આજે ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડનું એસ.એસ.સી. નું પરિણામ જાહેર થયું છે. ટંકારીઆ હાઈસ્કૂલનું ૮૩% પરિણામ મેળવી સફળતા હાસિલ કરી છે. શાળાના કુલ ૨૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૭૭ વિદ્યાર્થીઓએ સફળતા હાસિલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળામાં પ્રથમ ક્રમે ભુતા મારીયાહ ઉસ્માનગની ૯૨.૩૩% દ્વિતીય ક્રમે ખાંધિયા આયશા અન્વરભાઈ ૯૧.૮૩% તથા તૃતીય ક્રમે પટેલ સારા સાજીદ ૯૧.૫૦% સાથે ઉત્તીર્ણ થયા છે.
શાળાના માનદ ચેરમેન અબ્દુલ્લાહ ભુતા તથા આચાર્ય ગુલામ પટેલ અને શાળાના શિક્ષકગણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

આજે ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારિયાનું પરિણામ ૯૩.૪૪% જાહેર થયું છે. કુલ ૬૧ વિદ્યાર્થીઓમાંથી ૫૭ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. 

ટંકારીયા હાઈસ્કૂલ, ટંકારીયાના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૬માં જાહેર કરાયેલ પરિણામ સરાહનીય રહ્યું છે. શાળાએ ૮૮.૦૦% પરિણામ મેળવ્યું છે, જ્યારે ગુજરાત બોર્ડનું સરેરાશ પરિણામ ૯૨.૭૧% રહ્યું છે. કુલ ૧૩૩ વિદ્યાર્થીઓમાંથી ૧૧૭ વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. શાળામાં શેહજાદ જાકીર સાયડુ એ ૬૫૬ ગુણ સાથે ૮૭.૪૬% અને ૯૬.૪૩ પર્સેન્ટાઈલ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફયાઝહુશેન સાદિક સાયડુ એ ૬૪૩ ગુણ સાથે ૮૫.૭૩% અને ૯૪.૯૪ પર્સેન્ટાઈલ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે રહાના મુજાહિદ્દીન પઠાણ એ ૬૧૯ ગુણ સાથે ૮૨.૫૩% અને ૯૧.૬૯ પર્સેન્ટાઈલ મેળવી તૃતીય સ્થાન મેળવ્યું છે.

ગત રોજ શનિવારે ઈશાની નમાજ બાદ મદ્રસ્સાએ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆના તાલિબે ઇલ્મોનો વાર્ષિક જલ્સો મોટા પાદર પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. મદ્રસાના બાળકોએ ખુબ જ ઉમદા અંદાજમાં નાત શરીફ, બયાનો, દીની સવાલ-જવાબો સ્ટેજ પર રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને નાની નાની બાળાઓએ પોતાની કાલી-કાલી ભાષામાં નાત રજુ કરી હતી. બાદ આજે રવિવારે મદ્રસા કમિટી દ્વારા તાલીબોની આખા વર્ષની મહેનતના ફળ સ્વરૂપે ઈનામોથી તમામ બાળકોને નવાજ્યા હતા.