ટંકારીઆની બ્રાન્ચ કુમારશાળા ખાતે વાલી સંમેલન સાથે ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચશ્રી સફવાનભાઈ તથા SMCના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત કૃતિઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મેહબૂબભાઈ ગુજિયા તથા આરિફભાઈ ગુજિયા દ્વારા શાળાને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું દાન કરવામાં આવ્યું હતું. આ ઉમદા સેવાકાર્ય બદલ શાળા પરિવાર દ્વારા બંને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યુ આ પ્લાન્ટ વિદ્યાર્થીઓને સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં ઉપયોગી બનશે.
વાલી સંમેલન દરમિયાન વાલીઓ અને શિક્ષકો વચ્ચે વિદ્યાર્થીઓના અભ્યાસ, શૈક્ષણિક પ્રગતિ તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય અંગે સકારાત્મક સંવાદ અને ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા અને વાલીઓ સાથે મળીને કાર્ય કરે તે અંગે પણ ચર્ચા થઈ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રીના માર્ગદર્શન, શિક્ષકમિત્રોની અથાગ મહેનત તથા વાલીઓના અમૂલ્ય સહકારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાળા માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.

A grand science exhibition was organized at the Tankaria branch Kumarshala along with a parents’ meeting. On this occasion, Deputy Sarpanch Shri Safwanbhai and members of the SMC were specially present. The students presented various science-based projects, beautifully demonstrating their creativity and scientific approach. On this occasion, a water purification plant was donated to the school by Mehboobbhai Gujia and Arifbhai Gujia. In recognition of this noble act of service, the school family expressed heartfelt gratitude to both donors and honored them. This plant will be useful in providing students with clean and pure drinking water. 

During the parent meeting, positive communication and discussions were held between parents and teachers regarding students’ studies, academic progress, and their bright future. Discussions were also held on how the school and parents can work together for the overall development of the students.

The principal’s guidance, the tireless efforts of the teachers, and the invaluable cooperation of the parents played an important role in making the program successful. The entire program proved to be a matter of pride and inspiration for the school.

HAJI MUHAMMAD IBRAHIM GODER [BROTHER OF YUNUS GODER] passed away at London [UK] May ALLAH [SWT] grant superior place on Jannatul firdaush. Ameen…

Janazah Salah and burial will take place TODAY (Monday) 17th August 2026 at 18:15 (6:15PM).

Location:
Muslim Patel Burial Trust (MPBT) Kabrastaan
540 Romford Road
London, E7 8AF

Sitting arrangement in Tankaria at Yunus Goder house….. Aman Colony – Tankaria.

આજે ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ટંકારીઆ પી.એચ.સી.સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગ્રામ પંચાયત ટંકારીઆ તથા અંજુમન ટ્રસ્ટ અને મદની શિફાખાના તથા પી.એચ.સી.સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નવયુવાનોએ ભાગ લીધો હતો.

A blood donation camp was organized at the Tankaria PHC Center.
Today, on 15 August 2026, a blood donation camp was organized at the Tankaria PHC Center with the cooperation of the Gram Panchayat Tankaria, Anjuman Trust, Madani Shifakhana, and the PHC Center, in which a large number of young people participated.

આથી જણાવતા આનંદ થાય છે કે આજ રોજ તા. ૧૫/૦૮/૨૦૨૬ ને શનિવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે ૯:૦૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત સદસ્ય અસ્માબેન પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન વસાવાએ સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકોઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી. આ ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, ઓલ ઇન્ડિયા મોહસિને આઝમ મિશનના જનરલ સેક્રેટરી મુનીરભાઈ વોરા, ટંકારીઆ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મંગુભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ સફવાનભાઈ ભૂતા, તલાટી કમ મંત્રી ઘનશ્યામ વસાવા, ઇકબાલભાઈ માલાતગાર યુ.કે., મેહબુબભાઈ ગોચા ઝિમ્બામ્બે, સિદ્દીક ટીચુક યુ.કે., નાસીરભાઈ લોટીયા (સોશીયલ વર્કર), ઝાકીરભાઈ ઉમટા (માજી સરપંચ), મુસ્તાકભાઇ રખડા, યાકુબભાઈ બોડાં તેમજ આમંત્રિત મહેમાનો શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ ટ્રસ્ટી મંડળના અન્ય સભ્યો, શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક મહંમદ પટેલ સાહેબે પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી શ્રધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ટંકારીઆ ગામમાં ભડ્ભાગ કબ્રસ્તાનમાં મહેમાનો ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આમ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગે-રંગાઈને ઉજવણી કરી દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા.

આજે સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાઈને ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ટંકારીઆ ગામમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
ગામની ગ્રામ પંચાયત સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશભક્તિના ગુંજતા નારા અને રાષ્ટ્રગાનથી ટંકારીઆનું વાતાવરણ ગૌરવ અને ઉમંગથી છલકાઈ ઊઠ્યું હતું.
અંતે ઉપસ્થિત સૌને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું તે અને આનંદ તથા રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું.

