ગઈકાલે ભારે વાવાઝોડું અને વરસાદને પગલે આપણા ગામની લાઈટો વીજ લાઈન પર ઝાડો પડવાને કારણે બંધ થઇ ગઈ હતી જે જાણી ગામના નવયુવાનો વીજકર્મીઓ સાથે મળીને ઘોર અંધારા અને કાદવ કીચડમાં તેમને મદદરૂપ થયા હતા અને વીજ પુરવઠો તત્કાલ ચાલુ કરવામાં મદદરૂપ થયા હતા, જે બદલ અમો ગામના નવયુવાનોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.

હોસ્ટન – ટેક્સાસ – અમેરિકામાં ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા ગઝલ સંધ્યા અને મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રખ્યાત ગઝલકાર અદમ ટંકારવી ઉપસ્થિ રહ્યા હતા. ઉપસ્થિત શ્રોતાગણે અદમ ટંકારવીની ગઝલની મોજ માણી હતી.

Last week Gujarati mushaira was organized by Gujarati sahitya sarita in Houston Texas USA
Adam Tankarvi was the only chief guest. 

 

 

ભરૂચ જિલ્લાના ટંકારીઆ તથા આજુબાજુના ગામોમાં આજરોજ ઈદ એ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ટંકારીઆ ગામમાં રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી જ ઠેર ઠેર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથીજ મુસ્લિમ બિરાદરો ગામની વિવિધ મસ્જિદોમાં એકઠા થઇ નાતે રસુલ તથા સલાતો સલામ પઢ્યા હતા અને ફજરની નમાજ બાદ પાટણવાળા બાવાના ઘરેથી વિશાલ જુલુસ કાઢવામાં આવ્યું હતું જે જામા મસ્જિદ પાસે સંપન્ન થયું હતું. “સરકારકી આમદ મરહબા” જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ જામા મસ્જિદમાં પેગંબર સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી.
ત્યાર બાદ ટંકારીઆ ગામની ૧૦૮ તરીકે ઓળખાતા નવયુવાનો દ્વારા સમગ્ર ગામ માટે સામુહિક ન્યાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ઠેર ઠેર ઈદ એ મિલાદનો ઉત્સાહ નજરે પડ્યો હતો.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨માં ચાંદ સુધી ટંકારીઆની જામા મસ્જિદ ઉપરાંત મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહમાં ઈશાની નમાજ બાદ સીરતે મુસ્તુફા પર બયાનોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામા મસ્જિદના ખતીબ મૌલાના અબ્દુલરઝાક તથા મુફ્તી નૂર સઈદે બયાનો કર્યા હતા. અને અંતિમ દિવસે સમગ્ર માનવજાત માટે ભલાઈની દુઆઓ કરવામાં આવી હતી. મુફ્તી સાહેબે તેમના અંતિમ દિવસના બયાનમાં તમામ હાજરજનોને દિવસમાં પાંચ ટાઈમની નમાજ પઢવાનો અનુરોધ કર્યો હતો. તેમણે આપણા પ્યારા નબીની સુન્નતો પણ આપણા જીવનમાં ઉતારવાની શિખામણ આપી હતી. મૌલાના અબ્દુલરઝાક સાહેબે પણ હાજરજનોને પંજવકતા નમાજ પાબંદી સાથે પઢવાનો અનુરોધ કર્યો હતો.