હાલ માં ડો. સિરાજભાઈ ખાંધિયા ના ઘર પાસે આર.સી.સી. ના પાકો રસ્તાનું કામ તથા અલ્લીમાંમાં ગંગલ ના ઘર પાસે આર.સી.સી. ના પાકા રસ્તાનું કામ ઈક્બાલબાવાના કરકમળોથી શરુ કરવામાં આવ્યું છે. તથા સાપા સ્ટ્રીટ થી ગોલવાડ થઇ પાદર ના મુખ્ય રોડને જોડતા રસ્તા પર કલરીંગ બ્લોક બેસાડવાનું કામ શરુ થઇ ગયું છે. તેમજ જિલ્લાની પાર્ક માં પણ કલરીંગ બ્લોક બેસાડવાનું કામ ચાલુ છે.
ગામના સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન જણાવે છે કે હજુ કુલ ૩૨ કામો માટેનો વર્ક ઓર્ડર તૈયાર થઇ ગયો છે અને એ તમામ કામો ઝડપી કરાવવા માટે કુલ ૪ અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામો ફાળવી આપ્યા છે. મુમતાઝબેને એમ પણ જણાવ્યું હતું કે હાલમાં પંચાયત પાસે ગ્રાન્ટના કુલ ૮૭ લાખ જમા છે અને વાગરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા ની ગ્રાન્ટના ૨૧ લાખ પણ જમા છે અને એ સમગ્ર ગામમાં કોઈપણ જાતના ભેદભાવ વિના વિકાસના કામો કરવામાં આવશે. એમને એમ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે સમગ્ર ગામમાં સુવ્યવસ્થિત ગટરો તથા રસ્તાઓ બને એ માટે તેઓ તે તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

Iqbalbhai Bala [Younger Brother of Majidbhai Bala] passed away at Canada. Inna lillahe wainna ilayhe rajeun. Janaja Salah will be in Abubakr Masjid, Totonto on Thursday 6th February after Zuhr Salah 1pm. Burial will be in pineridge Cemetery, ajax. In’sha’allah. May ALLAH SWT forgive him and grant him Janntul Firdous and give sabre jamil to his family and friends. Aameen.

મોહદ્દીસે આઝમ મિશન સંચાલિત મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં યુ. કે. થી પધારેલા મહેમાનો આદમસાહેબ ઘોડીવાળા, ઈસ્માઈલસાહેબ ખૂણાવાળા, ડો. ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાળા તથા ગુજરાત ટુડે ના તંત્રી અઝીઝ ટંકારવિસાહેબ તથા મહિડા સાહેબ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. અઝીઝ ટંકારવી સાહેબે ભણતરના મહત્વ સાથે ટંકારીઆ ગામના વિદ્વાનો અંગે નવી પેઢી અવગત થાય એના પર ખાસ ભાર મુક્યો હતો. તમામ વિદ્વાનો દ્વારા બાળકોને અભ્યાસ નું મહત્વ સમજાવ્યું હતું. તથા આદમ ટંકારવી સાહેબ અને ઈમ્તિયાઝ પટેલે ગઝલોની રંગત જમાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ઉપપ્રમુખ ઇશાક પટેલ, માજી આચાર્ય તથા શિક્ષણગણ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિરોઝસાહેબે કર્યું હતું.