 

👉​મિત્ર મંડળ ટંકારીઆ એ તા.૪.૮.૨૦૨૬ ના રોજ માંગરોલ તાલુકાના કોસાડી ગામે અને તેની આજુબાજુના ૪ ગામોમાં પૂરગ્રસ્તમાં નુકશાન થયેલ જેવા જરૂરતમંદ નિરાધાર લોકો સુધી ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાત વાળી ૧૦૦ કીટોનું સુંદર રીતે વિતરણ કરેલ….. 👉જેમાં ૪ કીટો ગરીબ આદિવાસી હિન્દુ પરીવારોને આપેલ જે પેટે જમા થયેલ વ્યાજની રકમ અને બાકીની રકમ અબ્દુલભાઈએ લીલ્લાહ આપેલ તેમાંથી ઉમેરવામાં આવેલ હતી….. તેમજ અબ્દુભાઈની લીલ્લાહ રકમમાંથી ૨ કીટો સૈયદ ફેમીલીને આપી, બાકીની તમામ ભેગી થયેલ રકમ (ઝકાત, સદકો અને લીલ્લાહ અને નફીલ સદકો) માંથી ૯૪ કીટો શરીયત મુજબ જે તે મુસ્તહિકો સુધી પહોંચાડેલ છે.. . અલ્લાહ પાક આપની સખાવતને ક્બુલ ફરમાવે. વધુમાં ત્યારબાદ..

👉​આજરોજ તા. ૧૨.૮.૨૦૨૬ ના રોજ મિત્ર મંડળ ટંકારીઆ, ટંકારીઆ ગામજનોની અને એન.આર.આઈ ભાઈ-બહેનોની સખાવતના લઈને, જોગવાડ, જી. નવસારી મુકામે જોગવાડ ગામના જવાબદાર આગેવાનો અને દારૂલ ઉલૂમ જામીઆહના મોહતમીમ સાહેબના મશવેરાથી અને તેઓનાં રેહબરીમાં જોગવાડ ગામના આજુબાજુના ૪ ગામોમાં જે તે હક્કદારો – મુસ્તહિક સુધી શરીયત અનુસાર ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાતવાળી ૬૦ કીટોનું વિતરણ કરેલ છે. જે પેટે દેશ-વિદેશથી મારા ભાઈ-બહેનોએ સખાવત કરેલ છે. એમની સખાવતોને (અરકાનને) અલ્લાહ તઆલા કબુલ મકબુલ ફરમાવે. આમિન… આ રકમ માંથી જે રકમ વધેલ છે તે અસરગ્રસ્ત લોકોમાં રોકડા પેટે વહેંચી આપી છે. આ કીટોમાં ૪૬ કીટો ઝકાત, સદકાની હતી, ૧૪ કીટો લીલ્લાહ અને નફીલ સદકાની હતી. જેનું શરીયત મુજબ ઝકાતના હક્કદારોને વિતરણ કરેલ છે .

👉વધુમાં.. તેમજ યુ.કે. ના એક બહેન તરફથી છેલ્લા દિવસે રૂા.૫૧,૪૩૨/- વ્યાજની રકમ હસ્તે હાજી ગુલામભાઈ માલાતગાર ના હસ્તે આવતા જોગવાડ ગામના જામીઆ દારૂલ ઉલૂમના મોહતમીમ સાહેબ અને ગામ આગેવાનોના મશવેરા મુજબ ફક્ત રાશનની સારામાંની ૧૫ કીટો બજેટ અનુસાર બનાવી … સખાવત કરનારની નિયત અને શરીયત મુજબ ૧૫ ગરીબ – નિરાધાર આદિવાસીઓ કે જેમને નુકશાન થયેલ છે તેવા હિન્દુ પરીવારોને વ્યાજની રકમમાંથી બનાવેલ ફક્ત રાશનની કીટો પહોંચાડી છે અને વ્યાજની વધેલ રકમ રોકડા પેટે આપેલ છે.
​આમ પૂરગ્રસ્ત માટેની તમામ રકમનો સદ્ઉપયોગ કરી આજરોજ હિસાબ ઝીરો કરેલ છે. ફરીવાર બારગાહે ઈલાહીમાં દુઆ છે કે, અલ્લાહ તઆલા આપની સખાવતોને (અરકાનને) કબુલ ફરમાવે, અને આપને દિન-દુનિયાની દોલતથી માલામાલ કરે, આપના ધંધા-રોજગારમાં બરકત અતા ફરમાવે અને તંદુરસ્તી અતા ફરમાવે. તેમજ તમામ મર્હુમોની મગફીરત કરી, એમની તમામ કબરોને જન્નતનો બાગ બનાવે. આમિન…. સુમ્મા આમિન……..

નોંધ:- કીટો વિતરણ કરવાનો મિત્ર મંડળ ટંકારીઆનો આવવા જવાનો અને ઈતર ખર્ચ અમો મિત્ર મંડળે જાતે કરેલ છે જે આપની જાણ માટે….🌳

નીચે પૂરગ્રસ્ત લોકોને પૂર દરમ્યાન થયેલા નુકસાનીના ચિત્રો અને વિડિઓ છે.

