કન્યાશાળા ટંકારીયાના નિવૃત્ત થતા શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે આજરોજ શિક્ષણ, કલા અને વિદાય સન્માનના અનોખા સમન્વય સમાન “ત્રિવેણી સંગમ” કાર્યક્રમનું આયોજન કન્યાશાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. શાળામાંથી વય નિવૃત્ત થતા આદરણીય આચાર્ય આબેદાબેન મુસા જેટ તથા આસિસ્ટન્ટ શિક્ષક ઉસ્માનગની વલી પટેલનો વિદાય સમારંભ ઉપરાંત ધોરણ ૮ પૂર્ણ કરી માધ્યમિક શાળામાં પ્રવેશતી વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ તથા સામાજિક વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન અને સાંસ્કૃતિક રંગોત્સવનો કાર્યક્રમ નો મુખ્ય હેતુ હતો.
કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ વિદાયગીત રજુ કર્યું હતું. આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે જિલ્લા સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા ઉપરાંત રાજ્ય કારોબારી સભ્ય બંકીમભાઇ તથા જિલ્લા સંઘના સભ્ય ઇકબાલભાઇ, તાલુકા સંઘના પ્રમુખ મુનાફભાઇ ટીનકી, બીટ નિરીક્ષક પ્રવીણભાઈ, ગ્રુપ આચાર્ય શબ્બીરભાઈ, સી.આર.સી. ઘનશ્યામભાઈ પઢીયાર, બ્રાન્ચ કન્યાશાળાના આચાર્ય યાસ્મિનબેન, ગામના સરપંચ મંગુભાઇ વસાવા, ઉપસરપંચ સફ્વાન ભુતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, એસ.આર.એફ. ફાઉન્ડેશનના સભ્યો જીગ્નેશભાઈ, ઝાકીર સાહેબ, અંજલીબેન ઉપરાંત માજી સરપંચ ઝાકીર ઉમતા, ગુલામ ઇપલી, એસ.એમ.સી. ના સભ્યો તથા પંચાયત સભ્ય ઇકબાલ સાપા તથા કુમારશાળાના આચાર્ય, મુનાફ અભલી, તથા ટંકારીઆની વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. બાદમાં તમામ મહેમાનોએ બપોરે પ્રીતિ ભોજન લીધું હતું. બાદમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો રજુ કર્યા હતા. અંતમાં શાળાની શિક્ષિકા કામિનીબહેને આભારવિધિ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના હાલના આચાર્ય શાહિદાબેને કર્યું હતું.









TANKARIA WEATHER
Leave a Reply