્ષક હતા, છઠ્ઠા નંબર પર કરશનભાઇ અને સાતમા નંબર ના રમેશભાઈ અંકલેશ્વરમાં કંપનીમાં કામ કરતા હતા. જેમ જેમ બધા ભાઈઓની નોકરી મળતી ગઈ તેમ તેમ બધાએ ટંકારીઆ ગામ છોડી બીજે વસવાટ કર્યો છે. કરશનભાઇ નો “ટંકારીઆ” ગામ પ્રત્યેનો પ્રેમ બતાવે છે કે તેમને તેમના વાઘોડિયા સ્થિત રહેણાંકના મકાનમાં બહારની બાજુએ મોટા અક્ષરે “ટંકારીઆ” કોતરાવેલ છે જે તેમની ટંકારીઆ ગામ પ્રત્યેની લાગણીઓ અને પ્રેમ જાહેર કરે છે. તેઓ પોતાના વતનના લોકોએ આપેલી હૂંફ, સાથ સહકાર અને મહોબ્બત હજુ પણ વિસરી શક્યા નથી. અને ગામ ટંકારીઆ ની પ્રશંશા કરતા થાકતા નથી. વતનથી દૂર રહીને વતન પ્રત્યેનો પ્રેમ ધરાવનાર આ કરશનભાઇ ને સલામ.

HAJIYANI SAKINABEN HAJIGULAMMASTER DESAI [MOTHER OF KHALIL / ABDULLAH / SALIM DESAI] PASSED AWAY………INNA LILLAHE WAINA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AFTER ZOHAR PRAYER. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

ALLIBHAI KODHIYA [FATHER OF ASIF KODHIYA] PASSED AWAY………INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 10.30AM. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

HAJIYANI ZUBEDABEN GULAM DADUBHIKHA [MOTHER OF ILYAS / ZAKIR DADUBHIKHA] PASSED AWAY………INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT BHADBHAGGRAVEYARD AFTER ZOHAR PRAYER. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.