જે મેદાન પર મોટામોટા ક્રિકેટ ખેલાડીઓ રમવાની ઝંખના ધરાવે છે એવા ભરૂચ જિલ્લાન ટંકારીઆ ગામના ખરી ક્રિકેટ ના મેદાન પર આજ રોજ મર્હુમ અબ્દુલ્લાહ સાલેહ મેમોરિયલ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ વિશાળ ક્રિકેટ પ્રેમીઓ ની હાજરીમાં થયો હતો.
આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ભરૂચ ના ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ભરૂચ ના કલેકટર શ્રી વિક્રાંત પાંડે સાહેબે આ ગ્રાઉન્ડ ના વિકાસ માટે અને પ્રેક્ષકો માટે મેચ નિહારવા માટે રૂપિયા 5 લાખ ના ખર્ચે તેમની ગ્રાન્ટ માંથી એક સ્ટેડિયમ બનાવવા માટે જે ફાળવણી કરવામાં આવી હતી તે સ્ટેડિયમ શેડ નું ઉદ્ઘાટન પણ રીબીન કાપી ભરૂચ ના ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ રાષ્ટ્રગીત ની ધૂન બાદ ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબે ટૉસ ઉછાળી ટુર્નામેન્ટ નો શુભારંભ કર્યો હતો. આજે પ્રથમ મેચ પરીએજ ઇલેવન અને કંથારીયા ઇલેવન વચ્ચે રમાઈ હતી.
આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબ, ભરૂચ ડી. વાય. એસ. પી. ચૌહાણ સાહેબ, માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલ, માજી જિલ્લા સદસ્ય મકબુલભાઈ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ગામના સરપંચ ઇકબાલભાઇ કબીર, ડેપ્યુટી સરપંચ અલ્તાફ ગાંડા, યુ.કે. થી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાળા, અલ્તાફભાઈ કડુંજી, મેહબૂબ ગોચા, ગુજરાતી કવિ બાબરભાઈ બમ્બુસારી, તથા આદમભાઇ આબાદનગરવાળા, સલીમ અમદાવાદી, મેસરાદના હનીફભાઇ જમાદાર, માજી સરપંચ આરીફ પટેલ, ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના ઉપપ્રમુખ રતિલાલ પરમાર, ગંજેઅહેમદ મુલતાની તથા ગામ તથા પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
આખા સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું. આ પ્રસંગે ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ કલેકટર વિક્રાંત પાંડે સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો. તથા આ પ્રસંગે હાજર થનાર તમામ મહેમાનગન નો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. અને હાજી પણ થોડું આ ગ્રાઉન્ડ માં બાકી પડતું કામ ને પરિપૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

ટંકારીઆ ગોત્ર નો એક નવયુવાન ખેલાડી ઇંગ્લેન્ડ ની ટીમ માં રમે છે તેનું વહોરા પટેલ સમાજ ને ગૌરવ છે :::: ઇકબાલભાઇ ધોરીવાળા.
ભરૂચ જિલ્લા માંથી સારા ખેલાડીઓ ને પ્રોત્સાહન મળે અને આગળ આવે એવી ઝંખના કરતા માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલ.

dscf1486 dscf1489 dscf1493 dscf1495 dscf1496 dscf1497 dscf1498 dscf1500 dscf1501 dscf1502 dscf1504 dscf1505 dscf1506 dscf1507 dscf1508 dscf1509 dscf1510 dscf1511 dscf1512 dscf1513 dscf1514 dscf1515 dscf1516 dscf1517 dscf1519 dscf1521 dscf1522 dscf1523 dscf1526 dscf1529 dscf1531 dscf1532 dscf1534 dscf1539 dscf1541 dscf1542 dscf1544 dscf1546 dscf1547 dscf1548 dscf1549 dscf1550 dscf1551 dscf1552 dscf1555 dscf1557 dscf1558 dscf1561 dscf1563 dscf1565 dscf1568 dscf1570 dscf1573 dscf1576 dscf1579 dscf1580 dscf1582 dscf1583 img_20161109_111748_burst1

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે લગભગ 30 થી 35 વાનરો એ આખા ગામને માથે લીધું છે. આ વાનરો વહેલી સવાર થી જ મકાનો ની છત પર આવી તોફાન મચાવે છે. અને જો કોઈ એમને દૂર કરવાનો પ્રયત્ન કરે તો સામા થઇ ને મારવા દોડે છે. અને એક સાથે ઝુંડ માં રહેતા આ વાનરો બહાર મુકેલી ખાદ્ય વસ્તુઓ ને હડપ પણ કરી જાય છે. તથા ફળફળાદિ ના વૃક્ષો ને પણ નુકશાન કરે છે. તદુપરાંત ગામ ના કબ્રસ્તાન માં પણ આ વાનરો એકસાથે ભેગા થઇ કબ્રસ્તાનમાં આવતા જતા લોકોને પણ મારવા દોડે છે. 

આ બાબતે ગામ પંચાયતે ફોરેસ્ટ ખાતા વાળાઓનો સંપર્ક કરતા તેઓ એ પંચાયત ને પીંજરું મુકવાનું જણાવતા પંચાયતે પીંજરું પણ મુકવા છતાં એનો કોઈ હલ નજરે પડતો નથી. તો શું સત્તાવારાઓ આ બાબત ને ગંભીરતાથી લેશે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુવે છે એમ ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. 

20161109_063301 img-20161109-wa0001