મિત્ર મંડળે વહેંચેલી કીટો

HAJIYANI AYESHA ALLI ADAM KABIR passed away… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant a place in Firdaush. Aameen….

Hafez Yahya, son of Mehbub Bhai & Noorjahan Nathaliya, weds Uzaira Khan, daughter of Adil Bhai & Farah Khan, in a beautiful wedding ceremony held in Toronto, Canada.

The joyous occasion was celebrated with family and friends who gathered from near and far to share in their happiness and blessings.

Here are some cherished memories from the beautiful celebrations. Many thanks to Iqbal Bhai Popat for graciously sharing these wonderful pictures with us.

May Allah bless Hafez and Uzaira with a lifetime of love, happiness, and togetherness.

 

 

ટંકારીઆ ગામના મિત્ર મંડળના સ્વયંસેવકોના સહયોગથી માનવતાનું અનોખું ઉદાહરણ; 

સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો હૃદયપૂર્વકનો આભાર…

તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કિમ નદી કાંઠે આવેલા કોસાડી ગામમાં પણ ભારે પૂર આવતાં અનેક પરિવારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ દુઃખદ પરિસ્થિતિમાં મિત્ર મંડળ ટંકારીઆ દ્વારા તાત્કાલિક માનવતાની ભાવનાથી રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું.

સૌ પ્રથમ મિત્ર મંડળના પ્રતિનિધિઓએ સ્થળ પર પહોંચી સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત વિસ્તારોનો વિગતવાર સર્વે કર્યો હતો. સર્વેના આધારે પૂરગ્રસ્ત પરિવારોની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સુનિયોજિત રીતે રાહત સામગ્રી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ આયોજનના અનુસંધાનમાં ગત રોજ વહેલી સવારે ટંકારીઆની ટીમ કોસાડી ગામે પહોંચી હતી. કિમ નદીના પ્રચંડ પૂરથી ગામને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલી રક્ષણાત્મક દીવાલ તૂટી જતાં નદીનું પાણી થોડા જ સમયમાં ગામમાં ફરી વળ્યું હતું. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક કાચા અને પાકા મકાનોને ભારે નુકસાન થયું હતું, જ્યારે પતરાંના શેડવાળા કેટલાક મકાનો સંપૂર્ણપણે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારો ઘરવખરી અને દૈનિક ઉપયોગની આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત બની ગયા હતા.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આશરે ૮૦ સ્વયંસેવકો અને ગામ આગેવાનોના સહયોગથી સ્થાનિક જવાબદારોની ઉપસ્થિતિમાં પૂરગ્રસ્ત પરિવારોને જીવનજરૂરિયાતની ઘરવખરી, આવશ્યક ખાદ્ય સામગ્રી તેમજ વિદ્યાર્થીઓ માટે જરૂરી શૈક્ષણિક અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ સહિત ૫૦ થી વધુ આવશ્યક વસ્તુઓ ધરાવતી  ૧૦૦ રાહત કિટોનું વિતરણ જૂની કોસાડી, લુવારા, આકરોટ અને મોટી નરોલી ગામના અસરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાહત અભિયાન દરમિયાન પારદર્શિતા, સુવ્યવસ્થિત આયોજન અને માનવસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.  કાર્યકરોએ અસરગ્રસ્ત પરિવારો સુધી મદદ સમયસર અને સન્માનપૂર્વક પહોંચે તે માટે વિશેષ કાળજી લીધી હતી.

આ સેવાકાર્યથી પ્રભાવિત થઈ કોસાડી ગામના આગેવાનો અને ગ્રામજનોએ તાત્કાલિક એક સંક્ષિપ્ત સભાનું આયોજન કરી મિત્ર મંડળ ટંકારીઆ તથા સમગ્ર ટંકારીઆ ગામના સેવાભાવી લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં મળેલી આ નિઃસ્વાર્થ સહાય તેમના માટે માત્ર રાહત સામગ્રી નહીં, પરંતુ માનવતા, સંવેદના અને સમાજની એકતાનું જીવંત પ્રતીક છે. તેમણે સમગ્ર ટીમના કલ્યાણ અને પ્રગતિ માટે શુભેચ્છાઓ અને દુઆઓ પણ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ટંકારીઆના સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે સમાજ જ્યારે સંકટમાં હોય ત્યારે દરેક વ્યક્તિ અને સંસ્થાની સામાજિક જવાબદારી વધુ મહત્વની બની જાય છે. ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ટંકારીઆના લોકો સતત પ્રતિબદ્ધ રહેશે.

“માનવ સેવા એ જ સર્વોત્તમ સેવા” ના ધ્યેયને સાકાર કરતાં ટંકારીઆ ગામે સાબિત કર્યું છે કે આપત્તિના સમયમાં સંગઠિત સમાજ જ સૌથી મોટી શક્તિ બની શકે છે.

GUJARAT TODAY 06/08/2026


Instagram Short Reel જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

Credit: BBuzz Media Bharuch & UK