આજે ઈદ એ મિલાદુન્નબી [સ.અ.વ.] ની ઉજવણી થઇ રહી છે. ભારે વરસાદને પગલે પાદરમાં પાણીનો ભરાવો થઇ ગયો હોવા છતાં સુબ્હ સાદિકથી સલાતો સલામનો દૌર તમામ મસ્જિદોમાં ચાલુ થઇ ગયો હતો. અને ફઝરની નમાજ બાદ બાલ મુબારકની જિયારત જામે મસ્જિદમાં શરુ થઇ ગઈ હતી. બાદમાં પાટણવાળા બાવા સાહેબના ઘરેથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરસતા વરસાદને પગલે જુલૂસમાં લોકોની હાજરી પાંખી દેખાઈ હતી. લોકો ધીમે ધીમે મસ્જિદ તરફ પ્રયાણ કરી બાલ મુબારકની જિયારત કરતા નજરે પડ્યા હતા.
તદુપરાંત ગત રોજ મગરીબની નમાજ બાદ પાદરમાં પાણીનો ભરાવો શરુ થઇ જતા પાદરના નીચાણવારા ભાગોમાં આવેલી દુકાનોમાં પાણીનો પેસારો થવા માંડ્યો હતો અને જોતજોતામાં દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું. આખી રાત વરસતા વરસાદને લીધે પાદરમાં પાણીનું સ્તર વધી રહ્યું હતું. અને આ લખાય છે ત્યારે વરસાદની ગતિ મંદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બાદમાં મળતી માહિતી અનુસાર જામે મસ્જિદના પટાંગણમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોના આસ્તાનામાં જાણે શ્વાસ લેતા હોય તેવો નજારો જોવા મળતા લોકોમાં કુતુહલ ફેલાઈ ગયું હતું.

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ના જન્મદિવસની ઉજવણી સમગ્ર મુસ્લિમ સમાજ ઈદ-એ-મિલાદના નામ તરીકે  કરે છે. આગામી તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ને શુક્રવારના રોજ ઈદ-એ-મિલાદની ઉજવણી કરવા ટંકારીઆ ગામમાં મસ્જિદોમાં તથા ગલીએ ગલીએ રંગબેરંગી લાઈટ ડેકોરેશન સાથે સાથે “જશ્ને ઈદ-એ-મિલાદુન્નબી” ની ઝંડીઓ ફરકતી નજરે પડે છે. રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી ઈદે  મિલાદની તડામાર તૈયારીઓના ભાગ સ્વરૂપે જામા મસ્જિદ તથા મસ્જીદે મુસ્તુફાઈય્યામાં ઈશાની નમાજ બાદ હુઝૂર સલ્લલાહો અલયહે વસલ્લમની સીરતના બયાનોનો સિલસિલો ચાલુ છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજરી આપી ફૈઝીયાબ થાય છે. બયાન બાદ ખીર, ખીચડો તથા દૂધ કોલ્ડ્રીંક જેવી ન્યાઝોનું  વિતરણ પણ કરવામાં આવે છે.

આ સંદર્ભે ટંકારીઆ ગામના ઉત્સાહી નવયુવાનો દ્વારા તારીખ ૭/૯/૨૦૨૫ ને રવિવારના રોજ સમગ્ર ટંકારીઆ ગામના લોકો માટે સામુહિક ન્યાઝનું આયોજન દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું છે. તથા તારીખ ૬/૯/૨૦૨૫ ને શનિવારના રોજ બાદ નમાઝે ઈશા ખતમેં “કુરાન” પણ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યું છે. આ સામુહિક ન્યાઝમાં આપ પણ હિસ્સો લેવા ઉત્સુક હોવ તો આપની ન્યાઝની રકમ ટંકારીઆ ૧૦૮-ગ્રુપના અરાકીનોને પહોંચાડી આપવા વિનંતી છે.

WAKO India Kickboxing Federation, the National Governing Body to control and develop Kickboxing Sport activities in India, and part of WAKO(World Association of Kickboxing Organization) has organized the National Kickboxing championship 2025 for Young cadets and Children (Age 7 to 15) at Chennai from 27sept. 2025 which continued for 5 days. Children from across India participated in different categories.

Aariz Patel (Age – 9) son of Sarfaraz Patel [Basically Tankarvi Ghodiwala family] from Vadodara represented Gujarat(after winning two Gold medal at state level in Point fight and Light contact category) and has won a Bronze medal at National level in Light contact under children age group.

We are very much congratulations and greetings for this. After achieving this achievement, Aariz Patel has increased the pride of the village of Tankaria and Bharuchi Vohra Patel.