ગતરોજ રવિવારના દિવસે સાંજે ૫ વાગ્યાથી ઘટાઘોર વાદળો અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક્સપ્રેસ હાઇવે [ટંકારીઆ – પાદરીયા] પાસે વીજ પડવાથી ૩ વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ વરસાદી આફતમાં ખેડૂતોનો તૈયાર માલ ભોંયભેગો થઇ ગયો છે. કાનમમાં મુખ્યત્વે કપાસની અને તુવેરની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. અને વરસાદને પગલે ખેતીમાં વ્યાપક નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે ખેડૂતોએ પાકનું વાવેતર પણ કરી શક્યા નથી.
સતત વરસી રહેલા વરસાદને લીધે ખેતરોમાં વરાપ નહિ થવાના કારણે તુવેરની ખેતી મોટાભાગના ખેડૂતો કરી શક્ય નથી. મોંઘુ બિયારણ પણ વરસાદને કારણે બળી ગયું છે. પરંતુ જેમને આગોતરું વાવેતર કર્યું છે તેમને નુકશાની નો ભય છે. હવે ખેડૂતો મગ ની ખેતી તરફ મીટ માંડીને બેઠા છે.
હજુ ગયા મહિને સતત વરસી રહેલા વરસાદમાં થયેલા નુક્શાનીનું કોઈ વળતર હજુ મળ્યું નથી એવામાં પાછોતરા વરસાદે વધુ નુકશાન વેર્યું છે.

Tankaria was lashed by torrential rains since the Asr time. In a few minutes, water was everywhere. It is raining with strong winds and lightning.

આજરોજ વલીઓના સરદાર હઝરત ગૌષે આઝમ પીરાને પીર રહમતુલ્લાહ અલયહેની યાદમાં અગિયારમી શરીફના મુબારક મહીનાના મૌકા પર મદ્રસ્એ મુસ્તુફાઈય્યહ ટંકારીઆ તથા દારુલ ઉલુમ અશરફીયહ મુસ્તુફાઈય્યહના તુલ્બાઓ અને ઉસ્તાદો માટે સામુહિક ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

ગૌષે પાક એમના જીવન દરમ્યાન પોતાના દસ્તરખાન ઉપર લોકોને બોલાવી ભરપેટ ભોજન કરાવતા હતા અને સમગ્ર જીવન દમિયાન લોકોને એની તાકીદ પણ કરતા રહેતા હતા.  આપની બેનમૂન ખિદમતોને યાદ કરીને એમની હિદાયતોને અનુસરીને વિશ્વમાં સામુહિક ન્યાઝના પ્રોગ્રામ થતા હોય છે. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ (બ્રાન્ચ નંબર ૭૧) દ્વારા આજરોજ આવા સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ ની શરૂઆતમાં ફાતેહા ખ્વાની પછી સમગ્ર માનવજાત માટે અને ખાસ કરીને ભૂખ્યા તરસ્યા મજલુમો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.