જબુંસર ના કારેલી ગામેથી નીકળેલી ગાંધી સંકલ્પ યાત્રા મંગળવારે બપોરે ટંકારીઆ પહોંચી હતી .
જંબુસર તાલુકાના કારેલી ગામ થી નીકળી ગાંધી સંકલ્પ યાત્રા મંગળવારના રોજ ટંકારીઆ મુકામે આવી પહોંચી હતી ભરુચ જિલ્લાના સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા .ધારાસભ્ય શ્રી અરુણ સિંહ રાણા સહિત ભાજપના કાર્યકરો નું ભરુચ જિલ્લા નાં ટંકારીઆ મુકામે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપના સંગઠનના કાર્યકરો ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, ભુપેન્દ્ર રાઠોડ તથા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નવીનભાઈ પટેલ, વાગરા તાલુકા પંચાયત ના પ્રમુખ ઈશ્વરભાઈ તથા ભાજપના કાર્યકરો ઉસ્માન લાલન, યાસીન શંભુ, બિલાલ લાલન, હનીફ દૌલા, મુબારક ધોરીવાળા, રફીક સાપા , ઇકબાલ સાપા તથા રોશનબેન તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
TANKARIA WEATHER




















Leave a Reply