ટંકારીઆ સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું અને ગતરોજ ૯ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. ઠેર ઠેર રાત્રે તાપણાઓનો દોર ચાલ્યો હતો. લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરી ફરતા નજરે પડ્યા હતા. મોટાભાગના લોકો ઘરમાંજ રહી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા હતા. મજાની ઠંડી સાથે પૉન્ક સાથે સેવની પાર્ટી કરતા લોકો પણ દ્રશ્યમાન થયા હતા.

CHRISTMAS HOLIDAYS IS ON WORLDWIDE. OUR TANKARVIES NAMED “SOYEB RUSTAM GODAR”, “SAJID MOHMED [SUBA] DAULA” AND “ASFAQ IQBAL DABGAR” IS ENJOYING THEIR HOLIDAYS AT CAPETOWN [SOUTH AFRICA] ALONG WITH “ANISH MUSTAK DAULA”. WE HOPE YOUR HOLIDAYS GIVES YOU THE PLEASURE YOU NEED, SO THAT YOU DON’T HAVE TO THINK OF ANY PROBLEMS BACK AT HOME. ENJOY YOUR HOLIDAYS..

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે નાનાપાદર નવીનગરીમાં રહેતા રમેશ ખોડા વસાવા ના ઘરે આગ લગતા દોડભાગ મચી જવા પામી હતી તેમજ ઘરવખરી સહિતનો સમાન બળીને ખાક થઇ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે નાનાપાદર નવીનગરીમાં રહેતા રમેશ ખોડા વસાવાના ઘરે આજે સવારે આશરે ૯ કલાકે આગ લાગી હતી જેમાં ઘરવખરી સહીત ઘરમાં રાખેલા રૂપિયાની નોટો બળીને ખાક થઇ ગઈ હતી તથા શાળામાં ભણતા બાળકોની ચોપડીઓ સહીત લગભગ બધુજ બળી ગયું હતું. આ આગ મકાનના ત્રણ ઓરડાઓમાં પ્રસરી હતી. સદનસીબે મકાનમાં રહેતા ઈસમો મજૂરી અર્થે મજૂરીકામે ગયા હોવાથી કોઈ જાનહાની થઇ નથી. લોકોનો સમૂહ એકઠો થઇ આગને ઓલવવાના પ્રયાસો કર્યા હતા જેને લીધે મોટી હોનારત થતા બચી ગઈ હતી.

ZUBEDABEN ISMAIL DAHYA [MOTHER OF HABIB HAFEZI DAHYA [MOAZZIN OF MASJID E MUSTUFAIYYAH] PASSED AWAY………….INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 10AM TODAY. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ના મેદાન પર રમાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજે ફહદ મતાદાર સી. સી. અંકલેશ્વર અને મનુબર સી.સી. વચ્ચે રમાઈ હતી જેમાં ફહદ મતાદાર સી.સી. અંક્લેશ્વરનો ભવ્ય વિજય નીવડ્યો હતો.
ફહદ મતાદાર સી.સી. અંકલેશ્વરે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૦૭ ફટકાર્યા હતા જેના જવાબમાં મનુબર સી.સી. ૧૬૭ રન બનાવી ઓલઆઉટ થઇ જતા ફહદ મતાદાર સી.સી. અંક્લેશ્વર નો વિજય થયો હતો. બંને ટિમો તરફથી ગુજરાતના નામાંકિત ખેલાડીઓ રમવા પધાર્યા હતા. આ ટુર્નામેન્ટ માં મેન ઓફ ઘી સિરીઝ મનુબરના ફૈઝલ કારગિલ તથા બેસ્ટ બોલર તરીકે સીતપોણના સુહેલ પોપા તથા બેસ્ટ બેટ્સમેન નો ખિતાબ મનુબરના મુસ્તુફા અને આ મેચના મેન ઓફ ઘી મેચ તરીકે ફહદ મતાદાર સી.સી. ના જલાલ પટેલ જાહેર થયા હતા. તમામને ટ્રોફી અને રોકડ ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. આ મેચ જોવા માટે ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં આવ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.

બારીવાલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં રમાઈ રહેલી મર્હુમ ઝુબેર ઢીલ્યા મેમોરિયલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના લીલીછમ ઘાસ આચ્છાદિત મેદાન પર ફહદ સી.સી. અંકલેશ્વર અને મનુબર સી.સી. વચ્ચે રમાઈ હતી જેમાં મનુબર સી.સી. નો ભવ્ય વિજય થયો હતો.
ફહદ સી.સી. એ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી જેમાં મનુબર સી.સી. એ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૬૯ રણ ફટકાર્યા હતા જેમાં વિશાલ જયસ્વાલ ના ૪૬ રન તથા સોયેબ ના ૩૯ રન મુખ્ય હતા. જેના જવાબમાં ફહદ સી.સી. ૧૧૫ રને ઓલઆઉટ થઇ ગઈ હતી જેમાં મનુબર સી.સી.ના જેશલ ૩, અઝીમ માલજી ની ૨ અને મુબારક શેરપુરાએ ૩ મહત્વની વિકેટ ઝડપી હતી આમ મનુબર સી.સી. નો ૫૪ રને ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે સુહેલભાઈ સીતપોણવાળા તથા બેસ્ટ બોલર માં તપન અને મેન ઓફ ઘી સિરીઝ નિઝામ જંબુસરવાળા અને મેન ઓફ ઘી મેચ વિશાલ જયસ્વાલ ઘોષિત થયા હતા. આ મેચને નિહાળવા ગામપરગામથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પધાર્યા હતા. આવતી કાલે આજ બંને ટિમો વચ્ચે ૩૦ ઓવર ની ફાઇનલ મેચ આજ મેદાન પર રમાશે. ટ્રોફી વિતરણ સમારંભનું સંચાલન મુસ્તાક દૌલા તથા ઝાકીરભાઈ ઉમતા એ કર્યું હતું.

કમોસમી વરસાદને લીધે ૪ દિવસ થી ક્રિકેટ ટુર્નામેંટ બંધ હતી જે આજથી રાબેતા મુજબ ચાલુ થઇ ગઈ છે. જેમાં ગત વર્ષે કોરોના કાળ ને લીધે અધૂરી રહી ગયેલી બારીવાલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર રમાઈ રહેલી ૩૦ ઓવરની ટુર્નામેન્ટ ની સેમી ફાઇનલ આજરોજ સીતપોણ અને મનુબર વચ્ચે રમાઈ હતી જેમાં મનુબરની ટીમનો ભવ્ય વિજય થયો હતો. આજ મેદાન પર ચાલુ સીઝનની ટી-૨૦ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ શનિવારના રોજ મનુબર અને વાગરા [ફારૂક ફૂલે] ની ટિમ વચ્ચે રમાશે અને ગતવર્ષની ૩૦ ઓવરની ફાઇનલ મેચ રવિવારે મનુબર અને વાગરા [ફારૂક ફૂલે] ની ટિમ વચ્ચે રમાશે. ક્રિકેટ રસિકોને આ મેચો નિહાળવા ભાવભીનું આમંત્રણ બારીવાલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કર્તાહર્તા જનાબ અબ્દુલરઝાક બારીવાલા પાઠવે છે.

સવારની નીંદણ ખુલતાંજ ટંકારીઆ ગામની ચારેકોર ધુમ્મ્સછાયું વાતાવરણ ના દર્શન થયા હતા. જાણે સમગ્ર ગામે ધુમ્મસની ચાદર ઓઢી લીધી હતી. રવિ પાક માટે ધુમ્મસ સારું એમ ખેડૂતોનું કહેવું છે. લોકો કુતુહલવશ થઇ કુદરતનો આ નજારો જોતા રહ્યા હતા. સૂર્ય નીકળતાંજ આ ધુમ્મસે વિદાય લીધી હતી.

Tankaria village covered with a sheet of fog

The weeds of the morning were seen in the foggy atmosphere of Tankaria village. It was as if the whole village was covered with a sheet of fog. Farmers say fog is good for “RAVI” crops. People were watching this view of nature with curiosity.

HAJIYANI “AEMNABEN” HAJI ISMAIL RANDHVAWALA [MOTHER OF YAKUB / MUSTAK RANDHVAWALA] PASSED AWAY…….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 11AM TODAY. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.